SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ કે વિવેકી મહાત્મા ગુણદશી ગજરાજ અંતજ્ઞાનથી જગતનુ` સંપૂર્ણ સ્વરૂપ જાણીને તેનાથી બચવા માટે અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમષિએ ભારપૂર્વક ફરમાવે છે કે, આત્મગુણાની પ્રાપ્તિની સામગ્રીસહાયક ળવા દુર્લભ છે, આત્મગુણ પામવા દુર્લભ છે અને પામેલા આત્મગુણાને ટકાવી રાખવા તે સુદુલ ભ છે. જીવ જરાપણ ગાફેલ થયેા તા ક્યારે ગુણેાથી પતિત થાય તે કવાય નહિ. માટે જ કહ્યું કે-‘સમય ગાયમ ! ... મા પમાયમ્' અર્થાત્ હે આત્મન્ ! એક ક્ષણના પણ પ્રમાદ કરીશ નહિ, નહિ । આ પ્રમાદ એવા ભયંકર જીવલેણ શત્રુ છે કે ‘આત્મગુણ’ ઉન્નતિના શિખરે ચઢેલા જીવને ક્ષણવારમાં દષાની ઊડી ખાઇમાં પાડી દે છે. પછી ભવિતવ્યતા સારી હાય તા કાઈ બચાવનાર હિતેષી મલી જાય જીડી વાત. આ અંગે આ અવસર્પિણીકાળના ત્રેવીશમા તી પતિ પ્રગટ પ્રભાવી પુરષાઢાનીય શ્રી પાર્શ્વનાથ સ્વામિ ભગવાનના પૂર્વ ભવના સામાન્યથી વિચાર કરવા છે. જે આત્મા ખુ૪ શ્રી તી કર પરમાત્મા થવાના તે આત્માની નાનકડી ભૂલ અને ગાફેલિગિરથી મનુષ્યગતિમાંથી તિય ચગતિમાં જવુ પડયું. ભવિતવ્યતા સુંદર માટે ત્યાં ગાડનાર મહર્ષિ મલી ગયા અને આત્મા વિકાસના ૫થે ચઢી ગયા. આપણું વર્તમાન જીવન જોતાં તેા લાગે છે કે, આપણી મેનિદ્રામાંથી જગાડનાર રાણીયા સમાન પરમ ગુરૂના સુચેગ થવા છતાંય હજી આપણે જાગી શક્તા નથી તેા ભવાંતરમાં ખરેખર શું થશે, કાણુ બચાવશે તે વિચાર આવતાં કમકમા થાય તેમ છે. નામના કડને ખમાવવા ગયેલા મરૂભૂતિ ઉપર કમઠે મેાટી શિલા ફૂંકી અને તેના મહાઘાતથી વેદનાથી પિડિત થયેલા મરૂભૂતિ મહાઆર્ત્ત ધ્યાનમાં મરીને કંડક અરૂણ્યમાં હાથી તરીકે ઉત્પન્ન થયો. અને ક્રમે કરીને યુથાધિપતિ બન્યો અને અરણ્યમાં ઈચ્છા મુજબ ફરવા લાગ્યો અને હાથણીએ સાથે વિવિધ વિલાસને કરતા પેાતાના ઢાળ નિર્ગમન કરવા લાગ્યો. આ બાજુ, શ્રી અરવિંદ રાજાને પ્રસ`ગ પામીને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને જ્ઞાનાવરણ્ય કર્મના ક્ષયોપશમે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. પેાતાની પત્ની આદિ સૌને પ્રતિબેાધ કરી સાધુપણાના સ્વીકાર કર્યા અને ગુર્વજ્ઞાથી એકવિહારી પ્રતિમાપણે વિચરવા લાગ્યા. આ પ્રમાણે વિચરતા તેમણે ‘સમ્મેત શૈલ' તીને વઇન કરવાની ઈચ્છાથી સાગરદત્ત સાથે વાહની સાથે વિહાર કરવા લાગ્યા, ક્રમે કરીને સાની સાથે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy