SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૪ : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે ૪૦ જેને આ સંસારના સુખ ઉપર રાગ ન થાય તેવી મનોદશા ન થાય અને ૨ દુઃખ આવે તે મારા જ પાપથી આવે છે તે મથી ભોગવવું જોઈએ તેવી બુદ્ધિ . પેદા ન થાય તો તેના હૈયામાં શ્રી વીતરાગદેવનો ધર્મ વસ્યો છે તેમ કહેવાય નહિ. છે જેને આ સંસારનું સુખ સારું લાગે અને દુઃખ થી વેઠવા જેવું ન લાગે ત્યાં ? 1 સુધી તે ગમે તેટલો ધર્મ કરે તે પણ તે ધર્મ લાભ કરનારો ન બને ઉપરથી વખતે ? નુકશાન કરનારે પણ બને. માટે જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રકારે પણ કહ્યું છે કે–“મહિના છે મહિનાના ઉપવાસ કરે, પારણામાં તૃણના અગ્રભાગ ઉપર રહે તેવી ચીજ વાપરે તો પણ ભગવાનના માર્ગને જે ન સમજો હોય તો તેના તપની કઈ કિંમત નથી.” સંસારના સુખ માટે ત૫–જ પાકિ ધર્મ કરે તો તેનાથી એકાઢ વાર તે સુખ પણ છે મળે તેમાં ના નથી. પણ સુખ મળ્યા પછી એ પાગલ થાય અને એવાં એવા પાપ કરે કે જેથી ઘણે કાળ સંસારમાં ભટકવું પડે. તપ કરનારા તે ઈતરમ પણ ઘણું છે હોય છે, પંચાગ્નિ તપ તપે છે પણ અજ્ઞાન હોવાથી તપ ફળતો નથી. ? આજે પણ જેને જેને સંસાર સુખની સામગ્રી મળી છે થોડે ઘણે પૈસો ? મળ્યો છે તે તો એમ જ માને છે કે- “હુ જ ડાહ્યો છું, હું જ અઠલવાન હું ' જ સમજદાર છું. એટલે આ સુખ મેળવવા, ભેગવવા અને સંભાળવા પાપ કર્યા . કરે છે પણ તેને ખબર નથી કે–તે પછી મારું શું થશે ?” આપણને સૌને મહાપુઢયે શ્રી જૈન શાસન મળ્યું છે તો આપણને જ છે શેની ચિંતા હોવી જોઈએ ? આપણા સૌની એક જ ચિંતા જોઈએ કે “મારો પર- ૧ લેક ન બગડે, મારી મુક્તિ મેડી ન થાય.” મારે વહેલામાં વહેલા મોઢે જવું છે ! તે માટે દુર્ગતિમાં નથી જવું કેમકે, ત્યાં ધર્મની આરાધના ન થાય અને સદ્દગતિમાં 8 એટલા માટે જવું છે કે ત્યાં સારી સામગ્રી મુજબ ધર્મની આરાધના થઈ શકે ! આવું અંતરમાં ન વસે ત્યાં સુધી સમ્યત્વ પણ ન આવે. સમ્યક્ત્વ ન આવે તો ગમે તેટલું ભણે તે પણ તે અજ્ઞાન તરીકે પરિણામ પામે, ગમે તેટલે ત૫-જપ કરે તે પણ તે કાયકષ્ટ બને અને તેને તે ધર્મ પણ તેને સંસારમાં અટકાવનારો થાય. ઘણા પૂછે છે કે- “ધર્મ તે ખરાબ હોય ? ધર્મને ખરાબ કહેવાય ?” પણ તમે જ ખરાબ હે તે ધર્મ સારો ક્યાંથી બને ? ધર્મ કરનારે સારે હોય તે ધર્મ સારો બને, ધર્મ કરનારો ખરાબ હોય તે ધર્મ પણ ખરાબ બને. તમારી હાલત શી છે ? : , -
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy