SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ : : શ્રી જૈન શાસન [ ઠવાડિક] ! સમેતશિખર ગિરનાર, પાવાપુરી કે શત્રુંજયગિરિ જેવા તીર્થોની રક્ષા કે ઉન્નતિમાં પણ તેમને લેશમાત્ર ફાળો નથી. આ લોકોને સિંહફાળો માત્ર એક જ વિષયમાં રહ્યો છે, પરાકારો પરમતારક એવા જિનમંદિર, જિનમૂર્તિ, મૂર્તિપૂજાનું ખંડન કરવા દ્વારા લોકોને સત્ય માર્ગથી ભ્રષ્ટ બતાવવામાં ! જેન શાસનના આવા ભવ્યતમ ઈતિહાસ તરફ છેષ અને અરૂચિ રાખનારા સ્થાનકવાસી સંતે પિતાના વ્યાખ્યામાં આ ઐતિહાસિક પાત્રો અને પ્રસંગે છે વિશે મૌન સેવતા હોય છે. પોતાની પાસે એવો કોઈ ઇતિહાસ નથી, અને જ્યાં ભવ્ય ઈતિહાસ છે, ત્યાં તેમની નજર પહોંચતી નથી. આ જિનમંદિર-જિનમૂતિ વિશે આગમ શું કહે છે? તે જાણવાની આપણને ઉત્કંઠા જ થાય, તે પણ સહજ છે. અનેક સ્થળોએ જિનમૂતિ, જિનપૂજા, તીર્થયાત્રાદિના વર્ણન છે R આવે છે. શ્રી ભગવતી સૂત્રમાં ચારણમુનિઓને તીર્થયાત્રા કરવા નંદીશ્વર દ્વીપે જતા A બતાવનારે પાઠ છે. ત્યાં જઈ તે (તહિ ચેઈયાઈ વંઈ) જિનમંઢેર અને જિનમૂતિને છે વંદન કરે છે. વળી ત્યાંથી પાછા ફરી સ્થાપનાજિન આગળ ચૈત્યચંદન કરે છે. (ઈહ ૧ ચેઈયાઈ વંઈ ) આ રીતની સ્પષ્ટ વાત છે. ત્યાં આ લોકો “ચૈત્ય શબ્દનો અર્થ “જ્ઞાન” જે કરી મૂકે છે. જેનાગમ સમસ્તમાં, કોશમાં કે વ્યાકરણમાં કયાંય ચિત્યને બતાવવા જ્ઞાન શબ્દ નથી વપરાયો. ચૈત્ય, જિનપ્રતિમા, ચૈત્યવંજન ઇત્યાત્રિ આગમિક સુપ્રસિદ્ધ શબ્દો છે જિનમંદિર-જિનમૂર્તિના અર્થમાં જ વપરાય છે. શ્રી રાચપસેણિ સૂત્રમાં સૂર્યદેવ દ્વારા સવિસ્તર કરાયેલ જિનપૂજાનું વર્ણન છે. જિણપડિમાણું અઘરાણું કરેઈ' (જિન પ્રતિમાનું અર્ચન કરે છે) આ આગમપાઠમાં જિણપડિમા” શબ્દનો “કામદેવની મૂર્તિ એવો અર્થ આ લોકો કરે છે. સૂર્યાભદેવ આ સમ્યગ્દષ્ટિ વૈમાનિકદેવ છે. તે મિત્વી એવા કામદેવની પૂજા શું કામ કરે? એ પ્રશ્ન { તેમને માટે અણઉકલ્યો રહે છે. વળી નમુત્થણું સૂત્રમાં “નમે જિણાણું' શબ્દ આવે છે, ત્યાં જિનને અર્થ અરિહંત ભગવાન થાય છે, કામદેવ નહીં ! તે અહીં “જિન” ! આ શબ્દનો અર્થ કામદેવ કરવા પાછળ શું રહસ્ય? એ તો તેઓ જ જાણે. શ્રી ઉપપાત સૂત્રમાં અંબડશ્રાવકની સમ્યગ્દર્શન પ્રતિમાની વાત આવે છે. ત્યાં છે જ લખ્યું છે કે “ન કપઈ મે અપૂભિઈ અન્ન ઉસ્થિય અરિહંત ચેઈયાણિ વંદિત્તઓ . છે નમસિત્તઓ.” અર્થાત્ હું પ્રતિજ્ઞા કરું છું કે, આજ પછી અન્ય ધર્મપાના હાથમાં ચાલ્યા ગયેલા જિનમંદિર-જિનમૂતિને વંદન કે નમસ્કાર નહીં કરૂંઆનાથી પણ છે. જિનમૂર્તિ શાસ્ત્રસંધ્યા છે, તેવું સિદ્ધ થાય છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં અભ્યકુમારે આદ્ર
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy