SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ : * શ્રી જન શાસન (અઠવાડિક). ઉપર મુકી દે છે. અને પછી પહેરે છે. આ રીતે કરવાથી પ્રજાની જેડ અપવિત્ર બને છે. અને અપવિત્ર પૂજાની જોડથી પૂજા કરનાર ચંડાલ-હરિજન આદિ જેવા નીચ ગેત્રમાં ઉત્પન થવાનું કામ બાંધે છે. પૂજાની જેડ અંગે તે શ્રાદ્ધવિધિમાં કહ્યું છે કે સંસારના કામમાં પહેરવાના વચ્ચેથી પણ તેને અલગ રાખવી. તે વસ્ત્ર પૂજાની જોડને અડી ન જાય તે રીતે પૂજાની જડને સાચવવાની જણાવી છે. ' * શંકા : પૂજા કરવા જતી વખતે પગમાં સ્લીપર પહેરાય કે નહિ? રસ્તામાં પગ બગડે નહિ તે માટે પૂજાની જેડની જેમ અલગ જ રાખેલા સ્વીમર પહેરાય કે નહિ? સમા : ના. પુજા કરવા જતી વખતે ચંપલ કે સ્ત્રી પર પહેરાય નહિ. પૂર્વ કરવા જતી વખતે જયણું પૂર્વક જવાનું છે. ચંપલ પહેર્યા પછી જયણાની વાત જ ટકી શકતી નથી. ઘરથી દેરાસર સુધીને રસ્તામાં પગ ગંદા થવાની શક્યતા છે માટે દેરાસરે જઈને પગ દેવાની વિધિ “શ્રાદવિધિ’મ જણાવી છે. જયણા પૂર્વ ઉઘાડા પગે ચાલતાં ચાલતાં દેરાસરે જવાની વિધિ ચંપલ પહેરીને જવાથી જળવાતી નથી. કેમકે ચંપલ પહેર્યા પછી ગમે તેટલું રસ્તામાં જોઈ-જોઈને ચાલવા છતાં ચંપલ પહેર્યા કે તરત જયણાની વિચારણા સાથે વિરોધ ઉભો થાય છે. આમ ચંપલને જાણુ સાથે સંબંધ ન લેવાથી જષણ પૂર્વક જિનમંદિરે જવાની વિધિની વિરાધના થતી હોવાથી પ્રભુપુન સમયે ચંપલ પહેરીને જવું અગ્ય છે. . પ્રભુપૂજા સમયે ચંપલ પહેરવાને જ નિષેધ થઈ જાય છે તેથી તે ચંપલ પ્રજાની જેડની જેમ અલગ રાખેલા હોય તે શું વાંધે?' આ પ્રશ્રને સ્થાન જ રહેતું નથી. શ્રી સિદ્ધાચલજી જેવા અત્યંત પવિત્ર તીર્થ ઉપર તે ચંપલ પહેરીને જવાને નિષ એક સ્તવનમાં “તુમે જણાએ ઘાટો પાય રે પાર ઉતરવાને” આ પંકિત દ્વારા જણાવ્યે જ છે. * દેરાસરે જવા માટે પગ ઉપાડે તેને અમુક ઉપવાસનું ફળ જણાવ્યું છે તે અજયણા પૂર્વક જનાર માટે નથી. પરંતુ જયણ પૂર્વક ચાલનાર માટે છે, શ્રી જિનેશ્વર ભગવંત પાસે તે સેવક ભાવે, અહ ભાવ તજીને જવાનું હોય છે, જ્યારે ચંપલ કે સ્લીપર પહેરીને પૂજા કરવા જનારને તેર કંઇ જુદો જ હોય છે. તે વ્યકિતની ચાલમાં અને વર્તનમાં સેવકભાવ સિવાયનું કઈ નવું જ તત્વ આવી જતું હોય છે. ભગવાનની પૂજા કરવા સ્વરૂપ આસાની આરાધના કરવા જતાં પહેલા જ ચંપલ પહેરીને પૂજા કરવા જતી વખતે તે આજ્ઞાને પગ નીચે કચડી નાખવાની વિરાધના શરૂ થઈ જાય છે. માટે ભગવાનની આજ્ઞાના આરાધન રૂપ ભગવાનની પૂજા કરવા જતા સમયે પગમાં ચંપલ કે સ્લીપર પહેરાય નહિ.
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy