SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા અને સમાધાન ક શંકા-દ રાત્રે ખાઇને પ્રતિક્રમણ થાય છે તેવી રીતે દિવસે ખાધા પછી પ્રતિ. ! - કમણ થાય? અને થઈ શકે તે કેવું પચ્ચખાણ લેવાય કે લેવું જોઈએ ? . સમાધાન-૬ વિધિ તે એવી છે કે સૂર્યાસ્ત પછી જમનાર વ્યક્તિ જમી લીધા પછી દેવસી પ્રતિક્રમણ કરવા માટે અધિકાર ગુમાવે છે. હા. સૂર્યાસ્ત પછી પાણી વાપરવું હોય તે તે વ્યક્તિએ સૂર્યાસ્ત પૂર્વે કે સૂર્યાસ્ત સમયે તિવિહારનું પરચકખાણ કરી લેવું જોઈએ. પરંતુ શત્રિભેજન કર્યા પછી દેવસી પ્રતિક્રમણ કરવું તે તદ્દન શાસ્ત્ર વિરૂદ્ધ છે. વર્તમાન સમયે ઘણે ઠેકાણે ઘણુ બધાં શ્રાવકે (ગૃહ) રાત્રે જમ્યા પછી દેવસી પ્રતિક્રમણ કરે છે પરંતુ આ તદ્દન શાસ્ત્ર વિરૂદ્ધ જ પ્રવૃત્તિ છે. આવી શાસ્ત્ર વિરૂદ્ધ પ્રવૃત્તિને નજર સામે રાખીને રાઈ પ્રતિક્રમણ માટે “સવારે નાસ્ત કર્યા પછી રાત્રે પ્રતિક્રમણ થઈ શકે કે નહિ?' આ પ્રશ્ન કરવે જ તદ્દન અસ્થાને છે. વળી બીજી વાત કે-રાત્રે જમ્યા પછી પણ જે પ્રતિક્રમણ કરાય છે તે શાસ્ત્ર વિરૂધ જ છે. છતાં પણ તે પ્રતિક્રમણ કર્યા પછી આહાર કરી શકાતું નથી. એટલે કે પ્રતિક્રમણ કર્યા પછી રાત્રી આહારનો ત્યાગ કરવાને . છે. જયારે રાઈ (સવારના) પ્રતિક્રમણ કર્યા પહેલાં, કશું જ મેઢામાં નાંખવાનું નથી. એટલે કે રાત્રે પ્રતિક્રમણ કર્યા પછી જ આહારાદિ લઈ શકાય છે. એટલે વસી (સાંજના) પ્રતિક્રમણ કર્યા પછી આહાર લઈ શકાતો નથી અને રાત્રે (સવારના) પ્રતિક્રમણ કર્યા પહેલા આહારદે કશું લઈ શકાતુ નથી.” આટલે બને પ્રતિક્રમણમાં તફાવત રહે છે. આ હિસાબે પણ રાત્રે જમ્યા પછી પ્રતિક્રમણ કરાય તે દિવસે (સવારે) ખાધા પછી પ્રતિક્રમણમાં કર્યું પચ્ચકખાણ લેવું? આ પ્રશ્નન જ ઉડી જાય છે. સવારે કંઈપણ ખાધુ કે પીધુ હેય તે સવારનું પ્રતિક્રમણ કરી શકાતું નથી. કેમ કે સવારના પ્રતિક્રમણ સમયે ઓછામાં ઓછું “નવકારશી”નું પચ્ચકખાણ તે લેવું જ પડે છે. અને નવકારસી સમયે ચા-પાણી * નાસ્ત કર્યો હોય અને પછી રાઈ (સવારનું) પ્રતિક્રમણ કરે છે તે પચ્ચકખાણ તે લઈ શકે તેમ નથી કેમકે તેણે નવકારશી તે પારી લીધી છે. બીજી એક વાત કે રાઈ સવારનું પ્રતિક્રમણ મેડામાં મોડું દિવસના મધ્યાહ " સુધી કરી શકાય છે. અને દેવસી સાંજનું પ્રતિકમણ મેડામાં મોડું રાત્રિના મધ્યાહન સુધી કરી શકાય છે. હવે કઈ વ્યકિત કેઇ એવા બહારગામ જવાના છે તેવા જ કેઈ બીજા પ્રસંગે દેવસી પ્રતિક્રમણ બપોરે બે વાગે કરી લે તે પછી તે સૂર્યાસ્ત સુધીના સમયમાં અનનો એક કણ પણ ખાઈ શકે નહિ અને સૂર્યાસ્ત પછી તે ખાવાનું જ
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy