SearchBrowseAboutContactDonate
Page Preview
Page 874
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક]. વરડાની વ્યવસ્થા એવી હતી કે બિફોર ટાઈમ ઉતરી ગયો હતે. શનિવારે રાત્રે દક્ષાથી સન્માનને મેળાવડામાં પણ ૭૦ હજાર ફુટને મંડપ રાત્રે ૧૧-૧૨ વાગ્યા સુધી ચીકાર ભરાયેલ રહ્યો. દીક્ષા પ્રસંગ તે અપૂવ બને. મંડપ અને મંડપ બહાર ચીકાર મેદની હતી. રજોહરણ પ્રદાન પ્રસંગે તે સૌના રોમાંચ ખડા કરી દીધાં. માત્ર જયેન્દ્રભાઈ નહિ તેમના માતા પિતા ભાઈ બહેન અરે પત્ની અને પુત્ર પણ અપૂર્વ ભાવથી નાચી ઉઠયા સભાએ તોડી પાડવા સાથે જયનાદથી મંડપ ગજવી દીધે. તેમના બનેવી તેમને ખંભ. ઉપર ઉંચકી મંડપ બહાર લઈ ગયા ત્યારે દર્શન કરનારા ગગનભેદી જયનાદથી વધાવી લેતા હતા. આ અપૂર્વ પ્રભાવક અને અણમોલ દીક્ષા મહોત્સવ જોવાનું સૌભાગ્ય સાંપડયું તે જાતને ધન્ય માનવા લાગ્યા હતા. તે ઉજવાયેલ મહોત્સવના કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે. ઉપર છલી નજરે.. જામનગરનું પ્રસંગ વર્ણન તા. ૯-૫-૯૬ ને ગુરૂવારના રોજ મુમુક્ષુ શ્રી જયેન્દ્રભાઈને જામનગરમાં પ્રવેશ કરવા માટેનું મુહુત હતુતે દિવસે સવારે ૬-૩૦ વાગે પ્રસ્થાન કરવાનું હતું પરંતુ પ્લેન બપોરે ૨-૪૦ કલાકે ઉપડવાનું હતું આથી તે દિવસે એક ખાંતિભાઈ નામના મહાભાગ્યશાળીને ત્યાં પૂ. આ. કે. શ્રી લલિતશેખરસૂરી. મ. તથા પૂ. આ. કે. શ્રી વિ. રાજશેખરસરી. મ. તથા પૂ સાધવી હર્ષપૂર્ણાશ્રીજી. પૂ. સાવશ્રી પિયુષપૂર્ણાશ્રીજી આદિ સાધુ-સાધ્વીજી ભગવંતે સહિત ચતુર્વિધ સંઘ સાથે વાજતે ગાજતે વષીદાન દેતાં દેતાં પગલાં કરવા પધાર્યા હતાં. સવારનો સમય હતો એટલે ઉછાળેલું વર્ષીદાન રેડ ઉપર ઘણી મિનિટો સુથી પડી જ રહેલું હતું. તેથી પૈસાની સડક ઉપર ચાલતા હોઈએ તેવું લાગતું હતું. સવારે પૂ. આચાર્યદેવે માંગલિક પ્રવચન સંભળાવ્યું હતુ. ત્યારબાદ ત્યાં પધારેલા દરેકને પાંચ રૂ.થી સંઘપૂજન કર્યું હતું. સવારે નવકારશી થઈ ગયા બાદ નવ વાગે પ્રભુ પૂજા કરવા માટે ભારે કિંમતી પૂજાની જોડ તથા આખા શરીરે સેનાના દાગીના પહેર્યા હતા. બગીમાં બેસીને વષીદાન દેતાં દેતાં તેઓ પિણ કલાકે શ્રી ચંદ્રપ્રભ સ્વામી જિનમંદિરે પધાર્યા હતા. સવારના આ પ્રસંગમાં લાલબાગથી મેટા પ્રમાણમાં આવેલા મિત્રો ખાસ આકર્ષણ બન્યા હતા. પ્રભુપૂજા કરવા તે દરેક પૂજના કપડાંમાં આવીને અષ્ટપ્રકારી પૂજાની સુંદર સામગ્રી તૈયાર કરી હતી. દિનેશભાઈએ કાવ્ય સાથે સુંદર રીતે અટપ્રકારી પૂજા મુમુક્ષુને કરાવી હતી. ત્યવંદન (પ્રભુ પાસજી તાહરૂ નામ મીઠું) તથા સ્તવન (દેખણ દે મુજે દેખણ દે) અને શ્રી જયેન્દ્રભાઈ પતે ભાવપૂર્વક બોલ્યા હતા. પૂજા બાદ બહાર આવ્યા ત્યારે જયેનદ્રભાઈએ પૂજારી, પગીને ૧૦૦, ૫૦, ૫૦૦ની નેટ આપી હતી. અને પછી તેમણે દીક્ષા પ્રસંગે ખાસ
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy