SearchBrowseAboutContactDonate
Page Preview
Page 945
Loading...
Download File
Download File
Page Text
________________ વાં ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ : . • = ૧૦૦૩. અચકાતા નથી. પિતાને ઉત્કર્ષ અને બીજાને અપકર્ષ સાધવાની લાલસામાં તેઓ હિંસકભાવથી પર રહી શકતા નથી, માયા આદિથી પણ પર રહી શકતા નથી અને કારમા પણ અસત્યનું ઉચ્ચારણ તેઓને માટે સ્વાભાવિક જેવું બની , જાય છે. સ્કર્ષ અને પરોપકર્ષની લાલસાને આધીન બનેલા આત્માઓને માટે માયા તે જીવનસંગિની જેવી બની જાય છે. ચેન કેન પર અપકર્ષ કરવાની ઇચ્છાવાળા બનેલા, બહ્ય દૃષ્ટિએ ત્યાગી અને વિદ્વાન પણ દેખાતા આત્માઓ, શાના સિધ્ધા તેની સાથે માયાભરી ફૂટ રમત રમતાં અચકાતા નથી અને એ રીતિએ તેઓ પોતાના હિતને હણવાની સાથે, બીજા પણ સંખ્યાબંધ ભદ્રિક અને અજ્ઞાન આત્માઓના હિતને કારમો સંહાર કરનારા બની જાય છે. આથી ઉપકારી મહા પુરૂએ જ ફરમાવે છે કે-કેઈ પણ પ્રસંગમાં કે કઈ પણ સંગેમાં પર અપકર્ષ કરવાની વૃત્તિ ન આવી જાય, તેની પણ સાવધગીરી કલ્યાણના અથિઓએ અવશ્ય રાખવી જોઈએ. ઉમાર્ગનું ઉન્મેલન પણ પારકાને પરાજિત કરવાની વૃત્તિથી ન જ થવું જોઈએ : સ મારો પ્રશ્ન જરા લાંબા અને અંગત છે, તે ક્ષમા કરશે. શાસ્ત્રના પાઠોને કઈ ખટે અર્થ કરતો હોય અને એમ કરીને લેકમાં સિદ્ધાંતથી વિપરીત વાતને ફેલાવતું હોય, તો તેવા માણસને પરાજ્ય પમાડવાની ઈચ્છાથી પુસ્તક લખવું અથવા બીજા પણ પ્રયત્ન કરવા એ શું ગેરવ્યાજબી છે? આપે તેવાં પુસ્તકે નથી લખ્યા ? વ્યાખ્યાન અને લેખ દ્વારા આપે શાસ્ત્રવિરૂદ્ધ વાતે લખનાર કે બોલનારનું ખંડન નથી કર્યું ? મારી જાણ મુજબ આપે તેવાં પુસ્તક પણ લખ્યાં છે અને વ્યાખ્યાને તથા લેખ દ્વારા પણ આપે તે પ્રયત્ન કર્યો છે. છતાં આપ કહે છે કે... કઈ પણ પ્રસંગ કે સંયોગમાં પરાપકર્ષની વૃત્તિ નહિ આવવી જોઈએ.” -તે સમજવું શું? આ પ્રશ્ન ખૂલાસો આપતાં પહેલાં, પ્રશ્નકારે પ્રશ્ન પૂછતાં પહેલાં માગેલી ક્ષમા સંબંધી ખૂલાસે કરી દેવું જરૂરી છે. આ પ્રકારનો પ્રશ્ન પૂછતાં, કેઈએ પણ કશો જ સંકેચ રાખવાની જરૂર નથી. જિજ્ઞાસુબુધિથી આ પ્રશ્ન પૂછવામાં આવે, એ કાંઈ એવો નથી કે જેથી ક્ષમા માગવાની જરૂર હોય. કહેવાએલી લખાએલી વસ્તુની સાથે કહેવાતી વરતુ અસંગત ભાસે, તે રૂબરૂમાં પૂછી ખૂલાસ મેળવી લે અને જ્યાં સુધી - આપવામાં આવતે ખૂલાસે હૃદયમાં જ નહિ, ત્યાં સુધી જેટલી શંકાએ હૃદયમાં પ્રગટે, તેને પ્રગટ કરીને તેનું સમાધાન મેળવવાના પ્રયાસમાં લાગી રહેવું, એ વસ્તુ - હૃદય માં જ સાચો જિજ્ઞાનુસુભાવ હોય છે. અનેક રીતિએ આવકારદાયક જ છે. વગર
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy