SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૭ : અંક ૨૮ તા. ર૧-૩-૫ દિથી જે કર્મો બાધે છે તેમ તે બાંધેલાં કર્મોના ફળને ભગવનારે પણ જીવ પોતે જ છે. જે જીવે પોતે જ બાંધેલાં કર્મોના ફળને જીવ પોતે જ ભગવે છે તે વાત ન માનીએ તે આખો વ્યવહાર માગને ઉછેદ થઈ જાય. પછી તે ખાય બીજો અને તૃપ્તિ બી ન થવી જોઈએ, માંદે એક પડે અને સાજો બીજો થાય–પણ આવું જોવામાં આવતું નથી કે આવું બનતું પણ નથી. દુનિયામાં પણ કહેતી છે કે “જેવી કરણી તેવી ભરણી” ખાડો ખેદે તે પડે,” તે બધાને વાગ્યાથે પણ આ જ છે કે, જે જેવું. કરે તેનું ફળ પણ તે જ પામે છે. માટે નિશ્ચિત થાય છે કે, પોતે કરેલાં શુભાશુભ કર્મોનાં શુભાશુભ ફળને ભોકતા પણ આત્મા પોતે જ છે. પ્ર-૨૬૦ જીવ કેટલી રીતના પોતે કરેલાં કમને ભકતા છે ? કઈ કઈ? કેવી રીતે ? 1 . ઉ–જીવ બે પ્રકારે પોતે કરેલાં કર્મોને ભોકતા છે. નિશ્ચય નથી અને વ્યવહાર નયથી, વ્યવહાર નથી આમાં પિતે જ પુણ્ય અને પાપોના ફળોને ભેગવનાર છે. જ્યારે શ્ચિય નયથી આત્મા પિતે પોતાના જ ગુણેને ભગવે છે. - પ્ર-૨ ૬૧ આને તાપથાર્થ જણાવે. ' ઉ-અન્યને આત્મા સાથેનો સંગ માત્ર, આત્માની વિભાવ-દશાને વધારનારે છે. વળી બાહ્ય પદાર્થોને સંગ જ બધી ઉપાધિનું મૂળ છે તેમાંથી જ સંસાર ખેલે છે, પુષ્ટ થાય છે. - જ્યારે નિ:સંગ અવસ્થા એ જ આત્માની સાચી દશા છે, જેમાં માત્ર આત્માના અનંતજ્ઞાનાદિ ગુણેમાં જ રમવાનું છે ઉપાધિ ન હોવાથી ઉપાધિજન્ય એક પણ દેશને સંભવ નથી. નિરૂપાધિ દશા એ જ સચ્ચિદાનંદ દશા છે. માટે આત્મા, આત્માના જ્ઞાનાદિ અનતગુણ અને તે ગુણેને પેદા કરનારાં સહાથક સાધને વિના આત્માનું કશું જ પોતાનું નથી, બધું પારકું જ છે, તેથી બહિરાભદશા ત્યાગી, અંતરાત્મદશા પામી, પરમાત્મદશાને પામવાને જ પુરુષાર્થ કર જોઈએ. પ્ર-૨૬૨-આત્મા કર્મોને ભોકતા છે તે વાત વિશેષથી સમજાવો. ઉ-આત્મા પોતે જ પોતે કરેલાં શુભાશુભ કર્મોનાં ફળને ભગવે છે. આ વાત લેકવ્યવહાર અને આગમ પ્રમાણુથી ઘટી શકે છે. જે જીવ પોતાના કરેલ કર્મોના ફળને ભોકતા ન હોય તે શ્રી સિધ્ધ ભગવતે અને આકાશની જેમ તેને સુખ દુઃખનો અનુભવ ન થાય, કેમકે સુખ-દુ:ખના અનુભવમાં કારણરૂપ શાતા કે અશાતા વેદનીય કર્મ વિદ્યમાન નથી. પણ દરેકે દરેક સંસારી આત્મામાં સ્વસંવેદન સિદ્ધ સુખ-દુ:ખને અનુભવ જોવાય છે. સુખી કે દુ:ખી જીવને જોઈને લોક પણ કહે છે કે, “આ પુણ્યશાલી જીવ છે માટે આવાં
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy