SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) મઝામાં છું. સંસાર છે પાપ કર્યું હોય તે દુખ આવે. તેમાં રહેવાનું શું? પુ ગે સુખ મળે તે તેમાં મલકાવા જેવું શું છે? દુનિયાના સુખમાં રાજી થાય અને દુઃખમાં ૬ નારાજ થાય તે ધર્મ પામવા નાલાયક છે. દુનિયાના સુખમાં વિરાગી હોય અને દુ:ખમાં સમાધિવાળો હોય તે ધર્મ પામવા લાયક છે. આ સંસારમાં રહેનારે દુઃખની ફરિયાદ કરવાની નહિ. દુખમય સંસારમાં દુઃખ છે ન હોય તે શું હોય? ભગવાને આ સંસારને દુઃખરૂપ, દુખફલક, દુઃખાનુબંધી કહ્યો છે. આ સંસારમાં રહેનારે “હું દુઃખી છું” તેમ બોલવું તે પોતાની બુદ્ધિનું લીલામ કરવા છે જેવું છે. જેને દુઃખ ન જોઇતું હોય તેને આ સંસાર છોડ જોઈએ. પણ આજન મેટાભાગના દુઃખી એવા છે કે જેને કેઈ સુખી કરી શકે જ નહિ ! આ સંસારમાં પુણ્યગે જે સુખી પણ હોય, તે સુખ મથી ભગવે, તેમાં જ આનંદ માને તે તે મરીને કયાં જાય? પુણ્ય હોય તે બધું ધાર્યું બને પણ તે છે મઝેથી ભેગવે તે તેની ગતિ કઈ થાય? સંસારનું સુખ પણ દુઃખ આપે તે દુઃખની | વાત કયાં રહી? તે સુખ જેને સારું લાગે તે બધા જ દ:ખી થવાના છે. અને દુ:ખ છે જેને ખરાબ લાગે તે પણ દ:ખી થવાના છે. આ સંસાર મઝેથી સેવે તે દુખી જ થવાના છે તેને તે સુખની આશા પણ રાખવી નહિ. આજે જેને કન્યા નથી મલી તે હું રીબાય છે અને પરણ્યા પછી પણ ઘણું રીબાય છે. આ રીતે ભવના સ્વરૂપનો વિચાર 8 8 કરે તેને ભવમાં રહેવાનું ગમે જ નહિ. માટે આજનો મોટેભાગે સંસારના સ્વરૂપને ૪ છે વિચાર કરતો નથી. તે વિચાર કરતે થાય તે કામ થાય. આજે જે સુખી દેખાતા હૈ E હોય તે કાલે ય દુ:ખી થાય અને જે દખથી ડરતા હોય તે પણ દુઃખી થવાના છે. આ છે આજના લોકોને જેમ સુખ પચતું નથી તેમ દ:ખ પણ પચતું નથી ! આ સંસારમાં | દુઃખ ન આવે તે નવાઈ! સુખ જ કાયમ બન્યું રહે તે આશ્ચર્ય. સંસારમ. દ:ખ આવે છે છે તેની ફરિયાદ ડાહ્યો માણસ કરે નહિ. તેને ભાવસ્વરૂપને ઓળખું કહેવાય. તે પછીના K ગુણેનું વર્ણન હવે પછી. તેને સંઘ ન કહેવાય .. सुहसीलाओ सच्छंद चारिणो वेरिणो सिवपहस्स ।। आणाभट्ठाओ बहुजणाओ मा भणउ संघुत्ति ।। સુખશીલીયા, સ્વછંદચારી, મેક્ષમાર્ગના વૈરી, આજ્ઞાથી ભ્રષ્ટ એવા ઘણા છે જનેના સમુદાયને “સંઘ એમ ન કહો ! (અર્થાત્ તેને સંઘ ન કહેવાય)
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy