SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૪ : શ્રી જૈનશાસન (અઠવાડિક) ઉ– આ જયણુઓના પાલનથી સમકિત પણ દીપે છે અને વ્યવહાર પણ દીપે છે. જોકે ખાસ કારણ પ્રસંગે આ જયણાઓમાં પણ જયણા રાખવાની હોય છે તેના પણ અનેક પ્રકારે છે. પ્ર- ૧૯૧ વ્યવહાર કઈ રીતના દીપે? ઉ– આ જયણાનું પાલન કરનાર સમકિતી લેક વ્યવહારમાં ભલે કદાચ અતડો દેખાય કે ધર્માધ ગણાય પણ લકત્તર વ્યવહારમાં તે દીપે જ છે. અને લેક વ્યવહારમાં પણ “દઢ ઘમ“ટેકીલે” ની છાપ પણ તેને દીપાવે છે. મુશીબત પડે તે પણ પિતાના ધર્મમાં જ દઢ રહેવું તે ગુણ બને છે. અને જે પોતાના ધર્મમાં મકકમ હોય તે વ્યવહારમાં પણ ટેકને જાળવી રાખે છે. જે વખતે જે ગમે તેમ કરે તે બધા તે સિદ્ધાંત વિહેણું છે એટલે જે વખતે જે અનુકૂળ હવા-પ્રવાહ કે વિચાર ધારાઓ ચાલુ હોય તેમાં રાઈ જાય છે અને વ્યવહાર શુધિ પણ જાળવી શકતા નથી. માટે મકકમ ધમી જ ઘર્મને દીપાવવાની સાથે વ્યવહારને પણ દીપાવે છે. પ્ર-૧૨ આ જયણાએને પરમાર્થ જણાવે. ઉ– પરધમ, પરિવ્રાજક, ભિક્ષક, બૌધ આદિ દશનવાળાએ, તથા શંકર, વિષ્ણુ, બ્રહ્મા, રુદ્ર, બુધ આદિ જે અન્યતીથીક દે તથા તે લોકેએ ગ્રહણ કરેલ શ્રી જિનબિંબને વંદન નમન નહિ કરવાનું કારણુ લેકમાં મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે. તેમની અન્ન-પાનાદિથી ગૌરવપૂર્વક ભકિત આદિ કરવાથી પણ લોકોને મિથ્યાત્વીએ ઉપર બહુમાન-સદ્દભાવ થવાથી મિથ્યાત્વને પામે છે. તે જ રીતના મિશ્યાવની સાથે બાલવાથી તેમને પરિચય વધવાથી સ્વયં મિશ્યારવને ઉદય થાય અને પોતે પણ પિતાના ધર્મથી પતિત થાય. તેમજ તે લોકેએ ગ્રહણ કરેલ શ્રી જિનબિંબાદિની પૂજાભકિત કરવાથી પણ લોકેનું મિથ્યાત્વ મજબૂત બને છે. ટૂંકમાં આ જયણાનું પાલન એટલા માટે કરવાનું છે કે, આહત પણ જે આ બધું કરે છે તે કરવા જેવું જ હશે તેમ માની લોકો પણ તે બધું કરવા માંડે તેથી જેટલું મિશ્યાવ વધ, પુષ્ટ થાય તે બધું પાપ તેને લાગે. સમકિતી એ મહા વિવેકી જીવ છે. સાચા-ખોટાને સારાસારને, હેય-ઉપાદેયને વિવેક સારામાં સારી રીતના કરી શકે છે. અન્ય દેવાદિનું અપમાન-તિરસ્કાર કરવાને તેને લેશ હેતે નથી પણ પોતે જે સન્માર્ગ પામે છે તેના અણિશુદ્ધ પણ આશય પાલનમાં જ કટિબદ્ધ હોવાથી કદાચ અને તે જીવ “કટ્ટર” “ધર્માધ” લાગે તે તેને પાય નથી. બધાને સારું લગાડનારા” કયારે પણ સમાગમાં સ્થિર રહી શકતા નથી. દુનિયામાં રહેવા છતાં પણ દુનિયાથી ને એ સમકિતી જીવ છે. અંતે તે સત્ય ધમને જ જય થાય છે.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy