SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૦ શ્રી જૈન શાસન (અ,વાડિક) - કે-મહારંભી અને મહાપરિગ્રહી તથા તે બેને સારા અને કરવા જેવા માનનારને શાસ્ત્ર નરકગામી કહ્યા છે. નરકમાં કેટલાં દુઃખ છે? કેટલે કાળ વેઠવાનાં છે? ઓછામાં ઓછા દશ હજાર વર્ષ અને વધુમાં વધુ તેત્રીશ સાગરેપમ. ત્યારે શું કરશે ? રાડે પાડી પાડીને જીવવું પડશે. પરમાધામી એવા માર મારશે જેનું વર્ણન ' થાય. સખ્ત ભુખ સહન કરવાની, તરસ પણ એવી જ સહન કરવાની, ગરમી પણ એવી, છે ઠંડી પણ એવી, રોમ-રામ જેટલા રંગ પણ સહન કરવાના. આવી દુર્ગતિમાં જવું છે? છે નથી જવું તે શું કરો તે ન જવાય તે જાણ્યું છે ? સદ્દગતિમાં જવું છે તે કેમ જવું 8 છે? ત્યાં સુખ છે માટે કે ધર્મ થઈ શકે માટે? આ ભાવ પેદા નહિ થાય તે હું રે પંદર ગુણ બોલી જઈશ, તમને ગમશે નહિ, પછી પામવાની વાત ક્યાં રહી? સાચા શ્રાવકને ધર્મની વાત કરે તેની સોબત ગમે, સંસારની વાત કરે તેવા મિત્રો ગમે નહિ. જિનવાણી રે જ સાંભળે, સાંભળીને સમજે અને સમજીને યાદ કરે અને કુટુંબને સમાવે. તમે તમારા પરિવારને ધર્મ સંભળાવ્યા વિના સૂતા નથી ને? આઆ કરવા જેવું છે, આ-આ કરવા જેવું નથી તેમ કહે ને? મારે દીકરો પણ અ યાયાદિ કરે તે ય ન જ ચાલે. નીતિથી જે મળે તેમાં મથી છવ-તેમ કહે ને? જેને આત્માનું કલ્યાણ ન કરવું હોય તેને આ વાત ગમે નહિ. તમને ગમે છે? રુટ ક્ષે જવું છે ને? સંસારમાં મથી નથી રહ્યા ને? મથી અનીતિ કેમ કરે છે? પરલેકને ભય નથી, દુર્ગતિને ભય નથી, સદ્ગતિને ખપ નથી, અહીં લહેર કરવી 8 છે–તેને અધ્યાત્મભાવ પામેલે કહેવાય? આજના અધ્યાત્મી એટલે ગપ્પીદાસે! આધ્યાછે ત્મની વાત કરે અને સંસારમાં મથી રહે? તેને અધ્યાત્મી કહેવાય? આજે તમે અનીતિ ન કરો અને નીતિ માર્ગે ચાલે તે જીવી ન શકે તેમ છે છે? મઝેથી ખેટાં કામ કરે અને પોતાને સારા તરીકે ઓળખાવે તેવા પાપી નાં પણ ૧ વખાણ કરીએ તો અમારી પણ કઈ ગતિ થાય? આ પાટે બેસીને દુર્ગતિમાં જનારા છે ઘણું છે. આ પાટે બેસનારની જવાબદારી ઘણી છે, પાટ ઉપરથી ગમે તેમ બોલનારને સારો કહેનારા શ્રાવકે પણ માર્ગ ભૂલેલા છે. ધર્મથી જે જોઈએ તે બધું જ છે પણ તે છે માટે ધમ ન થાય, એમ જો સાથે ન કહે તે તે સાધુ પણ તમને દુર્ગતિમાં મોકલનાર ને છે. જેનાથી મોક્ષ મળે તેનાથી બધું જ મળે પણ તે મેળવવા જેવું નથી જ તેમ સમજાવવું પડે ને? આપણા ભગવાન સુખસાહ્યબીમાં જન્મ. જેઓને જન્માભિષેક ઈબ્રાદિ દેવ કરે છતાં પણ સઘળી સુખસાહ્યબી-રાજરિદ્ધિ છેડી સાધુ થાય. જે ભગવાને જઋધિ ! આદિ છેડી તે મેળવવાનું મન થાય તે ભગવાનને ભકત કહેવાય ? -
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy