SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૭ અંક-૧ તા. ૧૦-૧-૯૫ માર્ગમાં બંને મળ્યા. જેનાચાર્યને હરાવવાની એટલી બધી પ્રબલ જીજીવિષા હતી કે ત્યાં જ વાદ કરવાની ઈચ્છા પ્રગટ કરી. પૂ. આચાર્ય ભગવંતે કહ્યું કે, અહીં મધ્યસ્થ સભ્યો નથી તે વાદ કઈ રીતના થાય? તે પણ તેઓ એ કહ્યું કે આ ગે વાળો આપણા વાદમાં મધ્યસ્થ બનશે. દ્રવ્ય-ક્ષેત્ર-ભાવના જાણ પૂ. આચાર્ય ભગવંતે સંમતિ આપી. પછી વિદ્વાન એવા કુમુદચંદ્ર દિગ્ગજ વિદ્વાનોના મસ્તક ડોલી જાય તે રીતના સંસ્કૃત ભાષામાં પોતાના પક્ષનું મંડન કર્યું પણ આંધળાને આરસી અને બધિર આગળ મધુરગાન સમાન અજ્ઞ એવા ગોવાળને કશું સમજાયું નહિ તેથી કહે કે, આ લાંબુ લાંબુ કાન ફાડી નાખે તેવું બેસણું શું બેલે છે તેની કશી ખબર પડતી નથી. શ્રી જૈનશાસનના જાણ અને મિશ્યામતના વિદ્વાનમાં આ જ ફેર છે. મિયામતને વિદ્વાન ગમે તેટલો પ્રતિભાશાલી, વકતૃવશાલી હોય તે પણ એકમાત્ર મિથ્યાત્વના પ્રભાવે અજ્ઞાન અને અભિમાનથી એ આંધળે બજે હેય છે જેથી વિવેકદષ્ટિ પ્રાપ્ત થતી જ નથી. બીજાને જીતવાની ઈરછામાં બધા જ સારાસારને વિવેક પણ ભૂલી જાય છે. માગસ્થ જૈનાચાર્યો-સુવિહિતે દ્રવ્ય ક્ષેત્ર-કાલ-ભાવના જાણ હોય છે. વ્યાદિ પણ ધર્મની રક્ષા માટે જોતા હોય છે પણ પિતાનું મન ફાવતું કરવા જતા નથી. પુ. શ્રી વાદિદેવસૂરિજી મહારાજા પણ શાસનને સમર્પિત, દ્રવ્યાદિના જાણ મહાપુરૂષ હતા. તેઓશ્રી સમજતા કે મધ્યસ્થ સભ્યો ગોવાળે છે તેથી પ્રાકૃત ભાષામાં બદ્ધ, કપ્રિય અને ગવળે પણ સમજી શકે તે રીતના નૃત્ય-રાસ કરતા “નવિ મારઈ નવિ ચેરિ કરઈ.” ઈત્યાદિ બલવા લાગ્યા. તેથી તે સાંભળીને ગોવાળો પણ આનંદમાં આવી તેમની સ થે રાસ-નૃત્ય કરતા કરતા બોલવા લાગ્યા કે, આ કેટલું સારું ગાય છે–સમજાવે છે. આ જીત્યા, આ જીત્યા ! કદચંદ્ર પણ પ્રામાણિક હતા તેથી પોતાની હાર કબૂલ કરી, છતાં પણ પૂ. આચાર્ય ભગવંતે કહ્યું કે, આપણે કઈ મોટા રાજાની સભામાં મધ્યસ્થ સભ્યજને વચ્ચે વાદ કરીને હાર-જીત નકકી કરીએ. તે પ્રમાણે કરી, રાજસભામાં કુમુદચંદ્રને હરાવ્યા. પ્રતિબંધ પામેલા તેણે પૂ. આચાર્ય ભગવંત પાસે દીક્ષાને ગ્રહણ કરી. ભણીગણી યોગ્યતા પામવાથી આચાર્યપદ ઉપર આરૂઢ કર્યા અને તેમનું પૂ. આ. શ્રી સિદ્ધ સેન દિવાકર સૂરીજી નામ પાડવામાં આવ્યું. એકવાર વિહાર કરતાં તેઓ ઉજજયિની નગરીમાં આવતા હતા. તે વખતે
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy