SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પદ : : શ્રી જૈનશાસન (અઠવાડીક)શ્રી જેનરત્ન શ્રમણે પાસિકા વિશેષાંક ? છે જેવા ધર્માત્માથી જ આ નગર ધન્ય બન્યું છે હવે શેઠની પેઢી જોરદાર ચાલવા લાગી. છે દેશ-વિદેશનો વેપાર ગુણાકારે વધવા માંડશે. ત્યાં એક દિ' પરદેશથી સમાચાર આવ્યા 8 કે, વખારો બળી ગઈ હતી પણ ભોંયરાઓમાં માલ સલામત હતે. ભાવ વધી જવાથી તે છે ૭ લાખ રૂ. ના ૧૪ લાખ ઉપજ્યાં છે. આ સાંભળી શેઠ ગંભીર વિચારે ચઢી ગયાં. | ત્યાં ધર્મપત્ની નયનાદેવીએ કહ્યું કે સ્વામિનાથ ! લક્ષમી પ્રાપ્ત થઈ એને સાચે સદુછે પગ પ્રભુભકિતમાં જ છે. હવે તમે એવું દેવવિમાન જેવું સુન્દર જિનાલય બાધે કે જેથી અનેક ભવ્યાત્માએ પ્રભુદર્શન-વંદન અને પૂજનથી સમ્યક્ત્વાદિ ગુણોને મેળવીને મોક્ષમાર્ગની સુંદર આરાધના કરે જેનો લાભ આપણને સતત મળતું જ રહે આ સાંભળી | શેઠનું હૈયું નાચી ઉઠયું. અને વિચાર કર્યો કે આ શુભ ભાવનાથી જરૂર મારી આ છે અર્ધાડગના નિકટ મોક્ષગામી છે. “શુભસ્ય શીઘ્રમ્ આ ન્યાયે મુનિમજીને વાત કરી કે, છે છે ભવ્ય જિનમન્દિર બાંધવા માટે કુશળ કારીગરોને બોલાવે. નગરના મધ્યભ ગે વિશાળ { રમણીય જિનાલય વહેલામાં વહેલી તકે બાંધવાનું છે. ખર્ચ સામે ન જોતાં-જિનાલય છે તીર્થસવરૂપ બનવું જોઈએ,મુનિએ આશા સ્વીકારી કુશળ કારીગરે-શીલ્પીઓને તેડાવ્યાં { અને શુભ મુહુર્ત નૂતન જિનાલય બાંધવાનું કામ શરૂ કર્યું. કારીગરો પણ ઈચ્છા કરતાં 4 અધિક મહેનતાણું મળતું હોવાથી ધિલ દઈને ઝડપી કામ કરે છે. જિનાલય નિર્માણની વાત માણેકચંદભાઈ પાસે આવી. સમાચાર આપનારને અલંકાર આપી ખૂશ કર્યા. અને શ્રાવિકા વિમળાબેન સાથે વલભીપુરે આવીને મોટાભાઈને મળ્યાં. મોટા ભાઈએ ખૂબ ? છે આગતા સ્વાગતા કરી રાત્રે પ્રતિક્રમણ બાદ માણેકચંદ શેઠ,નેમચંદ શેઠને હાથ જોડી કહે છે કે, આ 8 મેટામાઈ મારૂ જીવન પૈસા કમાવવામાં જ વહી ગયું. આ૫ તે ધર્માત્મા છે. આ તમારો છે છે નાન્તભાઈ ભવ હારી ન જાય માટે મને આ દેરાસર ખર્ચને લાભ આપે. મોટાભાઈ 3 કહે છે કે, હું જીવનમાં પહેલી જ વાર આ જિનાલય બાંધું છું. આ લાભ કેમ છોડુ? કે લોભ પિશાચ મને ધનને રખેવાળ બનાવી ભારે કમી બનાવશે, માટે આ માં તું આગ્રહ ન કર ! ત્યાં નાન્હા ભાઈએ કહ્યું કે રંગમંડપને લાભ મને લેવા દે, ના હેભાઈ છે લક્ષમીનો પ્રભુભકિતમાં સદુપયોગ કરે એમાં આપ રાજી ન થાવ? શેઠે ધર્મપત્નીની સલાહ લઈને કહ્યું કે, એક શર્તે હું હા પાડું જે આ જિનાલયને “મા કવસહી” નામ આપવા હા” પડે તે માણેકચંદભાઈએ ઘણી વાતચીત અને અણુકાની બા હા પાડી, મોટાભાઈનાં ૧૫ લાખ નાન્હાભાઈના ૫ લાખ દ્રવ્યથી ભવ્ય દેવ વિમાન જેવું સૂક્ષમ કેરણીથી યુકત જિનાલય નિર્માણ પામ્યું. સાથે ભવ્ય ઉપાશ્રય પણ બાંયે વિધિપૂર્વક છે પ્રતિષ્ઠા કાર્ય માટે મહાપ્રભાવિક શાસન રક્ષક પૂજ્ય આચાર્યવર્ય શ્રી નિરંજનસૂરિ મ.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy