SearchBrowseAboutContactDonate
Page Preview
Page 986
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧૪ : : શ્રી જૈનશાસન (અઠવાડીક) " ગુરુકુલવાસ અને સ્વાધ્યાય એ સાધુ જીવનને પ્રાણ છે, શ્રમણગુણને આધાર છે. સજઝાય સ ત નાસ્થિ” આ શાસ્ત્રકિતને તેઓશ્રીજીએ જીવનની છેલ્લી ક્ષણ સુધી આત્મસાત કરી. ગુર્વાદિ વડિલેની સેવા-ભકિત, વિનય વૈયાવચાદિથી તે સવેની વાત્સ ત્યમય કૃપાને પામવા-ઝીલવા તેઓશ્રી બડભાગી બન્યા, આઠ માતા-પાં થ સમિતિ, ત્રણ ગુતિ સ્વરૂપના લાડકવાયા બન્યા. તે માતાઓને જરા પણ દુઃખ ન થાય માટે અપ્રમત્ત રીતે સઘળી ય સાધુપણાની ક્રિયાઓમાં ઉજમાળ બન્યા. ગુર્વાદિ વડિલોના આ ભવ પ્રીતિપાત્ર બની, પૂર્વની સુંદર આરાધના, જ્ઞાનાવરણીયને તીવ્ર પશમ, લીક, પ્રજ્ઞાને પ્રકર્ષ, સ્વાધ્યાયને પ્રેમ કેળવી, અલ્પ સમયમાં આગમના ગહન-અતિગહન વિષયનું તલપશી જ્ઞાન સંપાદન કર્યું ન્યાય અને જેનેતર દશન શાસ્ત્રનું પણ અધ્યયન કર્યું. પ્રકાડ પાંડિત્ય, વડિલની અસાધારણ કૃપા, અનુપમ વિદ્વત્તા, અપૂર્વ હાજર જવાબીપણું, સચોટ તર્કશકિત, ભલભલા મૂર્ધન્ય વિદ્વાનોના મસ્તકને પણ ડોલાવતી વકતૃત્વ શકિત, દરેક શ્રોતાજનોને ચમત્કૃત કરતી હૈ યા ડેલાવતી વેધક વાણી, સરળ સુબોધ અને હયાંમાં સોંસરી ઉતરી જાય તે રીતની સમજાવવાની અદ્દભુત છટાથી આનંદિત થયેલા વડિલે એ તેઓને અધિકૃત રીતે વ્યાખ્યાન વાચસપતિ બિરૂદથી અલંકૃત કર્યા. સીનેર ગામમાં એક વાર પૂ આ. શ્રી વિ. દાનસૂરીશ્વરજી મ. (ત્યારના પૂ. પં. શ્રી દાનવિજયજી ગો)ને દાઢને સખત દુઃખા હતે, વ્યાખ્યાન કેહ, વાંચશે? પાઠક પ્રવર ઉપા. શ્રી વીરવિજયજી મ.એ રામવિજયજીને કહ્યું કે, કાલે ત રે વ્યાખ્યાન વાંચવાનું છે. નુતન મુનિશ્રીએ તે વાતને માત્ર વિનોદમાં ગણી. પણ બીજે દિવસે શ્રોતાઓને પૂ. ઉપાધ્યાયજી મ. કહ્યું કે-“રામવિજયજીને લઈ જાઓ.” તેઓ શ્રી તે સ્વાધ્યાયમાં મગ્ન હતા. પણ વચનસિધ્ધ મહોપાધ્યાયના આશીર્વાદથી સમ્યક્ત્વના ૬૭ બોલ ઉપર જે વ્યાખ્યાન આપ્યું ત્યારથી શ્રોતાઓ આ સરસ્વતી પુત્ર ઉપર વારી ગયા. તેમના, જ એવરણ લેવા લાગ્યા. તે વખતે પૂ ઉપાધ્યાયજી મ. આખું વ્યાખ્યાન ગેલેરીમાં બેસી સાંભળ્યું. વ્યાખ્યાન બાદ કહ્યું કે-“બીમ્બા ! ઈતના જલ્દી નહિ બેલના થડા વીમે બોલના બહેત અચ્છા પ્રભાવક વકતા હેગા !” વડિલના હયાના આશીર્વાદ ફળ્યા. જૈન શાસનને વર્ષો બાદ દેખા દેતી એક દિવ્ય વિલ વિભુતિની પ્રાપ્તિ થઈ. ત્યારથી પ્રારંભાયેલી અને સાત -સાત દાયકા સુધી અખંડિત રહેલી તે સમ્યગ્દર્શનની જાતે અનેકના વનને અજ. વાળ્યા, અનેક જીવનમાં પ્રત્રજ્યાનો પ્રકાશ પાથર્યો, અનેકની પ્રજ્ઞાના પ્રકર્ષ ને પુષ્ટ કર્યો. અનેકના જીવન પથની માર્ગદર્શિકા બની. પિતાના હૈયાના તે ગુણની નિર્મલતા સાધી, સંસારથી સંતપ્ત અનેક જીવોને શીતલતા બક્ષવા દ્વારા સાંત્વન આપ્યું. પુપોની સુગંધ માટે ભ્રમરાએ ભમ્યા કરે છે તેમ તેઓશ્રીની અનુપમ વ્યા
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy