SearchBrowseAboutContactDonate
Page Preview
Page 937
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ : ૬ અંક ૪૫-૪૬ તા. ૧૨-૭-૯૪ ૪ ૧૦૬૫ જલાલુદ્દીન મહંમદ અકબર બાદશાહે ગાઝીને ફરમાન જલાલુદ્દીન અકબર બાદશાહ હુમાયુ બાદશાહને દીકરે બબર બાદશાહને દીકરો ઉમરશેખ મીરજાને દીકરે સુલતાન અબુસઈદને દીકર સુલતાન મહમ્મદશાહને દીકરો મીરશાહને દીકરો અમીર તો સુર સાહેબ કિરાનનો દીકરે. હાલના તેમ જ ભવિષ્યના માલવા, અકબરાબાદ (આગ્રા), લાહેર, મુલતાન, અમદાવાદ, અજમેર, મિરઠ, ગુજરાત અને બંગાળ તથા અમારાં રાજ્યના અન્ય પ્રાંતના સૂબેદારે, જાગીરદારે, કરડીએ, વગેરેને જાણ થાય કે જે ખરું જોતા પરમકૃપાળુ ખુદાની નવાઈ પમાડે એવી અમાનત છે, એવી સમગ્રપ્રજા અને સૃષ્ટિ પટ પર અસ્તિત્વ ધરાવતી દરેક વ્યકિતને સંતોષ થાય એ અમારા ઉચ્ચ વિચારેને લક્ષયાંક છે, ખાસ કરીને શુદ્ધ મન અને નિર્મળ વિચાર ધરાવતા મનુષ્યોનાં હૃદયને સંતુષ્ટ રાખવાં, પરલકનું નિરીક્ષણ કરતી અમારી દષ્ટિને લક્ષયાંક છે. તેથી જ્યારે પણ અમારા કાન ઉપર કેઈ પણ ધર્મ, પંથ કે કોમના એવા કેની વાત આવે છે કે જેઓના દિલમાં ખુદાનું સ્મરણ ભારોભાર હોય છે અને જેઓ સતત મનનશીલ હોય છે, ત્યારે અમે દરેકના-પછી તે ગમે તે ધર્મના હેયમુળ સિધાંતે જણવા ઉત્સુક હોવાથી એવા લેકેને આદરપૂર્વક દૂરદૂરથી તેડાવી એમના સત્સંગને લાભ લઈએ છીએ. ગુજરાતના બંદરના શ્વેતાંબર પંથના હીરવિજય સૂરિની પાપભીરુતા અને સાધના અંગે સાંભળીને અમે એમને તેડાવ્યા, મુલાકાતથી અમને ઘણે આનંદ થયે. પિતાના રહેઠાણ તરફ પાછા ફરતી વખતે તેમણે વિનંતિ કરી કે આકાશને સ્પર્શત સિદ્ધાચલ જી, ગિરનારજી, તારંગાઇ, કેસરિયાનાથજી, આબુ, જે ગુજરાતમાં આવેલા છે અને રાજગૃહીના પાંચ પર્વત, સમેતશિખરજી એટલે કે પારસનાથજી જે બંગાળમાં આવેલ છે. અને પર્વતની તળેટીમાં આવેલાં બધાં જ મંદિરોની કઠીએ અને અમારા રાજ્યમાને દરેક જગ્યાનાં જૈન શ્વેતાંબરનાં સર્વ દેવસ્થાને અને દર્શનસ્થળે વગેરે એમના કબજામાં સોંપી દેવામાં આવે અને કેઈને એ પર્વત ઉપર કે મંદિરની આસપાસ કે નીચે પશુઓની કતલ કરવા દેવામાં ન આવે. રં દૂરથી પધારેલા હતા અને એમની વિનંતી ઈસ્લામી શહરી અતથી વિરુદ્ધ પણ ન હતી, કારણ કે, તેને સિદ્ધાંત એ છે કે દરેક ધર્મને એની રીતે રહેવાને અધિકાર છે. તપાસ કર્યા પછી અને લણવા મળ્યું કે હકીકત પણ એમ જ છે કે જે '
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy