SearchBrowseAboutContactDonate
Page Preview
Page 919
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૬ : અંક ૪૪ : તા. ૨૮-૬-૯૪ : ૧૦૪૭ ત્યારના મુખ્ય પ્રધાને ૧૯૬૪ની પહેલી એપ્રિલે શ્વેતાંબરોની વિનવણ કુકરાવી દીધી અને નોટિફિકેશનને અમલ કરવાનો હુકમ કર્યો. બીજી એપ્રિલે બિહાર સરકારે આખા પહાડને કબજો માત્ર કાગળ ઉપર લઈ લીધા અને ઢોલનગારાં પિટી આ ફેરફારની જાહેરાત પણ કરી લીધી. ' તાંબર જૈનોના બંધારણે બક્ષેલા ધાર્મિક સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારોને પણ બિહાર સરકાર દ્વારા ભંગ થતાં તાંબર મૂર્તિપૂજકોએ સર્વોચ્ચ અદાલતમાં એક રિટ અરજી) નં બર ૫૮ એફ ૧૯૬૪) કરી કહ્યું કે બિહારના લેન્ડ રિફેર્સ એકટ (૧૯૫૦) ની કલમ ૩ (૧) દ્વારા અને ૨ એપ્રિલ, ૧૯૬૪ના ઢઢેરા દ્વારા અમારા મૂળભૂત અધિકારોને પણ, ભંગ થાય છે. આ તબકકે બિહાર સરકારે એવું વચન આપ્યું કે તાંબર જેનોની ધાર્મિક લાગણી ન દુભાય એ કઈ રીતે તે કાઢશે, ત્યારે શ્વેતાંબરોએ રિટ અરજી પાછી ખેંચી લીધી. બિહાર સરકાર સાથે અનેક વાટાઘાટે પછી મૂર્તિપૂજક - તાંબરોએ એક દ્વિપક્ષી કરારને મુસદ્દો ઘડી કાઢયે, જેને પરિણામે તા. ૨ મે, ૧૯૬૫ના રેજ શેઠ બાણંદજી કલ્યાણજીની પેઢી અને બિહાર સરકાર વચ્ચે એક કરાર કરવામાં આવ્યો અને તેને રજિસ્ટર પણ કરાવવામાં આવ્યું. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ત્યારના અ યક્ષ કસ્તુરભાઈ લાલભાઈએ આ કરારમાં સમગ્ર તાંબર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રતિનિધિ તરીકે સહી કરી. બિહાર સરકારે આ તીર્થસ્થળ ઉપર મુર્તિપૂજક તાંબર રેનેના માલિકી, વહીવટ વગેરેના અધિકારો માન્ય રાખ્યા. આ કરારની વિગત નીચે મુજબ છે. (૧બંગાળમાં ફેટ વિલિયમની હાઈ કોર્ટમાં ચાલેલા કેસ દરમિયાન અદાલતે તાંબરે. જે તમામ અધિકારો ગણાવ્યા હતા તે અને ત્યાર બાદ શ્વેતાંબરોએ પ્રાપ્ત કરેલા અધિકારો બિહાર સરકારે માન્ય રાખ્યા અને એવું વચન આપ્યું કે સરકાર તેમાં કઈ જાતને દખલ નહિ કરે અથવા તો તેને ભંગ થાય તેમ કરવા ની કેઈને રજા આપવામાં નહિ આવે. (જે વેતાંબર દ્વારા પ્રાપ્ત કરેલા અધિકારોમાં ૧૯-૧૮માં ઝઘડે ટાળવા માટે પાલગંજના રાજા પાસેથી મેળવેલા માલિકીહકકેનો પણ સમાવેશ થાય છે.) (૨ બિહાર સરકારે જાહેર કર્યું કે ૨ મે, ૧૯૫૩ના રોજ જે પરિપત્ર બહાર પાડવામાં બનાવ્યું તેમાં પારસનાથ પહાડ ઉપર આવેલાં મંદિર, ધર્મશાળા વગેરેને સમાવેશ કરવા માં આવતું નથી. આ પહાડ પર જેટલા મંદિર, મુતિઓ, ટેકરીઓ, ટૂંકે અને ધાર્મિક સ્થળો આવેલાં છે, એ તમામનો અંકુશ અગાઉ મુજબ તાંબરેના હાથમાં રહેશે. લાંબો અગાઉ મુજબ જ તીર્થક્ષેત્રમાં પૂજા વગેરે કરી શકશે અને તેમાં સરકાર કેઈ દ ખલ કરશે નહિ.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy