SearchBrowseAboutContactDonate
Page Preview
Page 882
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૦: : શ્રી જૈનશાસન (અઠવાડિક) ચુકાદો આપતાં વિદ્વાન ન્યાયમૂર્તિએ નીચે મુજબની ટિપ્પણી કરી હતી: “આ બધા પરથી સ્પષ્ટ રીતે જણાય છે કે જે ચરણેને કારણે વિવાદ થયો હતો તે વેતાંબરે દ્વારા જ પર્વતના શિખર ઉપર સ્થાપવામાં આવ્યાં છે. દિગંબરને આ મૂળ ચરણ સાથે કેઈ નિસબત નથી. હકીકતમાં પહાડ ઉપરની દેરી એને જ્યારે પણું વીજળી અથવા ઘસારાને કારણે નુકશાન થયું છે. ત્યારે તેનું સમારકામ વેતાંબર સંઘે જ કરાવ્યું છે. દિગંબરેએ આ તીર્થનાં કે મંદિર, ચરણ કે મૂર્તિ ઉપર પિતાના માલિકી હકકોને ક્યારેય ભેગવટે કર્યો હોય તેવું જાણમાં નથી. સમેતશિખરજી તીર્થની માલિકી વેતાંબરની નથી, પણ બિહાર સરકારની છે, એવે પ્રચાર દિગંબરો દ્વારા થઈ રહ્યો છે. આ પ્રચારના સમર્થનમાં તેઓ એવી દલીલ કરે છે કે બિહાર સરકારે ૧૫૦ના જમીન સુધારણા કાયદાની કલમ (૧) અનવયે ૧૫૩માં જે નેટિફિકેશન કાઢયું તેના દ્વારા બિહાર સરકાર આ પહાડની માલિક બની જાય છે. દિગંબરે એ વાત ભૂલી જાય છે કે ખુદ બિહાર સરકારે ૧૯૬૫ની પાંચમી ફેબ્રુઆરીએ શ્વેતાંબર સાથે જે દ્વિપક્ષી કરાર કર્યા તેની બીજી કલમમાં એવું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે ૧૫૩નું નોટિફિકેશન સમેતશિખરજી પહાડ પરનાં મંદિરે, ધર્મશાળાઓ વગેરેને લાગુ પડતું નથી અને શ્વેતાંબર તેમના મદિર મૂર્તિએ, મંદિર, હૃકે, ટેકરીઓ અને તમામ ધાર્મિક સ્થળ ઉપર પૂરેપૂરો કાબૂ ઘરાવશે. હકીકતમાં હવેતાંબરની ધાર્મિક લાગણીઓનું માન રાખીને બિહારની સરકારે કયારેય ૧૫૩ના નેટિફિકેશનને અમલ કર્યો નથી. આ બાબતે એક નિવેઢ પણ સરકારે કેટમાં કર્યું છે. ૧૯૬૫માં જે દ્વિપક્ષી કરાર થયા તેની મિનિટ્સમાં પણ એવું નોંધવામાં આવ્યું છે કે આ પર્વતની માલિકી વેતાંબરની જ રહે છે. બિહાર સરકારે ગિરિડિહની કેર્ટમાં તા. ૭ જુલાઈ ૧૯૩ના રોજ એક એફિડેવિટ કરી છે, જેમાં સમેતશિખરજી પહાડ પરના માલિકી, વહીવટ, કબજે અને અંકુશના વેતાંબરોના અધિકારોને પડકારવાને અમારે કઈ ઈરાદે નથી, તેમ તેઓ કહે છે. ૧૯૬૫માં જે દ્વિપક્ષી કરાર કરવામાં આવ્યા તેની પહેલી કલમમાં એમ કહેવામાં આવ્યું છે કે ફેટે વિલિયમના કેસમાં અને ત્યાર પછી વેતાંબરોએ જે અધિકાર પ્રાપ્ત કર્યા છે, તે સરકાર દ્વારા માન્ય રાખવામાં આવે છે. કેટ વિલિયમને કેસ ઈ. સ. ૧૮૯માં લડાયે હતું. પણ ત્યાર બાદ વેતાંબરેએ પાલગંજના રાજા સાથે ઝઘડો ટાળવા આખે પારસનાથ પહાડ તેમની પાસેથી ખરીદી, તેના માલિકીહકકે પણ પ્રાપ્ત કરી લીધા હતા, જેને બિહાર સરકારે ૧૯૬૫ના કરારમાં માન્યતા આપેલી છે. આ કરારને દિગ. બરોએ ગિરિડિહની અદાલતમાં પડકાર્યો હતો, પણ કેટે તા. ૩-૩-૧૯૯૦ના રોજ જે ચુકાદો આપ્યો તેમાં સ્પષ્ટ ફરમાવ્યું છે કે આ કરાર તદ્દન વાજબી છે અને તેને પડકારવાને દિગંબને કે હકક નથી. ખુદ લલ્લુ પ્રસાદ યાદવની બિહાર સરકાર પણ
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy