SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૬ : અંક ૪૧ : તા. ૭-૬-૯૪ અધિકાર નથી. મોગલ શહેનશાહ અકબરે ઈ.સ. ૧૫૯૩ની સાલમાં જે ફરમાન દ્વારા આ તીર્થભૂમિ જગદગુરૂ શ્રી હીરસૂરીશ્વરજીને સેપી તેમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે પ્રાચીન કાળથી આ તીથ વેતાંબર જૈનેની માલિકીનું છે. અકબર બાદશાહે આ રીતે તીર્થની ભૂમિ કંઈ વેતાંબર સંઘને ભેટ નથી આપી. પણ આ ભૂમિ ઉપરના તેમના પરાપૂર્વથી ચાલતા માલિકીહકકનું સમર્થન કર્યું છે. આવી જ રીતે અહમદશાહે પણ ઈ.સ. ૧૭૫૩માં મુશદાબાદના જગત્ શેઠ મહેતાબરાયને આ પહાડ ભેટ આપ્યું હતું, તેને અર્થ એટલો જ સમજવાને કે તેમણે પરાપૂર્વથી ચાલતા આવેલા તાંબરના માલિકીહકકેને માન્ય રાખ્યા હતા. ઈ.સ. ૧૯૧૮માં પાલગંજના રાજા પાસેથી અઢી લાખ રૂપિયામાં આ બે પહાડ ખરીદી લેવાનું કારણ પણ એક જ હતું કે હવેતાંબરે રાજા સાથે માલિકીની બાબતમાં કોઈ પણ જાતને નાહકને ઝઘડે ટાળવા માગતા હતા. ઈ. સ. ૧૯૫૩માં બિહાર સરકારે જમીન સુધારણા કાયદા અન્વયે એક નેટિફિકેશન બહાર પાડી સમેતશિખરજીને કબજે પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો તે પણ એક અતિક અને ગેરબંધારણીય પગલું હતું. પહેલી વાત તે એ કે જમીનસુધારણાને કાયદે જમીનદાર દ્વારા ગરીબ ખેતમજૂરોના થતા શોષણને અટકાવવા માટે થયે હતે. સમેતશિખરજી તીર્થ એ કઈ જમીનદારી નહતી કે તેમાં કેઈનું શેષણ થતું નહોતું. સમેતશિખરજી એ એક ધાર્મિક સંસ્થાન હતું અને આજે પણ છે. જમીન સુધારણાને કાયદે કઈ ધર્મ સંસ્થાને લાગુ પડી શકે નહિ, છતાં બિહાર સરકારે તેના અન્વયે તીર્થને કબજે લેવા ધાર્યો એ એક અન્યાયી પગલું હતું. તાંબરની વારંવારની મકકમ રજૂઆતેને કારણે બિહાર સરકારને પોતાની ભૂલને બરાબર ખ્યાલ આવી ગયો હતો અને એટલે જ તેણે દશ વર્ષ સુધી આ નેટિફિકેશનને અમલ કર્યો - હેતે. બિહાર સરકારે જમીન સુધારણા કાયદા અન્વયે મહા પવિત્ર તીર્થ સમેત શિખરજીનો કબજો લઈ લેવા ધાર્યો, ત્યારે પણ દિગંબરેએ ખૂબ ભૂંડી ભૂમિકા ભજવી હતી. આ કાયદાના વિરોધમાં વેતાંબરને સાથ આપવાને બદલે તેમણે બિહાર સરકારના હાથ મજબૂત કર્યા હતા અને જમીન સુધાર કાયદા નીચેના ને ટિફિકેશનને ટેકે આપ્યો હતે. દિગંબરના મનની મેલી મુરાદ એ વખતે પણ એવી જ હતી કે એક વાર બિહાર સરકાર આ તીર્થનો કબજે પિતાના હાથમાં લઈ લે, તે પછી તે કબજે દિગંબરાના પિતાના હાથમાં આવતાં જરાય વાર લાગવાની નથી. પરંતુ તાંબરોના ઉગ્ર વિરોધને કારણે સરકારની અને દિગંબરોની આ મેલી મુરાદ બર આવી ન શકી, સરકાર નેટિફિકેશનનો અમલ તે ન કરી શકી, પણ તેણે વાસ્તવિક પરિસ્થિતિનો સ્વીકાર કરી ૧૯૬૫ની સાલ માં વેતાંબર સંઘના પ્રતિનિધિઓ સાથે એક દ્વિપક્ષી કરાર કરી શ્વેતાંબરના માલિકી, વકીવટ, નિયંત્રણ, કબજે વગેરે તમામ પરંપરાગત અધિકાર માન્ય રાખ્યા.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy