SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ 8 વર્ષ-૬ અંક ૩૫ : તા. ૧૯-૪-૯૪ : * ૮૬૩ અને તમારી ખરેખર દયા આવે છે માટે જ આ પાટ પર બેસી ધર્મ સમ6 જાવીએ છીએ. જે આ પાટ પર બેસી પૈસા-ટકા, સુખ સામગ્રી આદિને ધર્મ સમજાવીએ છે તે તમારા પહેલા નંબરના શત્રુ છીએ. મારે તમારા સુખના રાગની પુષ્ટિ નથી કર વાની પણ તમારા સુખના રાગની ઉલટી કરાવવી છે. જ્યાં સુધી દુનિયાના સુખના છે | રાગની ઉલટી ન કરાવીએ ત્યાં સુધી હવામાં ભગવાન પેસી શકે નહિ. આ આજે અમે આ સંસાર અસાર છે તેમ કહીએ તે વાત ઘણાને ગમતી નથી. ! દુનિયામાં આગળ વધે તેમ કહેનારા ગમે છે. તેથી આજે અમારામાંના ઘણા પણ છે { તમને ગમે તેવું જ બોલતા થઈ ગયા છે. દુનિયામાં આગળ વધવા જેવું છે ખરું ? ? છે દુનિયામાં આગળ વધ્યા તે તે આયમાંથી પણ ગયા તે તમારા અનુભવમાં નથી? S. # તમે તેવા જ થયા તેનું દુઃખ છે કે હાશ ! આપણે બચી ગયા તેને આનંદ છે ? શું છે આ સંસાર તે ભયંકર ઝેરી છે અને સંસારનું સુખ તે તેના જ કરતાં ય છે # વધારે ઝેરી છે. આજે જેની પાસે સુખ ઘણું તેના ધર્મમાં લગભગ મીડું. “સુખ 8 જેમ જેમ વધે તેમ તેમ ધર્મ ઘટે—તમે આ વાતને વિરોધ કરો. - આજે તે બધા એમ જ માને છે કે, ધર્મ જ કજિયા કરાવે છે. દુનિયામાં ઝઘડા 8 છે છે તે બધા ધર્મના જ છે ને ? તમારું માથું જે ઠેકાણે નહિ રાખે તે તમે ય બર બાદ થઈ જશે. ધર્મ સાચું-ખોટું નહિ સમજાવે તે બીજું કેણ સમજાવશે ? સાચું- 8 ૫ ખોટું સમજાવવું તેને ઝઘડો કહેવાય કે સાચી સમજ આપી કહેવાય ? સાચી વાત R એ છે કે, આજે તો ધર્મ કરનારાઓને પણ સાચું-ખોટું સમજવું નથી. આ બધું છે નહિ સમજે તે ઠેકાણું પડશે નહિ અને આ જન્મ હારી જશે અને વખતે અનંતે કાળે ય આવો જન્મ મલે તેવું પાપ બંધાઈ જશે. 4 “સાવુપણું એ જ ધર્મ છે?—આ વાત તમારા હૈયામાં લખાયેલી છે ? શ્રી ઋષભ? દેવસ્વામિ ભગવાન શ્રી અજિતનાથ સ્વામિ ભગવાન થયા ત્યાં સુધીમાં પચાસ (૫૦) 5 લાખ કોડ સાગરોપમ કાળ ગયે. તેમાં એક રાજા એ નહિ, જે સાધુ થઈ ક્ષે ન 1 ગયે હોય કે સવાર્થરિધમાં ન ગયે હોય ! શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાનને તમે જ { “દાદા માને છે ને ? યાત્રા માટે શ્રી સિધ્ધગિરિજી પણ જાય છે ને ? આજે તે તમે 8 જે રીતના યાત્રાએ જાય છે તે પણ ત્રાસરૂપ છે તેથી તીર્થ પણ મહા આપત્તિમાં છે. આજે તમને યાત્રાને ખપ નથી પણ નવરાશનો સમય મળે એટલે ટેસ કરવા, મેજ-મજા, એશ-આરામ કરવા જાવ છો. હવે તે ઘણુને ત્યાંય સડક બનાવવી છે છે, એટલે છેક દાદાના દરબાર સુધી મોટર લઈ જવી છે. હવા ફેર રોગ લાગુ પડયો છે. (ક્રમશ:). то
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy