SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ • શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમ્મા વિશેષાંક સબધ છે; અને કલ્યાણુ સંબંધ તા ત્યાં સુધી જ ગણાય, કે જ્યાં સુધી આપણે શ્રી જિનાજ્ઞાને આધીન રહીએ. જગતના જીવ માત્રને માટે વાસ્તવિક રીતે કલ્યાણનું કારણ પણ એક માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞા જ. આવે વિશ્વાસ શ્રી જિનાજ્ઞાને વિષે દરેકના હૈયામાં હોય અને એને અનુસરતુ પોતપાતાની શકિત અને મર્યાદાને અનુસરતુ આચરણ પણ હોય. આવેા શ્રી સ'ધ ચિ'તાકાની કરે? શ્રી જિનાજ્ઞાની આરાધનાનાં જેટલાં સાધને તેની અને શ્રી જિનાજ્ઞાના આરાધક જે કાઇ હાય તેમની પણ! આટલી ચિંતા તેા શ્રી સ`ધ અવશ્ય કરે ને ! * * શ્રી જૈન શાસનના સેવક તરીકે, આપણી શ્રી જિનમદિરાદિ જે શ્રી જૈનશાસનની મિલ્કત છે, તેની વ્યવસ્થા, રક્ષા, અભિવૃદ્ધિ આદિ કરવાની ફરજ છે. શ્રી જૈનશાસનના સેવક તરીકે જ જો બધા વહીવટ કરવામાં આવે, તેા વહીવટમાં શ્રી જિનાજ્ઞાની અવગણુના થાય ખરી? વહીવટ કરનારાએને એ વાતના ખ્યાલ છે ખરા કે આને! વહીવટ અમારે અમારી રીતે કરવાના નથી, પણ શ્રી જૈન શાસનની મર્યાદાને અનુસરીને કરવાને છે ? જો આ ખ્યાલ હોય, તે। શ્રી જિનમ`દિરાદિ ધર્મસ્થાનામાં શું શું થઇ શકે અને શુ શુ થઈ શકે નહિ, તેમજ શ્રી જિનમ`દિરાદિનાં દ્રવ્યાના ઉપયોગ શામાં થઈ શકે અને શામાં શામાં નહિ એ વગેરે વહીવટને અ ંગે અતિશય જરૂરી વાર્તાને જાણવાના, વહીવટદારો પ્રયત્ન કર્યા વિના રહે ખરા ! આજના શ્રી જિનમંદિરાદિના વહીવટદારો જાણકાર છે કે જાણવાની દરકાર રાખીને વનારા છે ? એ બેય માં નહિં અને વહીવટદાર ખરા, એ કરે શું? ઘરબાર વગેરેના વહીવટ પાપરૂપ અને શ્રી જિનમંદિરાદિના વહીવટ પુણ્યરૂપ, પણ તે કરતાં આવડે તે ને? શ્રી જિનમ`દિરાદિના વહીવટ કરતાં તા વહીવટ કરનાર જીવ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોટિના પુણ્યક'ને યાવત્ શ્રી તીર્થંકર નામક ને પણ ઉજી શકે; પશુ વહીવટ હાથમાં લઈને જે સ્વચ્છંદી બને, શ્રી જિન શાસનની મર્યાદાઓને લેપે, આશાતના વગેરે કરે—કરાવે, તે એવુ ધાર પાપકમ ઉપાજે, કે તેવુ. પાપકમ કદાચ ઘરબારના ગમે તેવા વહીવટથી પણ ઉપાઈ શકાય નહિ. શ્રી જિનના નામે, શ્રી જિનની ભકિતના નામે, શ્રી જિનની આજ્ઞાની આરાધનાના નામે જે કાંઇપણ જે દ્રવ્ય એકત્રિત થાય, તેના ઉપર અધિકાર શ્રી જિનશાસનના જ ગણાય. અને એથી શ્રી સંઘના નામે પણ શ્રી જૈન શાસનની મર્યાદાને લેાપીને એ દ્રવ્યના ઉપયાગ થઈ શકે નહિ. શ્રી જિનમ'દિરાદિ ધર્મસ્થાનાના અને એની મિલ્કતના શ્રી સધ માલિક પણ ગણાય, પણ તે સ્વતંત્ર વહીવટદાર માલીક નહિ, વ્યવસ્થા, રક્ષા વગેરે શ્રી સધ કરે,
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy