________________
વર્ષ-૬ અંક ૨૪ : તા. ૨૫-૧-૯૪ :
* : ૬૫૧ (૨૨) નદી સૂત્રમાં બૃહ ૯૯૫ સુત્ર અને બીજા આગમે કહ્યા છે નંદી સૂત્રમાં માને અને તે આગમને ન માને તે તે નંદીસૂત્રની પણ માન્યતા નથી તેમ થાય.
(૨૩) વ્યવહાર સૂત્રમાં ચેત્યની સાક્ષીએ આલોચના કરવાનું કહ્યું છે.
(૨૪) શ્રી કુલચંદજી મુનિએ સુત્ત (૩૨ આગમના સંગ્રહમાંથી ચૈત્ર ની જગ્યાએ જ્ઞાન શબ્દ મુકશે તેને સ્થાનકવાસી શ્રી સંઘેજ વિરોધ કર્યો અને તેમને માફી માગવી પડી છે. પણ સ્થાનક સંપ્રદાયને માન્ય કર આગમમાં જૈ૪ જિનભૂતિ જિનમંદિરના અધિકાર સૂચવે છે.
(૨૫) એ જ પુસ્તિકાને છેલા પેજ ઉપર ૩૨ આગમને હિંદીમાં સાશંશ પુસ્તકેની જાહેરાત છે. ચૌદપૂર્વધર શ્રીમાન ભદ્રબાહું સવામી શ્રી જિનદાસ ગણી નવાંગીટીકાકાર શ્રી અભયદેવ સૂરીશ્વરજી મ. શ્રી મલયગિરિજી મ. શ્રી હભિદ્રસૂરિજી મ. શ્રી માલધારી શ્રી હેમચંદ્ર સૂ. મ, આદિની નિયુકિત, ચૂર્ણિ તથા ટીકાઓ ઉપર વિશ્વાસ નથી અને સામાન્ય માણસોએ કરેલા હિંદી સારાંશ ઉપર વિકાસ છે તે આગમ પ્રત્યેની પણ સદભાવના સૂચક નથી.
(૨૬) તે પુસ્તિકાના પેજ ૮ ઉપર લખ્યું છે કે . “ઈન મંદિર માગિને ઈધર ઉધર સે જેડ મેડ કર એક કલ્પસૂત્ર બનાયા હ.”
આગમ મનીષી શ્રી તિલોકમુનિને એટલે પણ ખ્યાલ નથી કે કપ સૂત્ર જેડ મોડ કર બન્યું નથી તેને પ્રણેતા ૧૪ પૂર્વધર શ્રત કેવલી શ્રી ભદ્રબાહુ સ્વામી છે. અને તે છેદ સૂત્ર શ્રી દશાશ્રુત સકંધ જે પૃધત છે તેનું એક અધ્યયન છે. આવી જ્ઞાન શકિત બતાવે છે કે તેમનું આગમ અંગેનું જ્ઞાન કેટલું છે.
તેમણે આગમમાં મૂર્તિ પૂજા નથી તેવું વિધાન કરતાં આ રીતે માત્ર આગમના આધારે જ આપીને મૂર્તિ પૂ આગમકત છે તે સ્પષ્ટ થાય છે. તેઓ અને તેમના અનુયાયીઓ જે આગમની પ્રીતિવાળા હોય તે જરૂર આ બધા સ્થાનો જુઓ કઈ સ્થાન ન સમજાય તે પણ પુષ્કળ સ્થાને જિનમૂતિ અંગે ૩૨ આગમમાં છે તે બધા અહીં ઉતારાય તેં મેટો ગ્રંથ બની જાય.
ભવભીરૂ કદાગ્રહ કે કલેશ છોડી આ વાંચે વિચારે એ જ અભિલાષા.
જિનેન્દ્રસૂરિ.
(૨૫૦ પોષ સુદ પ્રથમ ચમ) રવિવાર તા. ૧૬-૧-૯૪ મક્ષી તીર્થ (જી. સાભપુર) (M. P)