SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) નને ઠગેા છે. આપણા બધા ભગવાન સાધુ થઈને મેક્ષે ગયા છે, બીજા આમાએ કદાચ સાધુ ન થયા હાય પણ ભાવથી સાધુપણું' પામી મેક્ષે જાય પણ શ્રી અરિહંત પરમાત્મા તે સાધુ થઈને જ મેક્ષે જાય. ભગવાનના ઉપકાર શુ ? જગતને મેક્ષમાગ ખતાવ્યા તે. માક્ષમાં જવુ. ઉંચુ તે આ જ મગ છે. આ માગ ગમે તેને જ કરૂણા ગમે. મારા તે આક્ષેપ છે કે, ભગવાનની દયા પણ તમને નથી ગમતી. માટે જ તમે જેને નિજેધ કર્યો તે મજેથી કરી છે. ઘર માંડવા જેવું નથી તેમ કહ્યું પણ ઘર માંડવું નહિ તેમ નથી કહ્યું-કારણ તમને આજ્ઞાભ ક નથી બનાવવા તમે ઘર માંડયા પછી આ યાત સમજયા હૈ। તે તમને થવુ જોઇએ કે અમે ફસાઇ ગયા. માહથી ઠગાઇ ગયા. હવે એવુ' કરવુ' છે કે જેથી ભવાંતરમાં આઠ વર્ષે ચારિત્ર ઉદયમાં આવે, આજે દુ:ખની વાત એ છે કે ધમ કરનારાઓને હજી આ સંસાર ભૂડા લાગતા નથી. સૌંસાર ભૂડા લાગતા નથી તેનુ દુઃખ પણ નથી. તેથી આજના વિજ્ઞાનિકા જે વાત કરે તે સાચી લાગે છે અને આપણા સર્વજ્ઞ ભગવાને જે કહ્યુ છે તે હજી ખેડતુ નથી. તેમાં વિશ્વાસ આવતા નથી. મરવાનું નકકી છે પણ મર્યા પછી શુ થશે યાં જઇશ તેના માટાભગને વિચાર નથી. આજના શિક્ષણમાં આ વાત આવતી નથી. પરલેાકની વાત કરનારા અમને બેવકૂફ માના છે અને કહા છે કે, પહેલા આ લેાક સુધારા પછી પહેાકની વાત કરે. પરલેાકને આંખ સામે રાખ્યા વિના આ લેાક સુધરે ખરા ? આ લેાક પણ સારા મનાવવા હોય તે તમે જે માટે ધમ કરી રહ્યા છે તે માટે ધમ નહિ કરાય. તમારે આ લેાકમાં પણ સુખ જોઇએ છે તા તે સીધી રીતે મળે તે લેવુ', વાંકી રીતે મળે તેા નહિ જ તેમ નકકી છે ? હજી મને સુખ વિના ચાલતું નથી તે તે સુખ અને સુખનુ સાધન આયેગ્ય માગે મળે તા જોઇએ જ નહિ, તેના વિના ચલાવી લઇશુ–તે ત્રેવડ છે ? તમે મ`દિરમાં કદાચ નહિ જાવ તે તે ચલાવીશુ પણ અાગ્ય રીતે મળેલુ સુખ ન જ જોઇએ તેમ નકકી કરો તા તમારું જીવન મંદલાઈ જશે. આ વાત તમારામાં આવશે પછી તમને અમારી ખરેખર જરૂર પડશે. બાકી મોટાભાગને અમારી જરૂર નથી. અમારી વાત કાને અડે છે પણ બુદ્ધિને અડતી નથી, કદાચ બુદ્ધિને અડે તા હોયાને અડી ન જાય તેની સતત કાળજી રાખે છે. આ લેકની સુખ સામગ્રીની જેટલી ઇચ્છા છે તેટલી મારો પરલેાક ન બગડે, મારૂ, અહિત ન થાય અને હિત થાય તે ઈચ્છા જાગે તે! તમને ખરેખર ધમ પામવા અને પામેલા ધમ સાચવવા શું શું કરવું તે સમજાય. પછી અમારી પાસે ધમ પ્રાપ્તિના ઉપાયા સાંભળે તા તેમ જ કરવાનું મન થાય. પછી જે ધમ થાય તે ધમ જ ખરેખર આત્મધમ ને પેદા કરનારો બને. જયાં આપણા ભગવાન ગયા ત્યાં આપણે પણ પહેાંચી જઇએ. સૌ આવી દશાને પામે તે ભાવના સાથે પૂરું કરવામાં આવે છે.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy