SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1019
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૬ : અંક ૪૭-૪૮ તા. ૨-૮-૯૪. ( ૧૧૪૭ વસે સાંજના વિહાર કરી પૂર્વદેશ તરફ વિહાર કર્યો તે પ્રસંગે પૂ.શ્રીજીને વળાવવા જે માનવ મેદની એકઠી થયેલી તે પ્રસંગની યાધે આજે પણ તેવી જ રોમાંચક બને છે તેમ જાણું છું પણ કહે છે. તેની ગવાહી પૂ.આ. વિજયશ્રી દાનસૂરિજી જ્ઞાનમંદિર અને પૌષધશાળાની ઈટ ઈટે આજે પણ પૂરે છે, - પૂ શ્રીજી બિહાર દેશમાં વિચરી રહ્યા હતા તે વખતે જેનેતરોનું તેફાન વધી ગયું અને જેને પણ તેને ભેગ બનવા લાગ્યા. પણ પૂ.શ્રીજીએ એવાં પ્રવચન આપ્યા કે જેથી ને વધુને વધુ મકકમ થવા લાગ્યા, તેથી તે વખતે સર્વોદયનેતા જયપ્રકાશ નારાયણે પૂ.શ્રીજી સાથે મુલાકાત યોજાય તે માટે પોતાના સેક્રેટરીને મેકયા હતા. તે વખતે પૂજયશ્રીએ જણાવેલ કે-જયારે જેનેનાં માથા ફૂટતાં હતાં ત્યારે આ રક્ષણને દાવો કરનારા કયાં ગયા હતા! હવે જેને જગ્યા ત્યારે અહીં મળવા માગે છે તે વખતે જયપ્રકાશ નારાયણે પૂશ્રીજીને મળવાનો વિચાર માંડી વાળ્યું અને કહ્યું કેસંતકી બાત સચ હૈ ! ૦ તે અરસામાં ભારતમાં ચૂંટણી યોજાઈ હતી. અને ભગવાનના શાસનને પામેલા-સમજેલા સદગુરૂએ તે મતદાન કરવું તે પાપ છે એમ જ કહે. તદનુસાર પૂ. શ્રીજી જાહેર વ્યાખ્યામાં જે રીતે મતદાનને પાપ સમજાવતા હતા, ત્યારે જૈન પ્રવચનના તંત્રી શ્રી ચીમનલાલ નાથાલાલ શ્રીકાંતે પૂ.શ્રીજીને માત્ર એકવાર વિનંતી કરી હતી કે આ રીતના પ્રતિપાદનથી આપશ્રીને રાજકીય મુશ્કેલી તે નહિ આવે ને ?” પૂશ્રીજીએ તેમને પણ કહ્યું કે ચિંતા ના કર, બધું સારું થશે.” તે સિવાય તે શ્રીકાન્તભાઈએ પૂ.શ્રીજીને ક્યારે પણ એમ કહ્યું નથી કે-“વ્યાખ્યાનમાં આમ બેલે અને આમ ન બેલો” તેમના જેવો પૂર્ણ સમર્પણ ભાવ આજના લેકે એ કેળવવાની પૂર્ણ જરૂર નથી લાગતી! તેમાં પણ છેલ્લે છેલ્લે નિકટના ગણતા પણ પૂ.શ્રીજીને જે રીતના પોતાની વાત ઠસાવી દેતા અને તેમાં “હોંશીયારી માનતા તેમાં શ્રીજીનું ગૌરવ વધતું કે હણતું તે સુઝ લેકે સારી રીતે જાણે છે. શ્રી “મતદાન કરવું તે પાપ છે તે વાત જે રીતના સમજાવતા તેમાંથી પણ વિદનસંતો વીઓએ પોતાની ખીચડી પકાવવા પ્રયત્ન કર્યો. છેક દિલ્હી સુધી એવી વાત સફતપૂર્વક ફેલાવી કે આ ધર્માચાર્ય કેમવાદને ફેલાવે તેવાં ભાષણે (વ્યાખ્યાનો) આપે છે. તોથી તે વખતના વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂએ પોતાના માણસે મોકલી શ્રીજીના પ્રવચને નેટ ડાઉન કરાવ્યા. તે માણસે પૂશ્રીજી જ્યાં જ્યાં વિહાર કરે ત્યાં ત્યાં જતા. અને આ ઠ-દશ દિવસ પછી તેઓએ જ પૂ.શ્રીજીને ઉપરની બધી વાત કરી અને કહ્યું કે-“આપની ધરપકડનું વેરંટ પણ સાથે લઈને ફરીએ છીએ. પણ આપશ્રી
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy