SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1014
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪૨ . : શ્રી જૈનશાસન (અઠવાડિક) ૭-સવાલ કેટલીક સંસ્થાઓ અગર કેટલીક ખાનગી વ્યકિતઓને ત્યાં સાધુ સાવી ખાતું હોય છે, કે જેમાં તેઓના ધર્મપાલની જરૂરીયાત પૂરી પાડવા માટે પૈસા કાઢે, જમે થાય અને ખર્ચાય? જવાબ : જે વ્યકિતએ સાધુ-સાધવી ખાતા માટે પણ ખર્ચવાને અમુક રકમ પિતાના હૃદયથી ખર્ચવા માટે નકકી કરી હોય, પણ કદાચ એ આખી યે ૨કમ ખચી શકાય તેવો સંગ ન મળે છે, તે તેવી રકમ કે વ્યકિતને ત્યાં અગર કોઈ તેવી સંસ્થામાં ખાતે રહેતી હોય, તે એ અસંભવિત નથી. પણ એ રકમ ઉપર સાધુ કે સાવની મુદ્દલે સત્તા હેતી નથી. જે સાધુ-સાધી એવી રકમ ઉપર પોતાની સત્તા કે હકક સ્થાપિત કરવા માંગે, તે સાધુ અને સાધવો પિતાના વ્રતથી પતિત થાય છે, એટલે કે-વતનો ભંગ કરનાર બને છે અને તેથી તે આ લેકમાં નિદા અને પરલોકમાં નકદિને અધિકારી થાય છે. તેવું ખાતું જેની પાસે હોય તેવી વ્યકિત અગર સંસ્થા તે રકમને સાધુ-સાધવીએના સંયમમાં સહાય કરના ૨ પુસ્તકો વિગેરેમાં પિતાની ઈચ્છા મુજબ ખચી શકે છે, અગર તે સાધુ-સાધ્વીથી ઉપરની કેટિનાં જિનમુતિ, જિનમંદિર અને જિનાગમ તે રૂપ જે ક્ષેત્રે છે તેમાં બચી શકે છે. પણ નીચેની કટિમાં આવતાં શ્રાવક અને શ્રાવિકાક્ષેત્ર, કે જેમાં સાધુના પૂર્વાશ્રમનાં સગાસંબંધીઓ પણ હોય અને બીજા પણ હોય તે ખાતામાં ખચી શકતા નથી. ને જે એવું ખાતું રાખનાર વ્યકિત કે સંસ્થા નીચેના ખાતામાં, એટલે કે-શ્રા વકશ્રાવિકા ક્ષેત્રમાં તેને ઉપયોગ કરે, તે તે વ્યક્તિ અને તે સંસ્થા અને શાસ્ત્રાજ્ઞાનાં ભંજક બને તથા એવા પૈસા લેનાર પણ આજ્ઞાના ભંજક બને. એ રીતે દેનાર અને લેનાર બને આજ્ઞાભંજક બનીને નર્યાદિક દુર્ગતિના અધિકારી થાય છે. ૮-સવાલ : જે આ બધું મેક્ષ માગ સહેલ કરવા ખાતર અને તેને કાયમ રાખવા ખાતર શ્રાવકે ભકિતથી કરે અને દીક્ષિત સાધુના દેહઋણ, વિઘાઋણ અને કર્તવ્યઋણ અદા કરવામાં ભકત શ્રાવકે પૈસા ખચી પિતાની ફરજ અને ધર્મ સમજે, તે કઈ સાધુ ઉપર પોતાના પૂર્વાશ્રમના નિરાધાર આશ્રિતના પિષણની જાણે-અજાણે આવી પડેલી ફરજ કે ધર્મ બજાવવા ખાતર શ્રાવકે એ પૈસા આપવાની ગોઠવણ જેનધર્મ પ્રમાણે કરવાને ઉપદેશ સાધુએ આપે કે નહિ ? જવાબ : “આ બધું મેક્ષનો માર્ગ સહેલ કરવા ખાતર અને વ્રતને કાયમ રાખવા ખાતર શ્રાવકે ભકિતથી કરે તે જે સાધુઓ માટે કહેવાતું હોય, તે તે ખોટું છે, કારણ કે એ બધુ ગૃહસ્થ પિતાના જ આત્મકલ્યાણ માટે, પોતાની શકિત અને ઈચ્છા પ્રમાણે કરે છે અને એથી જ જૈનશાસ્ત્રમાં સાધુઓને મુધાળવી અને ગૃહસ્થને
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy