SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬૪ : શ્રી જૈન શાસન (અઠવાડીક). નોંધપાત્ર ઘટાડો થઈ ગયો. પૂજયશ્રીજીની વાણીની આવો અસરકારકતા નિહાળી સરદાર વલ્લભભાઈ પટેલ જેવા પણ પ્રભાવિત થયા. અને પૂજ્યશ્રીજી પાસે આવી એવા ભાવની માગણી કરી કે– “હાલ અમારી જે રાજકીય અસહકારની ચળવળ ચાલે છે તે પણ એક પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ છે તે આપ પણ તેમાં જોડાવ અને આપની વાણીને લાભ આપે.” રાજકીય નામાંકિત આગેવાન ખુદ આવી માગણી કરે, દુનિયાભરમાં નામના ફેલાઈ જાય, ભલભલા ખેરખાંઓ પણ જેમાં જોડાવામાં ગૌરવ માનતા અને સુધારક વગ તે તેમાં સાથ સહગ આપતે હેવા છતાં, આગ્રાના અભયકવયને વરેલા પૂજયપાશ્રીજી એ તેમાં જરા પણ લેવાયા વિના નિભીકતાથી કહી દીધું કે- “જે દિવસે તેમાં મને ધાર્મિકતાનાં દર્શન થશે તે દિવસે તમારા આમંત્રણની પણ રાહ નહિ જોઉં. બાકી તમારી આ પ્રવૃત્તિથી દેશ અધપાતના માર્ગે જશે અને એવી એવી બદીઓ ફેલાશે કે જેનું વર્ણન પણ નહિ થાય. વર્ષો પૂર્વે ઉશ્ચરાયેલી આ આર્ષવાણી આજે અક્ષરશઃ સત્ય બની રહી છે. ચમરબંધીની પણ શેહશરમમાં નહિ તણાવાનું આવું સામર્થ્ય શાસ્ત્રને જ નજર સામે રાખનારા આત્મામાં સહજ પ્રગટ થાય છે. શાસ્ત્ર એ જ જેમની ચક્ષુ હય, શાસથી વેશપણુ આઘા પાછા નહિ થવાની વૃત્તિ હોય તેવા આત્માએ આવા જ હોય તેમાં નવાઈ નથી. સૂર્ય સેળે કળાએ પુરબહારમાં ખીલી ઉઠે ત્યારે અંધકારનું નામનિશાન મટી જાય છે. પણ અંધકારમાં જ હવાતિયા મારનાર જીવે સુર્યને પ્રકાશ ન ઝીલી શકે તેમાં સૂર્યને દેષ કહેવાય ખરે? શુટિ વડિલેની પુણ્ય છત્રછાયામાં પૂજયશ્રીજી એક પછી એક સિધિના શિખરો સર કરવા લાગ્યા અને પૂજ્યશ્રીજીની શકિતઓ સોળે કળાએ, પુરબહારમાં ખીલી ઉઠી તેથી શાસનપ્રેમી વર્ગ આનંદમાં આવી ગયા અને કહેરીમાં તણાયે સુધારક વર્ગ શ્યામ મુખવાળ થઈ ગયે. જેનેને સ્વભાવ જ એ હોય છે કે તેની ઉપર ગમે તેટલો ઉપકાર કરવામાં આવે તે પણ તે અવસરે પિતાની જાત બતાવ્યા વિના રહે નહિ. જ્યારે સજજનોને સ્વભાવ એવે હૈય છે કે તેમનું ગમે તેટલું બગાડવામાં આવે તે પણ તેઓ અવસરે પણ ઉપકાર કર્યા વિના રહેતા જ નથી. જમાનાવાદના પ્રવાહમાં તણાયેલા, પંચપરમેષ્ઠીના તૃતીય પદ ઉપર રહેલાઓએ શાસ્ત્રીય સુવિધ સુવિહિત પ્રણાલિકાઓને ઉછેદ કરવા સાથે, દેવદ્રવ્યાદિને પણ યથેચ્છ ઉગ કરી શકાય છે, તેવું પ્રતિપાદન કર્યું. ત્યારે પૂજ્યશ્રીજી અને પૂ. શ્રી
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy