________________
વર્ષ–૨ : અંક-૪૬ તા. ૨૦-૭–૯૩
: ૧૩૬૩ હશે તે જ્ઞાની જ જાણે. પણ એટલું તે ચકકસ થયું કે- જે હેતુ માટે સભાનું આયેાજન થયેલું તે હેતુને સ્પર્યા વિના જ બીજી વાત કરી સભા વિસજિત થઈ! તે વખતે તેમને સંયમપર્યાય માત્ર દોઢ વર્ષનો હતો. દિકરે સવા પાકે, દેશ-દેશાંતરમાં બાપની આબરૂ વધારે તે ક્યા બાપને હર્ષ ન થાય !
અલ્પ સમયમાં પૂજયશ્રીજીએ પ્રકાંડ વિદ્વત્તા પ્રાપ્ત કરી. અસાધારણ સતેમુખી પ્રતિભા, પુણ્યને પ્રકષ, ગુર્વાદિ વડિલોની અસીમ કૃપા, કુશાગ્ર પ્રજ્ઞા, હૈયામાં સેંસરું ઉતરી જાય તે રીતના સરળ અને સુધ ભાષામાં સમજાવવાની શૈલી. ભલભલા દિગ્ગજોના માથાં ડેલાવે તેવી અપ્રતિમ તર્કશકિત, પ્રત્યુત્પન્મતિઃ આવી શકિત જોઈને ગુર્વાદિ વડિલોએ તેને શાસનને માટે જ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. શાસ્ત્રીય પ્રશ્નોમાં તેમને જ અભિપ્રાય એ અંતિમ ગણાતો. તેથી જ તે પૂ. આ. શ્રી કમલસૂરીશ્વરજી મહારાજાએ, શાસ્ત્રીય પ્રશ્નોના ઉકેલ માટે નિમેલ કમિટિમાં તેઓશ્રીમદને સ્થાન આપ્યું હતું ત્યારે તેમને દીક્ષા પર્યાય માત્ર સાત જ વર્ષને હતે.
- ૧૯૭૬ થી સમ્યગ્દર્શનથી પ્રારંભાયેલ તેઓ શ્રીમની જિનવાણી પ્રાયા વણથંભી જીવનની અંતિમ ક્ષણે સુધી રહી. એ એક પણ વિષય, એક પણ પ્રશ્ન નહિ હોય જેની વિશદ છણાવટ ન કરી હોય. સચોટસ્પષ્ટ સમાધાન ન આપ્યું હોય, માર્ગસ્થ માર્ગદર્શન ન આપ્યું હોય, ધાર્મિક વિષયમાં તે સમજ્યા પણ રાજકીય પ્રશનનું પણ ધાર્મિક દ્રષ્ટિકોણથી એવું વિશદ વિશ્લેષણ કરતા કે, શ્રોતાઓ દંગ થઈ જતા અને તેમની પટુપટ્ટાની પ્રશંસા કરતાં થાકતા નહિ.
માટે તે ગાંધીજી જેવા પણ તેમના પ્રવચનેથી અત્યંત પ્રભાવિત થયેલા અને પિતાના સેક્રેટરી મહાદેવભાઈ દેસાઈને નિયમિત પ્રવચનમાં મેકલતા. અમદાવાદમાં ભદ્રકાળીના મંદિરમાં દર આસો સુદ પૂનમમાં થતો બેકડાને વધ અહિંસાની જેહાદ જગાવી જે રીતના બંધ કરાવ્યું અને તેમની નિસ્પૃહતાને નિહાળી સૌને પ્રતીત કરાવ્યું કે- સાચે યાગ ધર્મ તે આનું નામ! પણ આજે કલિકાળને પ્રભાવ એ વર્તાય છે. કે, સ્વયં જ તે બહુ વિરલ હોય છે પણ ગુણીજન દેખી આનંદ પામનારા પણ વિરલ હોય છે. પરંતુ ગુણવાનમાં પણ દોષ જેનારે મોટે ભાગ છે. કૃતજ્ઞતાને તે જાણે દેશવટે અપાય છે. કેઈના સારાં કામને અન્ય ઉપર આરોપ કરે તે આજના વિલક્ષણ યુગની અનેખી તાસીર છે. અને આ ચેપી રોગ ધર્મિજનેમાં પણ લાગુ પડી શકે છે તે દુખદ છે, છતાં પણ સત્ય ઉપર ઢાંકપિછોડે કરનારા કયારે ય ફાવી શકતા નથી. અને ફાવવાના પણ નથી તે પણ એટલું જ નગ્ન સત્ય છે. - તે વખતે અમદાવાદમાં વ્યસન મુકિતની પણ જે જેહાદ જગાવી જેના પરિણામે તે કાળની નામાંકિત હોટલમાં રોજનું અઢારથી વીસ મણ દુધ વપરાતું તેમાં એકદમ