________________
૫૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક) તા. ૧૧-૮-
જગજાહેર ખુલ્લાં પડશે.”
આ શબ્દ એટલાં બધાં સાચા ઠર્યા કે દીક્ષા લીધા પછી થોડાક ક ળમાં ઝંઝાવાતી પર પવનને વાયરે શરૂ થઈ ગયે.
દીક્ષાના સમાચાર વાયુવેગે પાદરા પહોંચી ગયા. સગાવહાલા ઝનુને ચઢયા. ગમે તે ભોગે દીક્ષા ભંગાવીને લાડીલા ત્રિભુવનને પાછો લાવ્યા વિના નહી જ જંપીએ ! ઘરે લઈ જવાની જોરદાર તૈયારી સાથે સૌ પહોંચી ગયા નુતન મુનિરાજ પ સે. પૂ ગુરુદેવેની સાથે શ્રી નુતન મુનિરાજે બધાની વાત શાંતિથી સાંભળી. ભોગનું ડન કરતાં અને ત્યાગના મંડણની છણાવટ કરતાં એટલી મફકમતા દર્શાવી કે બધાના મોઢા માં પડી ગયાં ઝંઝાવાતે જબરો પવન ફૂંકવા આવેલા સૌ વિલે મેઢે પાછાં ફર્યા.
ગ્રામાનું ગ્રામ વિચરતા એકવાર પૂ. ગુરુદેવની સાથે શ્રી નુતન મુનિરાજ પાદરા | પધાર્યા. મારે લાડીલે મારો ત્રિભુવન પધાર્યો છે તે જાણી દાદીમા ના શરીરમાં 4 મહારાજાએ પ્રવેશ કર્યો. ઝંઝાવાતી પવન ચકાવા લેવા લાગ્યું. દાદીમા સાગ્રહપૂર્વક તેઓને પિતાના ઘરે લઈ આવ્યા. બારણું બંધ કરી દાદીમા બોલવા લાગ્યા, “તમારે દીક્ષા પાળવાની છૂટ પણ હું જીવું ત્યાં સુધી રહેવાનું આ ઘરમા, બને તે ન બની છે શકે તે ગામના ઉપાશ્રયે રહેવાનું વચન આપો પછી જ તમને જવા દઉં” ઝંઝાવાતી પવનની મહાદશા દૂર કરતા શ્રી નુતન મુનિરાજ એટલું જ બોલ્યા, વગર કારણે A થિર વાસ રહેવાની ભગવાનની આજ્ઞા નથી એ શું તમે નથી જાણતાં
બસ, લાડીલા દીકરાના માર્મિક વચને સૂણીને મહારાજા ઉભી પૂછડીએ ભાગી ગયે. દાદીમાએ પ્રતિબંધ ઉઠાવી લીધો. જવલંત વિજય સાથે શ્રી નુતન મુનિરાજ સ્વસ્થાને પધાર્યા.
પહેલાં જ ચાતુર્માસમાં આંતરીક ઝંઝાવાતી પવને શ્રી રામવિજયજીને ઘેરી લીધા. આખુંય શરીર ભયંકર દાહની વેદનાથી ઘેરાઈ ગયું. સમાધિ ભાવમાં રમણતા કરતા શ્રી રામવિજયજીએ પણ કલાક ચાલે એવું એક ઈજેકશન શાંતિથી લીધું. અને તે રાત્રે આંતરીક ઝંઝાવાતી પવનથી આવેલો આ દાહ ગયે તે ગયે. અશાતાના ઉદયે આવા આંતરીક ઝંઝાવાતી જીવલેણ પવન અવરનવાર ઘણાં આવ્યા. પરંતુ દરેક ઝંઝાવાતી | તેફાને એટલા જ સમતા અને અદ્દભુત સમાધિ સાથે સહન કર્યો. શ્રી રામવિજયજીના , માદ"ના માધ્યમે તો અનેકને ધમ પમાડ છે. અશાતાને ઉદય દૂર ન થયા પછી જયારે પહેલું પ્રવચન શ્રી રામવિજ્યજી આપતા ત્યારે આપણને ચકકસ લાગતું કે | માદંગીના કાળમાં તેઓશ્રીએ કેવું અદ્દભુત ચિંતવન કર્યું છે.