SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ જોડાની માયા 0000000400:0 એક શેઠ હતા. તે રાજ ધ્રુવદન કરવા જાય. એક દિવસ એ નવા જોડા લાવ્યા. મદિરની બહાર જોડા કાઢયા. અને દર્શન કરવા માટે તે અદર ગયા. પણ દેવની સ્તુતિ કરતા કરતાં ય તેમને જોડા યાદ આવ્યા. કરે. એમને ફફડાટ થયા કરે. રખેને કાઇ નવા નકાર જોડા લઈ જશે તે ? શેઠ રાજ દેવદશને જાય, પણ દેવને બદલે જોડાનુ સ્મરણ કરી પાછા આવે. શેઠ હતા સમજી એમને થયુ. આ તા બરાષ્ટ્રર ન કહેવાય. ભગવાનનું નામ લેવા જાઉં ને ભગવાનને બદલે જોડામાં પરાવી રાખુ એ તેા ખાટુ' કહેવાય. દરે મન શેઠે એક સાધુને પેાતાની આ મુંઝવણ કહી. સાધુએ શિખામણ આપી: શેઠ, જોડાને લીધે જ તમારું ધ્યાન ભગવાનમાં ન રહેતુ. હાય તા બહેતર છે કે જોડાને ખગલમાં મારીને પછી મંદિરમાં જાવ, એટલે તમારા ધ્યાનમાં વિક્ષેપ નહિ પડે. શેઠને થયું. બીજા કોઈ સાધુ મહામાને હજી પૂછીએ તે સારું', સલાહ સહુની લેવી. શેઠ એક મહાત્માને મળ્યા. એ મહાભાએ શિખામણ આપી કે ‘જોડા મિથ્યા છે ૉડા માયા છે. પ્રભુ જ સત્ય છે, બધું મિથ્યા છે. એમ રટણ કર્યા કરે.” શેઠને થયુ કે વાત તે સાચી જોડા મિથ્યા છે, જગત મિથ્યા છે. પણ તૈય મદિરમાં શેઠ જાય. અને જોડા મિથ્યા છે જોડામિથ્યા છે. એમ રટણ કરે તૈય જોડામાં જીવ ય. છેવટે શેઠ ત્રીજા વૈરાગી પાસે ગયા. બૈરાગીને પેાતાના મનની મુંઝવણ કહી : બૈરાગીએ પૂછ્યું : “શેઠ, તમને ભગ વાન વહાલા છે કે જોડા ? શેઠ કહે : વહાલા તે ભગવાન જ હાય ને ?” વૈરાગીને શેઠ નદીના ‘પુલ ઉપર ગયા, શેઠને કહે, “હવે તમારા જોડા ઉતારા. ને એક પછી એક બંને જોડા નદીમાં ફેકી દો. શેકે વૈરાગીની સૂચના માની બન્ને જોડા નદીમાં ફેંકી દીધા. બૈરાગીએ કહ્યું, “બસ, હવે નવા જોડા ખરીદશેા નહિ. મદિરે જાવ. ત્યારે ઉઘાડા પગે જ જા. તમારા મનમાની જોડાની માયા હવે નદીમાં તણાઇ ગઇ. હવે નવી માયા વડેારશો નહિં, શેઠ બીજા દિવસે મદિરે ઉઘાડા પગે ગયા. ભગવાનનાં દર્શન કરતાં પળભર જોડા સાંભર્યા પણ એ તે નદીમાં વહી ગયા. એ યાદ આવતાં જ એમના ચિત્તમાંથી જોડાની માયા નીકળી ગઇ. શેઠ ભકતને ભાવપૂર્વક દેવદશ નમાં પરોવાઇ ગયા. શેઠ વૈરાગીને આ સુખદ અનુભવની વાત કરવા ગયા : ‘મહારજ, આજે ખૂબ આનંદપૂર્વક પ્રભુના દĆન કર્યાં. વરાગી હસી પડયા : શેઠ, તમે જોડાની માયા ત્યજી તો ભગવાનના દર્શનમાં આનંદ આવ્યેા. હવે તમે જગતની માયા મેલી ઢો તા તમને કેટલે બધા આનંદ આવે ? ધીમે ધીમે માયા મેલતા જાવ શેઠ! મુક્ત થઇ જશે.” (ગુજરાત સમાચાર ૨૭મી સપ્ટેમ્બર)
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy