SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૧-૨-૩ તા. ૧૧-૮-૯૨ આ રહયા એ વાચનાના કેટલાક શબ્દો તારક પરમાત્માએ મોક્ષ મેળવવા માટે જ શાસનની સ્થાપના કરી છે. ભગવાનનો છે. છે મુનિમાર્ગ અદ્દભુત છે. એ માર્ગે ચાલવામાં શરીર સહાયક છે, પરંતુ એ શરીરને વશ ૨ 8 થવાનું નથી. ઘરબાર–સ્વજન આદિ છેડયા પછી પણ આરાધનામાં આડે આવનાર છે છે શરીર જ છે. એની મમતા છેડવા ઈદ્રિયની આધીનતા છોડવી પડશે. ઈન્દ્રિયની છે પરાધીનતા એ કષાયોને હેતુ બને છે. - સંયમ તપ આદિ ગુણ મેળવવા કેટલા ઉદ્યમ કરો છો ? સંસારથી છૂટવા માટે છે સ્વજનેનો ત્યાગ કર્યો છે. માતા-પિતા સહુ પ્રથમ ઉપકારી છે. માટે અહીં આવ્યા પછી કે માતા-પિતાની સેવાથી જે લાભ થાય એના કરતાં વિશેષ લાભ થાય તે જ સાધુપણાની છે સફળતા છે. ગૃહસ્થપણામાં થતાં પરમાત્મ પૂજા, માતા-પિતાની ભકિત આદિ ધર્મો { છેડીને અહીં આવ્યા છીએ તો અહીં આવ્યા પછી આપણી જવાબદારી કેટલી બધી છે વધી જાય છે. સાધુ પણ સાધુપણામાં આવ્યા પછી સાધુપણાનું પાલન બરાબર ન કરે છે છે તે તે પાપ શ્રમણ કહેવાય છે એવાને માટે સાધુનો વેષ પણ દુગતિનું કારણ બને છે. $ શરીર-ઇન્દ્રિય આદિ મૂકીને સાધુ થવાય નહિ, પણ સાધુ થયા પછી એની સેવામાં જ ન જ લાગી જાય તે આશ્રવને પાર નહિ રહે અને પરભવમાં ડૂબવાનું જ થાય. 8 -જ્ઞાન-દર્શન અને ચારિત્રના પ્રયજન વગર સાધુથી આસન ઉપરથી ઉઠાય નહિ, છે છે બોલાય નહિ કે ચલાય નહિ. -તપ ચિંતવાણી કાર્યોત્સર્ગમાં આત્મા સાથે તપ સંબંધી વાતો કરવાની છે. તપની શકિત હોય છતાં તપ કરે જ ન હોય એને સાધુ કહેવાય ? - સાધુપણામાં વસ્ત્ર પાત્રાદિની શોભા, સંસાર વધારશે અને સંયમની શોભા વહેલામાં છે છે વહેલી “મુકિત અપાવશે.” પૂજ્યપાદશીના શુભ સાનિધ્યમાં તે પ્રવચન અને વાચના અને વ્યકિતગત સંપર્કથી રત્નત્રયીની આરાધના અને સાધના માટે પ્રેરણું મળતી જ, પરંતુ પૂજ્યપ દશ્રીની આજ્ઞા આશીર્વાદથી દૂર સુદૂર ક્ષેત્રમાં વિચરવાનું બનતું- ત્યારે પણ પત્રના માધ્યમથી કયાતે રેક કયારેક પૂ. પાદશ્રીની કૃપા પ્રસાદી મળતી હતી. શાસનની અનેકવિધ પ્રવૃત્તિઓની 8 વરો પણ પૂજ્યપાદશ્રી જાતે પોતાના અક્ષરોમાં હિત-શિક્ષા આદિ લખતા ત્યારે હું યુ છે ગદ્ગદ્ બની જતું- અહીં ! પૂજયશ્રી આપણી કેટલી બધી કાળજી રાખતા હોય છે. અનેકાનેક પુણ્યવંત આત્માઓને અન્યાયરૂપે રત્નત્રયીની આરાધના-સાધનામાં પ્રેરક- છે સહાયક બનતા પરમાર ધ્યપાદ પૂજ્યપાદશ્રીના પાદારવિંદમાં કે ટિકેટિ વંદના કરી.. પૂજ્યપાદશ્રી જયાં હોય ત્યાંથી કૃપા વરસાવતા રહે એજ એક અભ્યર્થના છે. -
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy