SearchBrowseAboutContactDonate
Page Preview
Page 986
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં ભેળા-ભદ્રિક 9 ફસાય નહિ અને પિતાની સાચી આરાધના દ્વારા આત્મ* કલ્યાણને સાધે તે જ શુભ હેતુથી સત્ય-સિદ્ધાન્તની રક્ષા અને પ્રચારના ઉદ્દેશથી આ કે “જૈન શાસન' સાપ્તાહિકનો ઉદ્દભવ થયો. શાસન રસિક અને સિદ્ધાન્ત રસિક વગે છે ? કે આવકાર આપ્ય; જે સાથ-સહકાર આપે તે વિચારતા પણ ગદગદ થઈ જઈએ છીએ. આ સાપ્તાહિકને પિતાનું આત્મીય ગણે હંમેશા તે સાથ-સહકાર આપશે તેવી અપેક્ષા છે રાખવી અસ્થાને ન જ ગણાય. જે મહાપુરુષે, આ સાપ્તાહિકને પોતાના હાર્દિક મંગલ આશીર્વાદથી અનેકવાર નવાયું છે અને મુકત કંઠે પ્રશંસાથી વધાવ્યું છે તે જ આની સફળતાની પારાશીશી છે છે અને અમારે માટે ગૌરવરૂપ છે. જે પુણ્યપુરુષના અદ્યાવધિ પ્રગટ-અપ્રગટ લેખેથી આ સાપ્તાહિકની સફળતાને ચાર-ચાર ચાંદ લાગ્યા છે અને ગુણ ગ્રાહી વાચકવર્ગ તેને જ વંછી રહ્યો છે તેને અમને પણ અનેરો આનંદ છે. બાકી દૂધમાંથી પોરા કાઢનારા ! તે “દયાપાત્ર” છે. ' પણ તે મહાપુરુષ ર૦૪૭ના અષાઢ વદિ-૧૪ ને શુક્રવારના અપૂર્વ સમાધિ સાધી, કે કે સમાધિને સંદેશ સુણાવતાં સુણાવતાં સ્વર્ગની વાટે સંચરી ગયા. તેઓ પૂજ્યશ્રીજીના ૪ વિરહનું દુઃખ સૌ કઈ ભકતવર્ગને થાય તે સહજ છે. | દર મંગળવારે પ્રગટ થતું આ સાપ્તાહિક છે અને યોગાનુયોગ તે પુણ્ય પુરુષની પ્રથમ વાર્ષિક તિથિ અષાઢ વદિ ૧૩-૧૪ ને મંગળવારના જ આવે છે. તેથી તેઓ- ૪ શ્રીજીના અનહદ ઉપકારોની સ્મૃતિ નિમિત્તે તથા યત્કિંચિત્ ઋણ મુકિત અને ગુરુભક્તિ છે નિમિત્ત, પ્રથમ વાર્ષિક સ્મૃતિ અંક પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ. અને ૪ પાંચમા વર્ષના મંગલ પ્રારંભે તેઓ પૂજ્યશ્રીજીને શ્રદ્ધાંજલિ અર્પતે દળદાર વિશેષાંક પ્રગટ કરવાનો અમેએ શુભ નિર્ણય પણ કર્યો છે જેને વાચકે હીયાના ઉ૯લાસ-ઉમંગથી જરૂર વધાવશે જ એવો આશાવાદ પણ સેવીએ છીએ. શ્રી જૈન શાસનની અંદર દરેકે દરેક પરમોપકારી મહાપુરુષોની સ્વગતિથિ છે તે જ આરાધ્ય ગણાય છે અને ધમવર્ગ તેને જ પ્રધાન રાખીને યથાશકિત તપ-૫, જ ગુણાનુવાદ અને પ્રભુભકિત આદિ અનુષ્ઠાનની આરાધના કરે છે. એજ રીતે આ મહાન ઉપકારી શાસનના કેહીનુર પૂજ્યપાદશ્રીજીની પણ સ્વર્ગતિથિ ભારતભરમાં ઠેર ઠેર ઉજવાશે અને તે દિને શક્ય તપ જપ અને પ્રભુભકિત અને પૂજ્યશ્રીજીના ગુણાનુવાદ દ્વારા સૌ સફળ બનાવે એજ અભિલાષા. શ્રી જૈન શાસનને જે રીતે શાસન રક્ષાદિના કાર્યમાં શાસન પ્રેમીઓ સહકાર આપતા રહ્યા છે તે રીતે આપતા રહે એ જ માગણી સાથે આ ચેથા વર્ષની વિદાય સંધ્યાની સફળતા માટે આનંદ વ્યકત કરતા શાસન સેવાના મનોરથને તાજો કરીએ છીએ. આ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy