SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ { આવે? શ્રી સિદ્ધ પરમાત્માનું જ સ્વરૂપ છે તે જ જીવમાત્રનું સ્વરૂપ છે તેવું બોલનાર 5 આપણે જે આપણું સ્વરૂપ શ્રી સિદ્ધ પરમાત્મા જેવું છે તેમ માનીએ નહિ, સમજીએ નહિ. 8 વિચારીએ નહિ, તેવું સ્વરૂપ પ્રગટ કરવાને ઉદ્યમ પણ કરીએ નહિ તે આવા કલ્યાણક 8 ઉજવવાનો અર્થ શું? ભગવાન શ્રી મહાવીર પરમાત્માના આત્માએ પણ તેવી જાતિને ઉદ્યમ કયા ભવ. 5 માં શરૂ કર્યો તે જાણે છે ? તે ભવમાં તે ભગવાનના શાસનમાં ન હતા જમ્યા, માત્ર | ભગવાનના સાધુને સમાગમ થયેલો. આર્યદેશ-આર્યજાતિ અને આર્યકુળમાં જન્મેલા અને આર્યસંસ્કારને પામેલા જીવ સિદ્ધ થવાની, મેક્ષે જવાની ભાવનાવાળા હોય છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના ભવની ગણત્રી શ્રી જિનેશ્વર દેવના શાસનમાં નયસારના ભાવથી થાય છે. તે પહેલાના અનંતાભવની ગણત્રી કરી નથી અને કરવા માંડે તો થાય તેવી જ નથી. નયસારના ભાવમાં તેઓ સમ્યક્ત્વ પામ્યા તે પૂર્વે અને તે કાળ ભટકયા સુખમાં નાંચી, દુઃખમાં રોઈ, પાપ કરી કરીને દુખી થયા. આવું સાંભળવાની સામગ્રી મળ્યા પછી પણ તમને આ સંસારથી વિવેક જન્મે છે? સંસારથી ઝટ ભાગી છૂટવું અને મેક્ષે જવા મહેનત કરવી તેનું નામ વિવેક આર્યો મેટેભાગે સંસારથી ઉદ્વેગ પામેલા હેય, તેમની પ્રવૃત્તિ ભગવાનના સાધુને છે સમાગમ ન થયા હોય તો પણ સારી જ હેય. આર્યદેશ આર્ય જાતિ અને આકુળ- 5 માં જનમવાથી સ્વાભાવિક વિકાસ થવાથી તે સારા જ હોય. જે સ્વાભાવિક જ સારી છે પ્રવૃત્તિ કરતા હોય અને ખરાબ પ્રવૃત્તિથી દૂર રહેતા હોય તેને જ આર્યદેશ-આર્ય જાતિ 8 છે અને આર્યકુળ ફળ્યાં કહેવાય. બાકીનને આર્યદેશાદિ કુટયા કહેવાય આજે આર્યદેશ-આર્યજાતિ આયકુળની કિંમત ઓછી આંકવામાં આવે છે. ઘણાં 5 માને છે કે, આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ જેવું કાંઈ છે જ નહિ. આર્યદેશ છે? આર્યજાતિ છે? આર્ય કુળ છે? તેને ફાયદે શું તે તમારા અનુભવમાં નથી ? નયસારમાં ! જે ચાર ગુણ હતા તે તે આર્યદેશ-જાતિ-કુળમાં જન્મેલાં માટે સહજ છે. જે તેને તે છે સહજ ન લાગે તે તેને આર્યદેશ-જાતિ કુળને અનુભવ પણ નથી. આ ગુણ ન હોય ! તેની દેવ-ગુરુ-ધર્મની આરાધનાની કુટી કેડિની કિંમત નથી જાતિ-કુળ તે ગુણને ખીલવવાના સાધન છે. આજે સ્કુલ-કેલેને શું કામ બનાવે છે? જે કઈ જગ્યા { પછી તે સામગ્રી ગુણના વિકાસમાં કામ ન આવે તે તે બધા તેફાનની જરૂર શી છે? A આર્યદેશ-જાતિકુળના સંસ્કારથી રહિત થયેલાઓએ સ્કુલ-કોલેજો પણ એવી બનાવી કે જેમાં ભણને આત્મા પાગલ જ થાય. ભગવાન શ્રી તીર્થંકર પરમાત્માઓ આર્યદેશમાં જ, આર્યજાતિમાં જ, આર્યકુળ4 માં જ થાય છે. તેમાંય માંગણ આદિ જાતિ કે કુળમાં થતા જ નથી. તમે દર વર્ષે શ્રી કલ્પસૂત્ર સાંભળે છે તેમાં આ વાત સ્પષ્ટ કરી જ છે. ગુણ વગરને અહીં આવે તે ?
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy