SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની પાસે દીક્ષા પામી આચાર્ય પદવી સુધી પહોંચી ઘણય શાસનની પ્રભાવના ? કરતા કરતા ઘણું કામ કરી ગયા. ઘરે કહ્યા વિના નાશી જઈ તેમની પાસે ઘણાંએ દીક્ષા લીધી હતી. આખા કુટુંબેએ પણ સંસાર છોડી દીક્ષા લીધી હોય તેવા પણ ઘણુ બનાવ બન્યા હતા. જ ભયંકર માંદગીમાં પણ તેઓ આરાધનામાં લયલીન રહેતા. તેઓના પ્રવચનના ૧૦૦ ઉપરાંત પુસ્તકે પ્રસિદ્ધ થયેલા છે. તેઓની સામે કાળા વાવટા, કાચના ટુકડા ફેકવા, મારી નાખવા સુધી પ્રયત્ન થયા પણ છે જ પુણ્ય બળે તેઓ તેમાં પાર ઉતરી ગયા. છે સંસાર અસાર છે, સંયમ સાર છે. મોક્ષજ મેળવવા જેવો છેસંસારનું સુખ ભયંકર છે છે. દુઃખ વેઠી લેવા જેવું છે. સુખ છોડે દુ:ખ વેઠે. આ વાત તેમના પ્રવચનમાં તે સદા હેય. તેમના વચને વચને શાસ્ત્રની જ વાત આવતી. - શાસન સામે આવેલી ગમે તેવી આપત્તિ સમયે એકલવીર થઈ ઝઝુમ્યા છે. તેઓની ઉપર અસાધારણ ગુરુકૃપા ઉતરી હતી. યાદશક્તિ તીવ્ર હતી. વિરેધના વાવંટળની સામે તેમની વેધક વાણી એવી નીકળતી કે ભલભલાના છે R વિરોધ સમી જતાં. બાળ દીક્ષા બીલ સામે જેહાદ જગાવી હતી. છે તેઓની પ્રવચન સભામાં ગમે તે અટપટે સવાલ પૂછે કે તુરત હાજર જવાબ. આપી સભાને એમ થઈ જાય કે જવાબ તે આ જ હેય. પિતાના પ્રાણ કરતા જેન સિદ્ધાંતને મહાન માનતા. સિદ્ધાંત જગતના જીવનું કલ્યાણ છે કરનાર છે. તેમાં ફેરફાર કરવાને કેઈને પણ અધિકાર નથી. એવી મર્દાનગી ભરી વાતે તેમના પ્રવચનમાં સદા આવતી. તિથિ પ્રશ્નમાં તેઓએ જીવનભર જરાપણ છુટછાટ કરવા તૈયાર ન હતા. તે માટે આ તેમને ઘણા કરી ઝઘડાર કહેતા. આ કહેતા શાસ્ત્ર લઈ આવી જાવ. તિથિ પ્રશ્ન માટે લવાદિ ચર્ચામાં તેમનો ધરખમ વિજય થયો હતે. છે દેવ દ્રવ્ય, સાધારણ દ્રવ્ય ગુરુ પૂજન દ્રવ્ય વિગેરેની ચુસ્ત શાસ્ત્રીય માન્યતામાં B સંઘને સ્થિર રાખી સંઘને દેવદ્રવ્ય આદિના ભક્ષણના પાપમાંથી ઉગારી લીધું અને મુનિઓને પડતા બચાવ્યા. ભગવાનની પૂજા પિતાના દ્રવ્યથી જ કરવી જોઈએ, જેનાથી રાત્રે ખવાય નહિ, કંદમૂળ છે ખવાય નહિ, બે ટાઈમ પ્રતિક્રમણ કરવું જોઈએ. ભગવાનની આજ્ઞા માને તે સંઘ ન કહેવાય આવું તે હંમેશાં સમજાવતા. - તેમનાથી ધર્મ સમજેલા એવા પાકા ઘડાઈ જતા કે ધર્મથી કદી ચલિત થતા નહિ. શ્રાવકે પોતાના પૈસાથી દેરાસર, ઉપાશ્રય બનાવવા જોઈએ. આવી ધર્મવાણું શ્રાવકને સંભળાવતા.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy