SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯. : શ્રી જૈન શાસન (અઠવાડિક) પૂર્વક આપત્તિઓને સહી લેવાની સત્વશીલતાના વેગે એ વિન્નેની હારમાળાને વટાવીને પૂજ્ય નિશ્ચિત સ્થાને આવી પહોંચ્યા. વિશુદ્ધ મેક્ષમાર્ગની દેશનાને અવિરત પ્રવાહ શરૂ થશે. શરૂ-શરૂમાં ઘોંઘાટ વીએ, પરંતુ જેમ જેમ દિવસે જવા લાગ્યા, તેમ તેમ હવા બદલાવા લાગી. લોકેને કેઈ અપૂર્વ ધ્વનિ સાંભળવા મળે. ધમજનોના હૈયા આનંદ અનુભવવા લાગ્યાં. ઉન્માર્ગે ખેંચાઈ ગયેલા અનેક ભદ્રિક લોકો સન્માર્ગમાં સુસ્થિર બનવા લાગ્યા. પરિણામે ચેડા કટ્ટર દ્વેષીઓ વધારે આક્રમક બન્યા. ધર્મના પ્રચારને રોકવા જાતજાતના ઉપાયને આશ્રય લેવા લાગ્યા. નનામિ પત્રિકા દ્વારા જૂઠાં કલંકે ઓઢાડી મહાત્માઓને હલકા ચિતરવાના અધમ પ્રયાસ પણ કર્યા. મિથ્યા આરોપ મૂકી આ મહાપુરૂષોને ન્યાયાલયના દ્વારે ખેંચી જવા સુધીની હદે પહોંચ્યા. પરંતુ આ મહાપુરૂષની જેવી ધીરતા હતી એથી જ વીરતા હતી. દુશ્મન પ્રત્યે પણ દયાની ભાવના હતી. આપત્તિના દરેક પ્રસંગમાં મેરૂની જેમ અડગ રહા અને શાસન પ્રત્યેની અવિચળ શ્રદ્ધાના બળે સર્વત્ર અજેય રહ્યા. એ કાળ જૂદ હતું, પૂજ્યશ્રીની તે વય જુદી હતી અને તે વખતનો ધમી વર્ગ પણ જુદા હતો. આપત્તિમાં ઉભા રહેનારા અને જરૂર પડયે પિતાના સર્વસ્વનો ભોગ આપનારા શ્રાવકે ત્યારે અનેક મળી આવતાં. આજે બધું બદલાઈ ગયું છે. કાળ ફરી ગ, પરિસ્થિતિ બદલાઈ ગઈ, સત્વ ઘટી ગયું, અવસરે સર્વસ્વ સમર્પિત કરવાની મનેવૃત્તિ ધરાવનારા શ્રાવકે બહુ ઓછા મળે, તેવા વખતે પણ આજે આટલા વર્ષો બાદ, જીવનનાં નવ-નવ દાયકા વટાવ્યા. પછી, ૯૬ વર્ષની અતિવૃદ્ધ ગણાય તેવી વયે, સઘળા આશ્ચર્ય વચ્ચે એ મહાપુરૂષ તે એના એજ રહ્યા છે. વયના વધવા સાથે એ મહાપુરૂષની ધીરતા, વીરતા, ગંભીરતા સત્વશીલતા આદિ વધ્યા છે, પણ ઘટયા નથી, એવું તેઓશ્રીની અત્યંત નિકટમાં રહેનારા અને પ્રસંગે પ્રસંગે પરિચયમાં આવનારા અનેક લોકો સાક્ષાત્ અનુભવી રહ્યા છે. - સિદ્ધાંતનિષ્ઠા આ મહાપુરુષને જીવનમંત્ર છે. શાસ્ત્ર જે વાતમાં સંમત ન હોય એવી કેઈ પણ બાબતમાં તેઓશ્રીના આવા અણનમ વલણને કારણે આજ સુધીમાં ઘણાની નારાજી પણ તેઓશ્રીની સંમતિ મેળવવા ગમે તેટલા પ્રયત્નો કઈ કરે તે પણ એ પ્રયત્ન કરનારા તેમાં ફાવી શકતા નથી. તેઓશ્રીના આવા અણનમ વલણને કારણે આજ સુધીમાં ઘણાની નારાજી પણ તેઓશ્રીને વહોરવી પડી છે. પરંતુ એની તેઓશ્રીએ કદી ચિંતા રાખી નથી. તેઓશ્રીના આવા વલણના કારણે જ ભકત ગણતા ઘણુ તેઓશ્રીના કટ્ટર વિરોધી બન્યા છે, તે વળી ઘણા વિરોધીઓ તેમના આ જ ગુણથી આકર્ષાઈને ભકતે પણ બન્યા છે. આમાં ખરેખર આશ્ચર્ય તો એ છે કે-ગમે તેવા વિરોધી બનનાર ઉપર પણ તેઓશ્રીના હૈયા માં લેશમાત્ર દુર્ભાવ નથી હોતે, પરંતુ તે પશુ કેમ સાચા
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy