________________
૫૪૮.
શ્રી જૈન હવે. કે. હેરડ.
AAAAAAAAAAAA
પ્રસિદ્ધ જૈન સાક્ષર રા. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ. એ. ગયા હતા, તેમણે ત્યાં વિરાજમાન પૂજ્યપાદ પ્રવર્તક મુનિ મહારાજથી કાતિવિજયજીની સહાયથી ઘણી પ્રત જઈ તપાસી તે પરથી ઉપયોગી ટાંચણ કર્યું છે કે જેને રિટે વડોદરા રાજ્ય તરફથી બહાર પડતાં એકાદ વર્ષ લાગશે. આ તપાસણીમાં એક સં. ૧૨૯૪ ની સાલમાં લખેલી તાડપત્રની નકલ (ઘણું કરી ત્રિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્રની) હાથ લાગેલી હતી, તેમાં ઉપરોક્ત બે ચિત્રો આપેલાં હતાં તે અને તે પ્રતના એક પૃષ્ઠના ફોટા રા. ચિમનલાલે ઉક્ત રિપોર્ટમાં મૂક્વા લેવરાવ્યા હતા કે જેની એક નકલ મને પ્રવર્તક શ્રી કાતિવિજય મહારાજ તરફથી મળી હતી. આ ગુજરાતી સાહિત્ય પરિષદુના પ્રદર્શનમાં મૂકવામાં આવેલ હતી; અને હભણ આ અંકમાં તે પ્રસિદ્ધ થાય છે. (પૃ. ૩૦૭ ).
૪ ઉપરની તાડપત્ર પરની પ્રતના પૃષ્ટ ને ફેટે છે. (પૃ. ૩૦૭ )
૫. વીસમી સદીમાં દશમી સદીને કારભાર ! (પૃ. ૩૭૧.) આમાં બે સદીનાં જુદાં જુદાં ચિત્રો તેના ભાવ સાથે ખડાં કરી એકત્રિત મૂકવામાં આવ્યાં છે, કારણ કે ૨૦ મી સદી કે જેમાં રેલ્વે અને સ્ટીમરદ્વારા ઉદ્યોગ અને વેપાર, પ્રયોગશાળા દ્વારા વિજ્ઞાન અને પદાર્થ વિદ્યા, મોટર આદિથી કાર્યની તત્પરતા અને ચંચલતા ચાલુ થઈ રહ્યાં છે અને તે સર્વની ઉપર ન્યાય તુલા સમાન પક્ષ રાખી લટકી રહી છે અને સર્વ સ્થળે ન્યાયબુદ્ધિથી દરેક વસ્તુ, હકીકત અને શાસ્ત્રકથનનું તેલન-પરિશીલન થાય છે. પાશ્ચાત્ય સુધારાને પ્રવાહ પ્રબલ વેગથી વહી રહ્યા છે, સમસ્ત દેશમાં તેની અસર પહોંચી ચૂકી છે. આ વખતે હૃદયમાં નિસીમ સાહસ તથા અનંત બળ પ્રેરી શકે એવા પ્રબળ કર્મવેગની જરૂર છે. કાયરપણું અને હીચકારાપણું, લોકભય અને કાપમાન ત્યજવાનું છે;
“દિત નાબત એ અભયવાણી ગામે ગામે, અને દેશ દેશે કરીને લોકોને સંભળાવવી જે મળે તેને ઘડી વાર ઉભે રાખી કહેવાનું છે કે “તમારામાં અનંત શૌર્ય અનંત વીર્ય અને અનંત ઉત્સાહ રહેલાં છે, તથા તમે અમૃતના–મોક્ષના અધિકારી પણ છે. આ પ્રમાણે સર્વ પહેલાં રજોગુણની-ક્ષાત્ર તેજની ઉદીપના કરવાની જરૂર છે.”
પરંતુ અફસોસની બીના છે કે તેમાં જે અધકારનું જોર દસમા સૈકાનું ગણવામાં આવે તે પણ વીસમી સદીમાં પિતાને કારોબાર પૂર જેસથી ઘણે સ્થલે ચલાવી રહેલ છે. અહીં દશમા સૈકાનું નામ આપ્યું છે તે કંઈ તે સૈકામાં એવું જ હતું માટે આપવામાં આવ્યું છે એમ નથી, પરંતુ પૂર્વકાળની અને ઘણાં હજારો વર્ષોથી સંક્રમિત થયેલા જે આળસ, અજ્ઞાન અને અનાચારથી દેશની દુર્દશા જોવામાં આવે છે તે બતાવવા અર્થે નામ માત્ર આપવામાં આવેલું છે. અને તે પણ હાલના સમયની સાથે સંબંધ રાખીને. વચમાં બુદ્ધિશન્ય બાદશાહને બેસાડવામાં આવેલો છે અને તેને ન્યાય એક તાજવાથી બીજું તાજવું ચડી જાય ત્યાં નમી જાય એ અસ્થાયી છે તેથી તેના ખુશામતીઆ જૂદી જૂદી જાતના ને નાતના શેઠીઆઓ કે હજૂરીઆઓ, જુદા જુદા દેશની પાઘડી પહેરી પોતાના દેશ ઓળખાવતા તે બાદશાહને માનપત્ર આપે છે– એક વાંચે છે અને બીજા તેને સાંભળે છે, ટેકો આપે છે. જ્યારે તેની પ્રજાજનમાં – અંધેરી નગરીના ગંડુ રાજાના રાજ્યમાં શેઠીઆઓ–પટેલીઆએ પિતાની નાતના માણસને