SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ શ્રી જૈન વે. કે. હેડ. AAAAAAAAAAAAAAAAAAAA આવી હતી. તે સમયે જ મ્હારા મનમાં એવી ભાવના આવી હતી કે સાહિત્ય-પ્રદર્શન જેવા મેળાવડાઓમાં આ ચીજો મૂકવામાં આવે તે તજજ્ઞોના જ્ઞાનમાં વિશેષ વધારે થાય તેમ છે. એક ભંડારમાં કપડાના પાના ઉપર લખેલો એક ગ્રંથ જોવામાં આવતાં બહુજ ગમેદાશ્ચર્ય થયું હતું. ગાયકવાડી કેળવણી ખાતાના ઉપરી મસાણ સાહેબ પાટણ આવેલા હારે મહું હેમને તે પુસ્તક દેખાડયું તે તેઓ પણ જોઈ બહુ ખુશ થયા હતા. મતલબ કે, આવી અનેક વસ્તુઓ છે કે જે સાહિત્ય અને ઈતિહાસની દૃષ્ટિમાં બહુ મહત્ત્વવાળા ગણિ શકાય. હેરલ્ડના ખાસ અંક માટે કોઈ લેખ મોકલવા સુચના કરી તે તરફ લક્ષ્ય તો છે પરંતુ તે વિષયમાં સફળ પ્રયત્ન થવું તે, તદુ તદ્ વિષયનાં અપેક્ષિત અન્ય બીજા સાધનાના સદભાવ ઉપર આધાર રાખે છે. સાહિત્ય કે ઇતિહાસના સંબંધમાં કોઈ પણ લેખ યા નેંધ લખવા માટે કેટલાં સાધનની જરૂર રહે છે એ હમારા જેવા સાહિત્ય-રસિક વિદ્વાનને “મહાવીર ' ના વિષયમાં લખતાં જે અનુભવ મળ્યો હશે તે કાંઈ ન્યૂન નહિં હોય ! મહારી પાસે કેટલીક ગ્રંથ પ્રશસ્તિઓ છે કે જે મેં પાટણના પુસ્તકો ઉપરથી ઉતારી લીધી છે અને કેટલીક ઉપયોગી પણ છે પરંતુ તે બધી અન્ય સ્થળે હોવાથી તેમજ જલ્દી મળી શકે તેવી સ્થિતિમાં પણ ન હોવાથી ઉપાયશન્ય છું. મહારા મનમાં એક વખતે વિચાર આવ્યું હતું કે તે બધી પ્રશસ્તિઓ હમને એકલી આપે છે જેથી કોઈ ઉપયોગમાં આવે પરંતુ પાછળથી આળસમાં એમનું એમ વિસ્મરણ થઇ ગયું. જે બની શકશે તે આગત ચાતુર્માસમાં તે વિષયમાં લય રાખીશ. વખતે વખત હમારા આવા સુપ્રયત્ન માટે બહુ અનુમોદન થાય છે. પરંતુ જૈન પ્રજા આગળ પ્રગતિના પકાર કરવા તે અરણ્યરૂદન જેવું હોવાથી, એ જ દિશામાં આગળ પગ ઉચકવા માટે ચિત્ત બહુ ઉત્સાહ નથી દાખવતું. સાચું સત્ય સાંભળવા માટે સર્વજ્ઞના પુત્રો અણગમો દાખવે એ આ કલિનો જ મહિમા છે. * ઉપદેશમાળાના કર્તા કેશુ?” એવી રાની શંકાએ તેમના સમકાવને કેટલું બધું હસાડી મૂકયું છે એ તેમનું જ મન જાણે ! આ પ્રવૃત્તિમાં પ્રવર્તતાં રખે આવું કાંઈ પરિણામ નિપજી આવે તો ? કારણકે મિથ્યાત્વીઓના પ્રવર્તાવેલા ઐતિહ્યતવે સમગ્ર પારાણુક મંડળમાં એવા જ પ્રકારની હિલચાલ મચાવેલી જોવામાં આવે છે ! અસ્તુ. વિશેષ પરિચય વગર પણ હમારી સત્યપ્રિયતા–કે જે લેખાદિમાં જોવામાં આવે છે–એ, આમ હદયપદને વિકસ્વર થવા દીધું છે તે આનંદાશ્ચર્ય જનક છે. અંતેહમારી કરેલી સૂચને લક્ષ્યમાં છે અને અનુકુળ સંગે મળશે તે યથા શક્તિ પ્રયત્ન કરવા મન:પ્રેરણું છે એટલું જણાવી વિરમું છું. રામત 'पुरिसा ! सच्चमेव समभिजाणाहिः सञ्चस्साणाए उवडिओस मेहावी मारं તરતો નમિનાવાર રે માપતિ ( હે પુરૂષ! તું સત્યનું જ સેવન કર, કેમકે સત્યના ફરમાનથી જ પ્રવર્તતાં થકા બુદ્ધિમાન મનુષ્યો સંસારને પાર પામે છે, અને ધર્મ પ્રાપ્ત કરી શ્રેય સંપાદન કરે છે. ) ' કમળ માવા-- --શ્રી મારી * કારણ કે સર્વ કહેલું છે કે “ સંપા. અત્ત નાસિ' ||
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy