________________
શ્રાવક-કવિ ઋષભદાસ.
બહુ વસ્તિથી દીપ, અમરાપુર તે હેય, શાહ જહાંગીરજ પાતશાહ, નાથ નગરને જોય. ૩ નગર ભલું 'બાવતી, દિન દિન ચઢતે વાસ, ષભ કહે તિહાં જેડીઆ, ભરતેશ્વરને રાસ. જ ૪ X
ભરતબાહુબલિ રાસ રચ્યા સં. ૧૬૭૮
હાલ જ્યારે ખંભાત નામ કેમ પડયું તેને માટે ગુજરાતી સાહિત્યનાં માસિકોમાં જુદા જુદા વિદ્વાન તરફથી ચર્ચા ચાલી હતી, ત્યારે ખંભાતની સંવત સત્તરમા સૈકામાં રચના કેવી હતી, ત્યાં જનસ્થિતિ, રાજસ્થિતિ, લોકોને પહેરવેશ તે વખતે કેવા પ્રકારનાં હતાં તે જાણવું વિશેષ ઉપયોગી થશે. ઉપરનાં વર્ણને તાદ્દશ અને કવિકલ્પનાજન્ય અતિશયોક્તિથી રહિત છે. જનસ્થિતિ જણાવતાં કવિ લે કે કેવી જાતનાં ઘરેણું (પટોળાં, ત્રણ આંગળ પહોળા એવા કંદરા, સોનાનાં ભાદળી, સોનારૂપાની સાંકળી, હાથમાં વીંટી ને બેરખા વગેરે ) પહેરતા હતા. લૂગડાં ( ઝીણું જંગા-જધા, કેડ રેશમી દેર–છઠી, તે ઉપર પછેડી અગર ફાળીયું અગર પામરી, ઓઢવાની શાલ, માથે બાંધવાની પાંત્રીશ ગજ લાંબી પાઘડી વગેરે ) પહેરતા, પગે કાળા ચામડાના સુંવાળા જોડા પહેરતા-એ સઘળું યથાસ્થિત દર્શાવે છે. ઘરે જાળી વાળાં હતાં. ખંભાત પાસે દરિયો હતો અને મોતી પરવાળાં ઉપરાંત અનેક જાતને માલ વહાણો મારફત આવતા અને જતો-આથી વેપારીઓ પુષ્કળ હોઈ દુકાને અને વખાર ઘણી રાખતા. વેપારીઓમાં ઝવેરી, પારખ, દોશી વગેરે હતા, સિક્કામાં રૂપિયા અને દેકડા વપરાતા, નગરને ત્રણ પિળ-દરવાજા વાળો કોટ હતું તેમાં રાશી ઍટાં હતાં અને વચમાં મોટે એક હતો કે જે “માણેકચોક તરીકે ઓળખાતા. માલનું દાણ લેવા માટે મોટી માંડવી હતી અને બંદર હોવાથી મજબૂત કુરજે બાંધેલ હતે જૈનોની વરતી ઘણું હતી એ તેમાં ૮૫દેરાસર અને ૪૨ કે ૪૫ પૌષધશાળા–ઉપાશ્રય હતાં એ વાત પરથીજ જણાય તેમ છે, આ સિવાય અન્ય ધર્મોનાં-હરિમંદિર ઘણાં હતાં અને જુદાં જુદાં દર્શનના પંડિતે પણ હતા–અરસ્પરસ રાગદ્વેષ નહિ હતો - પ્રેમ હતો. જેમાં ધનાઢયો ઘણા હતા અને તેથી પ્રાયઃ ઘણાં “સ્વામીવાત્સલ્ય” (જમણવાર) થતાં, તેમજ વરા–વિવાહ કારજ આદિ પ્રસંગે પર અને દાન કરવામાં અતિ ધન ખર્ચતા. તે શ્રાવકો ધાર્મિક ક્રિયા ઘણી કરતા અને મુનિઓના રાગી હોઈ તેમને વ્યાખ્યાન-ઉપદેશ પ્રેમથી શ્રવણ કરતા. ન્યાયી લોકપ્રિય જહાંગીર બાદશાહ (સને ૧૯૦૫ થી સને ૧૬૨૭) ને શાંત અમલ હતું તેથી રૈયત ઘણું સુખી હતી, વસ્તુની સેંધારત સારી હતી અને વેપાર ધીકતે હેઈ ખંભાત દિન દિન ચઢતો વાસ–આબાદ થતું જતું હતું. ખંભાતની જે સાત ચીજ વખણાતી તે જણાવે છે કે –
* આ ઉતારે આનંદકાવ્યમહેદધિ મૌક્તિક ૩ જુ-એ નામથી મુકિત થયેલ પુસ્તકને પૃષ્ઠ ૧૩ થી ૧૦૫ માંથી લીધેલ છે.