SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય. ૨૭૭ પણ પ્રાચીન ગુજરાતી ભાષાનાં કાવ્યો હાથ લાગવાથી હવે નવી ગુજરાતી ભાષાના આદિ કવિ ઉદયવંત અને જુની ગુજરાતી ભાષાના આદિકવિ દેવગિણિ ક્ષમા શ્રિમણને તથા કવિ પિતામહ તરીકે ભગવાન મહાવીરના શિષ્ય સુધર્મ સ્વામીને ગણવામાં આવે, અને ગુજરાતી ભાષાના આદિ વૈયાકરણ તરીકે કલિકાલ સર્વશ, પંડિતવર્ય શ્રીમાન હેમચંદ્રાચાર્યજીને ગણવામાં આવે તે એથી કેઈએ દિલગીર કે આશ્ચર્ય પામવા જેવું નથી. કુદરતના નિયમાનુસાર લાયક માણસને લાયક માન મળવું જ જોઈએ. કુદરતના આ નિયમ પ્રમાણે ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે ઉદયવંતને અને આદિ વિયાકરણ તરીકે શ્રીમાન હેમચંદ્રાચાર્યજીને ગણીને તેમને જ તે પદાને ઇલકાબ આપવામાં આવે છે. પ્રાકૃત ભાષાના આદિ વક્તા તે ભગવાન મહાવીર સ્વામી છે કે જેઓ ઈ. સ. પૂર્વે પ૨૭ વર્ષ ઉપર હૈયાત હતા. જૈન કોમમાં આજે તેમને ૨૪૪૦ ની સાલ તરીકે વિરસંવત કહેવાય છે. રા. બા. હરગોવિંદદાસભાઈ લખે છે કે “જેનોએ સંપૂર્ણ આશ્રય લીધે ત્યારે ગુજરાત, કાઠિઆવાડમાં જંગલી લોકો વસતા હતા અને જૈનધર્મ સર્વત્ર પ્રસર્યો હતો એ મુખ્ય વાતો ઇતિહાસ તપાસતાં ખરી ઠરતી નથી.” આ કથન છે કે સ્થલ દષ્ટિવાળાને કાંઇક અંશે સોય જેવું જણાશે પણ જેઓએ ઇતિહાસના ગ્રંથનું સૂક્ષ્મ અને નિષ્પક્ષપાત પણે અવલોકન કરેલું હશે તેમને તો એમજ ખાત્રી થશે કે જૂના વખતમાં ગુજરાત અને કાઠિઆવામાં જંગલી લોકો વસતા હતા તથા મારફેડ, લૂંટફાટ અને અંધાધુંધીથી દેશ પૂર્ણ ભરેલો હતો. જેમ જેમ આ દેશમાં જૈન ધર્મ વૃદ્ધિ પામતો ગયો તેમ તેમ શુદ્ધ સંસ્કારોથી દેશ સુધરતો થયો છે. માત્ર થોડાંક વર્ષમાં જ વેદ ધર્મધ્વજ ફરકાવી આખા ભારતવર્ષમાં કાશ્મીરથી રામેશ્વર સુધી અને દ્વારિકાથી જગન્નાથ પુરી સુધી દિગ્વિજય કરનાર, સંસ્કૃત લેખનમાં પહેલો નંબર ધરાવનાર આદિ શંકરાચાર્યને આજે ૨૩૭૮ વર્ષ થયાં છે એમ શ્રી દ્વારિકાની શારદાપીઠના શંકરાચાર્ય શ્રીમન્માધવતીર્થ સ્વામીની પત્રિકામાં છાપેલ આદિ શંકરાચાર્યજીના સંવત ઉપરથી જણાય છે. શંકર દિગ્વિજય નામક ગ્રંથો પૈકી એક આનંદગિરિએ અને બીજે માધ્વાચાર્યે રચેલ છે તેમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે આદિશંકરાચાર્યજીની પહેલાં આખા ભરતખંડમાં જૈન અને શ્રદ્ધમત સર્વત્ર દિગ્વિજય કરી રહ્યા હતા. આદિશંકરાચાર્યજીના પ્રયાસ વડે, બૈદ્ધધર્મ કે જે જૈનધર્મના એક ફાંટા રૂપ હતો એમ ડોકટર હંટર સાહેબે સુધારીને છપાવેલા હિંદના ઇતિહાસમાં સ્પષ્ટ લખ્યું છે એ બૈદ્ધધર્મને હિંદમાંથી નાશ થયો પણ દ્ધધર્મના પણ મૂલરૂપ નધર્મ તે ચાલુજ રહ્યા. જ્યારે શંકરાચાર્યજી તરફથી જૈનધર્મ ઉપર અતિહાડમારી અને જુલમ શરૂ થયો ત્યારે જેવી રીતે જરાસંઘની હાડમારીથી ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકાનું શરણ લીધું હતું તેવી જ રીતે જનધર્મી વીતરાગ પુરૂષોએ પિતાના પ્રાચીનતમ તીર્થરૂપ સૌરાષ્ટ્રનું શરણ લીધું. જેને જ્યારે સૌરાષ્ટ્રમાં રહેવા આવ્યા ત્યારે આ દેશમાં મૂલવતની તોફાની અવસ્થામાં રહેતા હતા. જેના આગમનથી સૌરાષ્ટ્ર દિન પ્રતિદિન સુધરવા લાગ્યું હતું. આવી સ્થિતિ છતાં છે. બા. હરવિંદદાસભાઈ જણાવે છે કે “ગુજરાત અને કાઠિવાડ કોઈ કાળે પણ
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy