________________
૪૪
શ્રી જૈન વે. કા. હેરલ્ડ.
જૈન સંસ્કૃત સાહિત્યની અંદર ખીજી એ ખૂબી છે કે જુદી જુદી ભાવનાઓને સમાસ કરી જે ભાવના ઉચ્ચ હોય તદ્દનુસાર કર્તવ્યના મેધ કરવા તે ભાવનાને વિશેષ પલ્લવિત કરવા સારા પ્રયત્ન કરવામાં આવેલો હોય છે. કેટલાએક એવા લેખે છે કે, જો તે અભ્યાસની દ્રષ્ટિથી વાંચવામાં આવ્યા હોય તે તેમાંથી વાંચકને ઉભય લાકના કર્તવ્યને ઉચ્ચ એધ થઈ શકે છે. મહાત્મા પ્રભાચદ્રસૂરિ એ પ્રભાવિક ચરિત્ર વગેરે લેખામાં તેવા અનેક પ્રસગેા લીધેલા છે. પ્રેમ, અતઃકરણની લાગણી, અને ધૈય એ ત્રણ વસ્તુઓ ઉપર ઘણાં સસ્કૃત લેખા જૈન ધર્મ મહેાધિમાં તરંગની જેમ ઉછળતા જો વામાં આવે છે. મિનિવાણુ ના કર્તાએ એ વિષે બહુજ સ્ફુટ કરેલું છે. મનુષ્યના જીવનનું સર્વ રહસ્ય પ્રેમ, આ ભાવ અથવા યામાં છે, અને તેની વૃદ્ધિ કરવી એ પ્રત્યેક મનુષ્યનુ કર્તવ્ય છે. પરિણામે દયા પ્રેમની જ પોષક છે, અને અંતિમ હેતુ સિદ્ધ કરવાના રાજમાર્ગ પણ પ્રેમજ છે. જેને પોતાના સર્વાત્મ ભાવના પૃ અનુભવ થયેલા છે તેજ મનુષ્ય છે, એ વાત મિનિર્વાણના લેખમાં બહુ આવે છે.
વિક્રમના બારમા સૈકામાં શ્રી જિનદત્તસૂરિ, મહાન પ્રભાવિક થઈ ગયા છે, તેમણે ચિત્રટ ( ચીતેાડ ) માં રહી સંસ્કૃત સાહિત્યના મહાસાગરનું ભારે મથન કર્યું હતું તેમણે સદેહ ઢાલાવલિ વગેરે ઘણાં ગ્રંથો રચેલાં છે. તેમના બીજા લેખે। દ્રષ્ટિગત થતા નથી પરંતુ જે લેખ ઉપલબ્ધ થઇ શકે છે, તે ઉપરથી સમજાય છે કે તે મહાત્માના વિચાર। ઘણાજ અદ્ભુત અને માનવ જીવનની ઉન્નતિના સૂચક છે. તે મહાત્માએ મનુષ્ય જવનની ઉપયાગિતા વિષે લખીને સંસ્કૃત સાહિત્યને સુગાભિત બનાવ્યું છે. સમસ્ત મનુષ્ય જીવનનું રહસ્ય પ્રેમ—ધ્યા છે, એનેજ નિરંતર પાળવાથી તે એક વિશ્વવ્યાપક વૃક્ષ બની જાય છે, એ હેતુથી જે છવતા હોય તેજ ખરેખરા જીવિત ધારી છે. જે એથી વિરૂદ્ધ માર્ગે ગમન કરનારા છે એટલે કેવળ ઈંદ્રિય સુખાર્થેજ જીવવાની ઇચ્છા રાખનારા હોય છે, તે વિતધાર છતાં મૃત છે. એક મહાત્મા એજ ઉદ્દેશથી લખે છે કેઃ— प्रेम्ण परोपकारेच जीवनं जीवनं भवेत् ।
यत्विन्द्रिय सुखासक्ति जीवने मरणं हि तत् ॥
શબ્દા --
પ્રેમ અને પરાપકારમાં જે જીવન છે, તેજ જીવન કહેવાય છે, અને જે ઇંદ્રિય સુખમાં આસક્તિ તે જીવન પણ મરણુ રૂપ છે.
મહાત્મા જયસાગર ઉપાધ્યાય તેજિનદત્ત સુરિની કૃતિના મહાન ટીકાકાર થઇ ગયા છે. તેમના પ્રશસ્તિના લેખ ઉપરથી જણાય છે કે, તે પણ સંસ્કૃત સાહિત્યના પરમ ઉપાસક હશે. આ મહાત્માના ઇતિહાસ ઉપરથી એમ જણાય છે કે તે કાળે કેટલીએક શ્રાવિકાએ પણ સંસ્કૃત સાહિત્યનું સારૂં જ્ઞાન ધરાવનારી હતી, મહાત્મા જિનદત્ત સૂરિ સદેહ દોલાવિલ નામના ગ્રંથ એક વિદુષી શ્રાવિકાના પ્રશ્નો ઉપરથી જ ઉપજેલા છે. તેને માટે ટીકાકાર જયસાગર ઉપાધ્યાય પોતાની ટીકામાં નીચે પ્રમાણે લખે છેઃ—
" श्री वीठणहिंडा नगर वास्तव्या काचित्पुण्यमति परमखरतर श्राविका आत्मगुरुपदिष्टधर्मानुष्ठाननिरता वसतिस्म । अथ विविध गच्छवास साधुजन× આ પદ્મ કર્ણ પરંપરાથી સાંભળ્યું છે.