SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. " से भयवं तहारुवं समणं वा माहणं वा चेइयधरे गच्छेज्जा ? हंता गोयमा दिने दिने गच्छेज्जा. से भयवं जत्थ दिने न गच्छेजा तब किं पायछित्तं हवेज्जा ? गोयमा पमाय पच्च तहारुवं समणं वा माहणं वा जो जिणधर न गच्छेजा अहवा दुवालसमं पायछित्तं हवेज्जा. ૪૩૮ k અથ હે ભગવાન! તથારૂપ શ્રમણુ તથા મહાત્મા જૈન મંદિરમાં જાય ? હું ગૌત્તમ ! પ્રત્યેક દિવસે જાય. હું ભગવાન! જે દિવસે ન જાય તે દિવસે શું પ્રાયશ્ચિત્ત આવે ? હે ગૌત્તમ ! પ્રમાદે કરીને જીન મંદિરમાં ન જાય તે। દુવાલસ પાંચ ઉપવાસને દંડ ભે ગવવા પડે. ” મૂર્તિપૂજા એ આત્મિક લાભના ઘણા કારણે પૈકીનું એક ખાસ કારણ છે. હાલમાં જે સામાયિક અને પ્રતિક્રમણની પદ્ધતિ પ્રચલિત છે તે પણ એક પ્રકારની પ્રતિમાનું પૂજનજ છે કારણ કે સામાયિક પ્રતિક્રમણ ખેલવામાં આવે છે પણ ખેાલાતી ભાષાના પુદ્ગલ તેા જડ છે મૂર્ત છે માટે મત્તનું પ્રજનન થયું. સામાયિક પ્રતિક્રમણ લખવાં તે પણ પુદ્ગલના ખેલ હોઇ પ્રતિમાજ થઇ. માનસિક રીતે અંતઃકરણમાં-મનમાંનવકાર વગેરે ગેાઠવવાથી, મનાવગણાનાં પુદ્ગલ જડ હોઇ, તે પણ મૂર્ત પૂજન થયું. આ પ્રમાણે આખું જગત્ જડ—કૃત્ત પ્રતિમાનુજ ઉપાસક છે. જે એક રીતે પ્રતિમાને નથી પુજતા તેઓ બીજા રૂપમાં-કામાં પુજે છે, જે કેવળ નવકારનેજ માનવાવાળા છે તે પણ પ્રતિમાનાજ ઉપાસકા છે કારણ કે ભાષાથી નવકાર એટલે તે ભાષાના પુદ્ ગલોની પ્રતિમાની સ્મૃતિ આપણે 'વિન દારા સાંભળીને પવિત્ર થઇએ; તે નવકારનું મનમાં સ્મરણ કરે તેા માનસિક મનાવાની આકૃતિજ મનમાં નવકાર રૂપે ભાસે છે અને તેથી પવિત્રતા મનાય છે. લખેલ નવકાર વાંચવામાં આવે તે ત્યાં તે પ્રતિમા પ્રત્યક્ષ થઈજ થઈ. આવી વસ્તુ સ્થિતિમાં સઘળા પ્રતિમાના સેવાજ છે. જે જે જીવાને આત્મસાક્ષા કાર નથી થયા તેતે વાને પ્રતિમાના મૃત્તના—પરમાણુના—આશ્રય વગર એક પળ પણ રહી રાકાતું નથી. આત્માને નહિ જાણનારા કાકા મૃનીજ ઉપાસના અેરાત્રિ કીજ કરે છે. પ્રતિમાને નહિ માનનારા સાધુએ સામાયિક, પ્રતિક્રમણ, ઉપાશ્રય, શરીર, લુગડાં, પુસ્તક, ચેલા, ચેલી, સાડા શિષ્યા, ભાષા, મન, વગેરેની ઉપાસના કરનારા હાઇ પ્રતિમાનાજ ઉપાસકો છે કારણ કે આત્મજ્ઞાન તે તે પૈકી ઘણા ખરામાંથી ઘણ દૂર હોય છે. માત્ર એક પ્રકારની પ્રતિમાને નહિ માનતા ઘણા પ્રકારની પ્રતિમાને તે માને છે અને તે માન્યા વગર ચાલી શકતુંજ નથી. જેમ જેમ આત્માનુભવ થતા જાય છે તેમ તેમ અિિક્રયા રૂચિ સ્વતઃ ઘટતી જાય છે અને છેવટ નિજ વરૂપમાંજ સ્થિતિ થાય છે. જ્યાં સુધી આવી ઉત્તમ દશા ન થાય ત્યાં સુધી મૂર્તિપૂજા જરૂરનીજ છે. કદાચ તે એક મૂર્તિને નહિ માને તેા બીજી ઘણી મૂર્તિએ તેના મનમાં ચોંટી રહેશે કે જે માન્યા વગર છૂટકાજ નથી આવા હેતુઓ ધ્યાનમાં રાખીને જૈન શાસ્ત્રમાંતા મૂર્તિ પૂજાનુ વિધાન ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે. જૈનનાં શાસ્ત્ર-શબ્દ પ્રમાણ અને પરંપરા પ્રમાણુ પ્રમાણે જૈતામાં પ્રતિમા પૂજન સનાતન કાળથીજ અવિચ્છિન્ન પણે ચાલ્યું આવે છે. પ્રતિમા માટે સ્થાનાંગ મુત્ર, ભગવતી મૂત્ર, જ્ઞાતાસ્ત્ર, ઉપશક દશાંગ در
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy