________________
४०६
શ્રી જૈન જે. કે. હેરલ્ડ.
वृक्ष न लेइ फल तणउ सवाद, वीणा अरथि न आवइ नाद । सूर सदा अजूआ करई, उत्तम पर उपगारी सिरइ ॥ ३०॥ नदी न पीइ नीर लगार, कूरम कांइ धरइ भूइ भार । महीअल मेह सरोवर भरई, उत्तम पर उपगारी सरइ ॥ ३१ ॥ पान पदारथ नीलडी, दूध दही दीसइ लडी । साकर सरस रस रस जरई, उत्तम परउपगारी सरइ ॥ ३२॥ जग सगलू भरिउं नर नाथ, निगुणा सोइ न घालइ हाथ । आक तणा फल सह परिहरई, आंवा फल सहूं आदर करई ॥३३॥ गुणसुंदरी गुण मेरु समान, ताहरु पुत्र हुइसइ जाग भाण ।
मानो मोह महा परिहरु, बाई बोल अह्मारु करु ॥ ३४ ॥ સંઘાધિપતિએ આ પ્રમાણે ગુણસુંદરીને હારે બહુ બહુ સમજાવી, હારે સુધર્માએ માતાને કહ્યું –
હે માત ! હું દીક્ષા ગ્રહણ કરીશ. અને સદગુરૂપી નાવના આધારથી શીવ્ર ભવ-સમુદ્ર ભરીશ.”
માતાએ પુનઃ દીક્ષા પાળવી કેટલી કઠિન છે, તે સંબંધી ખૂબ સમજાવ્યું. તથાપિ સુધર્માએ “સંયમ રાજ્યથી બીજું કંઈ અધિક છેજ નહિ.' ઇત્યાદિ વચનોથી માતા-પિતાને સમજાવી ગુરૂ સમીપે દીક્ષા લીધી. સંધ ઘણો ખુશી થયો. દીક્ષા લીધા પછી છ વર્ષમાં સર્વ શાસ્ત્રોનું અવગાહન કરીને આચાર્ય (ગ્ય થયો.”
સુધર્માની દીક્ષા પછી આચાર્ય ઇશ્વરસૂરિ પાછા મુડારામાં આવ્યા, અને બારગોત્રની સાથે બદરીદેવીની પુનઃ આરાધના કરી. બદરીદેવી આવી. દેવીએ સુધર્માના લલાટમાં સર્વ સંઘ સમક્ષ તિલક કર્યું. કંઠમાં પુષ્પની માળા નાંખી, અને નાટય કરીને સુધમાંનું યશોભદ્રસૂરિ નામ સ્થાપન કરી ચાલી ગઈ.૧
યશોભદ્રસૂરિએ, વિગ વિકાર કરનારી જાણી, નિરન્તર છ વિનયને ત્યાગ કરી આઠ કોળીઓનું આંબીલ કરવું શરું કર્યું. આવી ઉગ્ર તપસ્યાના બલથી, હેમણે અનેક અતિશય ઉત્પન્ન કર્યા.
૧ આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, શ્રી ઈશ્વરરિએ બદરીદેવીની આરાધના મુદારામાં કરી, અને યશોભદ્રસૂરિની આચાર્ય પદવી પણ મુછારામાંજ થઇ. પરંતુ મુનિસુંદરસૂરિ કૃત ઉપદેશ રત્નાકરના પૃ. ૯૩ માં “ઘપુર્યા શ્રી મદ્રવૃત્તાવાર્થઘરાવતેરે ચારઝવમછમ વવારું વિધેચિમિદં સ્વતપૂર્વ ..........” ઈત્યાદિ લખવામાં આવેલ છે, તે વિચારણીય છે. પાલીમાં આચાર્ય પદવો થયાનું ઉપદેશ રત્નાકર સિવાય અન્યત્ર કયાં પણ જોવામાં આવતું નથી.
૨ લાવણ્યસમયકૃત રાસમાં આંબીલ નહિં, પરન્તુ છ વિનયને ત્યાગ કરી આઠ કવળ આહાર કર્યાનું લખ્યું છે યથાઃ
यशोभद्रसूरि चिंतइ सार विगइ विषयन करइ विकार । वगइ छ छडि तिणिवारि लेवउ आठ कवल आहार ॥४४॥