SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૫૧ કહ્યું પંચ કલ્યાણક તપ તે દક્ષ ઉવાસ ને દશ ચોવિહાર કહ્યા છે. એટલે બે ઉપવાસે એક કલ્યાણક તપ જાણો આથી પંચ કલ્યાણકની આલોયણું તમને આવી.” આ સાંભળી સાધ્વીએ કહ્યું “અજાણપણની આવડી આયણ કહો છો ત્યારે જાણપણુંથી ધણુ પંચેન્દ્રિય જીવના વધની આયણ કેવી થાય? આ સાંભળી ગુરૂને ક્રોધ શાંત થયે- આકલા બધા બદ્ધ છોડી દીધા. આ અસાર સંસારમાં કોણ ગુરૂ કોણ શિષ્ય એમ ચિંતવી સ્વચિત્તથી તત્વ પાપશુધ્ધિના હેતુએ આકર્ષિત બાધ્ધની સંખ્યાએ ૧૪૪૪ પ્રકરણ પૂજા પચાશક પ્રમુખ એક એક પંચાલકની પચાશ પચાસ ગાથા થાય એવા ૫૦ પંચાશક ત્રીસ અષ્ટક સેલ ષડશક પુનઃ આવશ્યક વૃધ્ધ વૃત્તિના કરનાર થયા. વિ. સં. પ૬૫ વર્ષ હરિભદ્રસૂરિ સ્વર્ગે ગયા. વળી હરિભદ્રસૂરિના ભાણેજ શ્રી સિધષિ ઉપમિતભિવાપંચ, શ્રી ચંદ્ર કેવલી ચરિત્ર, ૩ શ્રી વિજયચંદ્ર કેવલી ચરિત્ર ના કર્તા સ્વર્ગ વાસ પામ્યા. વિબુધ પ્રભ સરિ. એવામાં વીરાત ૧૦૧૪ એટલે સં ૬૧ વર્ષે માલવા દેશમાં ધાર નગરે શ્રી સમ્મતિ ગ્રંથના કર્તા શ્રી મલ્લ વાદી સુરિ થયા. તે અવસરે શ્રી બપ્પભટિ સૂરિ પ્રગટ થયા. બપભથ્રિસૂરિ જુડા હડ દેશે ગોપાચલની તલેટીએ ગોપનગર (ગ્વાલીઅર) વસેલું છે ત્યાં ચહુઆણ શ્રી આમરાજા રાજ્ય કરતા હતા. એવામાં શ્રી ભારદ્વાજ વંશે પ્રશ્નવાહનકુલમાં હર્ષપૂરીય ગ૭ શ્રી બપ્પભટ્ટસૂરિ વિહાર કરતા આવ્યા. શ્રી ગુરૂ ઉપકારીપણે ધર્મ કથા કહેતા હતા ત્યારે રાજાશ્રી આમ સહિત ગુરૂ પ્રત્યે વિનતિ કરી કે “તમે મહા સાધુ છે. ભવ્યજીવને પવિત્ર કરવા જંગમતીર્થ છે તે માટે આ ગોપનગરમાં ચોમાસું અવશ્ય રહે ! ત્યારે ગુરૂએ કહ્યું. જ્યાં લગી તમારી સુદષ્ટિ હશે ત્યાં લગી રહીશું! એમ કહી શ્રી ગુરૂ ચોમાસુ રહ્યા. આમ પ્રમુખ સંધ શ્રી ગુરુની બહુ વિધિ ભક્તિ સાચવી.નિરંતર ગુરૂ વાંદી ગુરૂ મુખે ધર્મવ્યાખ્યાન સાંભળી ગુરૂવાણિથી રંજિત થકા પરમ જૈન રાજા થશે. એકદા પુન્યતીથિને દિને આમ રાજાની સ્ત્રી નીલાં વસ્ત્રને શણગાર પહેરી ગુરૂ મુખ આગળ ગુરૂ સ્તુતિ સાથે સ્વસ્તિક કરે છે ત્યાં પગલે પગલે વારંવાર મુખે મરકલડા કરે. ત્યારે આમ રાજાએ ગુરુને પૂછ્યું – बाला चमकतीए ए ए कुणहथकी समुहभंगी ત્યારે ગુરૂએ કહ્યું-- नूनं रमणी पएसे महलिया छवह मुहभंगे । આ વચન સાંભળી રાજા માન મુખ વાળે થયો, એટલે શ્રી ગુરૂને મુક્તાલે વધાવતાં નીલ વસ્ત્ર દેખી વૃદ્ધાવસ્થામાં ચક્ષુના તેજની હીણતાના યોગે નીલા વસ્ત્ર ઉપર શ્રી સુરિની ત્યાં દષ્ટિ સ્થીર રહી. ત્યાં આમની પણ દષ્ટિ થઈ. ચિત્તમાં સંદેલ થયો કે સાધુની દૃષ્ટિ નીલ શણગાર ઉપર રહી. વ્યાખ્યાન સાંભળો ઘેર આવી રાજાએ ગુરૂની પરીક્ષા કરવા અર્થે પિતાના ઘરની વડી દાસીને નીલ શણગાર પહેરાવી રાત્રીને સવા બહાર ગયા પછી શાલામાં
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy