SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રી જેન . ક. હરં છે. ૧૩. વજસ્વામી. જંબુદ્વિપે દક્ષિણ અદ્ધ ભરતે અવંતિ દેશે તુંબવન ગામે ગૌતમ ગોત્ર શ્રી ધનગિરિ રહે છે–તેણે સગર્ભા સુનંદા સ્ત્રીને ઘેર મૂકી આય સમિતિ સાલા સહિત વૈરાગ્યે શ્રી સિહગિરિરિનો ઉપદેશ સાંભળી દિક્ષા લઈ ગુરૂ સાથે વિહાર કર્યો. કેટલેક દિને ઘેર સુનંદાને બેટો થયો. સુનંદાની સહિયર સ્ત્રી ને બાલકને રમાડતો કહે કે તારે પિતાએ દીક્ષા લીધી ન હોત તો જન્મનો ઉત્સવ કરત. એવાં વચન સ્ત્રીનાં તે બાળકે કાને સાંભળી જાતિ સ્મરણે પૂર્વભવ દીઠે. ચિત્તે ચિંતવે કે હું પણ ચારિત્ર લઉં એવું વિચાર એકમનો થઈ ઘણું રૂદન કરે. તેથી સુનંદા ઘણી આકુળ થઈ મને ચિંતવે કે આને પિતા આવે તે તેને આપું. એમ કરતાં છ માસ થયો. એવા અવસરે શ્રી સિંહગિરિ સૂરિ, શાલીએ રહ્યા ત્યાં ૧ ધનગિરિ, અને આયમિત એ બંને સાધુ ગુરૂની આજ્ઞા લઈ તુંબ વચન ગ્રામઆહારની વેષણુએ જાય છે એટલે જ્ઞાનોપયોગે શકુન વિચારી ગુરુ કહે શિવ તમને આજ ગેચરિએ જતાં સચિત અચિત જે મળે તે લે લેજે. ગુરૂ વચન અંગિકાર કરી તે બંને મુનિ સંસારિક બંદા વિના સુનંદા ઘેર પહોંચ્યા. નગર મનુષ્ય ઘર સ્ત્રીઓ ઓળખી રૂદન કરતો બાળક તેણે પીછાણી એવી જે સ્ત્રી કહે “આ સુત તમારો તમે લ્યો' એમ કહી બેઠો ધનગિરિને દીધો. એટલે તુરત રોતો રહ્યો. તેણે કથક ગુરૂ વચન સાંભરી તે બાળક ઝળીએ લઈ ધનગિરિ ગુરુ પાસે આવ્યા, ઘણે ભારે વાહનમતી દેખી વજસમાન ભાર જાણી ગુ.એ કુમાર વજુ નામ દીધું. સાધ્વીના ઉપાશ્રયે શિય્યાતરી શ્રા સુષ સાચવી પાલણે પોઢાડી રાત્રીને વિષે સાધવી ૧૧ અંગની સજઝાય કરે તે પાલણે સુતાં બાળકને અંગ ૧૧ મુખે આવડયાં. સાંભળતાં થકા એમ કરતાં તે વધુ બાળક ત્રણ વરસ થયો એટલે તેજવંત રાજપુત્ર સુનંદા ગુરૂ પાસે માગે. મને મારો બેટો સાધુજી આપો. ગુરૂ–ધર્મ લાભે બોલાવ્યો, જેની પાસે જાય વિહરાવ્યા; અમે પાછો ન દઈએ એમ કરતાં રાજા સમક્ષ વિવાદ થયો. રાજાએ કહે બોલાવ્યો જેની પાસે જાય બાલક તેહનો એ બાલક. એવું રાજાનું વચન સાંભળી સુનંદાએ ભાત ભાતની સુખડી મુકી, ગુરૂએ રજોહરણ મૂક્યું એટલે વજકુમાર રજોહરણ મસ્તક ના લેઈ સુખડી અને માતા સામું ન જોયું, ત્યારે તે દેખી સુનંદા વિચારે જે ૧ ભાઈએ ૨ સ્વામીએ, અને ૩ બેટાએ પણ દીક્ષા લીધી. આવા સંસારે રહ્યા અને કોણ આધાર છે? એવું જાણીને શ્રી સિંહગિરિ પાસે સુનંદાએ દીક્ષા લીધી. વયર કુમારે ૮ વર્ષની દીક્ષા લઈ દશ પૂર્વ ભણ્યા. એકદા શ્રી સિંહગિરિ પાસે બહિર્ભુમિ ગયા હતાં ત્યાં અન્ય સાધુ નગરમાંહિ આહારને અર્થે ગયા છે એવામાં શાલાએ યત્ર કપાટે બાલ લીલાએ સાધુની ઉપાધિ એકઠી કરી વિધાર્થીની પેઠે ૧૧ અંગની વાચના દીએ છે. એટલે ગુરૂ શાલાને ધારે વિવર થકી ગુપ્તપણે રહ્યા તે સઘળે વ્યતિકર દેખી યોગ્ય જાણી શ્રી સંહગિરિ સૂરિ એ દશ પૂર્વધર શ્રી વજ જે પોતાની પાટે થાપ્યા. શ્રી સિંહાગરિ સૂરિની આજ્ઞા લઈ ૫૦૦ મુનિ સાથે પૂર્વ દિશા થકી વિહરતાં ઉત્તર દિશામાં આવ્યા. શ્રી વિજ ત્યાં દુભિક્ષ યોગે સંઘ સિદ તે જાણું પૂર્વભવ મિત્ર ગ્રંભિક દેવાપિત આકાશગામિની વિદ્યાએ શ્રી સંઘને બાર જન કલ્પકનો વિસ્તાર ૬૮ કોટે નિપજાવી સુભિક્ષ મહાનસી પુરે મૂક્યા. પુનઃ શ્રી વસૂરિ ઉત્તર દિશાથી વિહરતા દક્ષિણ પંથે તુંગીયા નગરે ચોમાસું રહ્યા. ત્યાં રસવિકારના રોગથી શ્રેષ્મ થયો. શિષ્ય પ્રતિ શ્રી વજસેન સૂરિએ કહ્યું-જ્યારે આજે તમે આહાર અર્થે ગૃહસ્થને ઘેર જાઓ ત્યારે શુંઠ ખંડ યાચી લાવજે. તે શિષ્ય તેમજ ચૂંઠ
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy