________________
૩૧૦
શ્રી જૈન છે. કો. હેરલ્ડ. લહિયાઓ ગ્વાલિયરી લિપિમાં પડી માત્રાથી લખતા, તેથી તેમણે લખેલા ગ્રંથે અન્ય ધર્મીઓથી ન ઉકલી શકે, અને તે અરૂચિ બતાવે છે તે સ્વાભાવિક છે).
જૈન ગ્રંથકારે ઘણાખરા સાધુઓ-જતિઓ હતા, તેઓ ગમે તે દેશના મુળ વતની હે, દેશદેશ વિચરતા ને ત્યાં અમુક મુદત નિવાસ કરતા, તેથી તેમની ભાષામાં અનેક ભાષાના શબ્દોનું ને રૂઢિ પ્રયોગનું મિશ્રણ સ્વાભાવિક રીતે થાય. વળી તેમને નિરતરનો અભ્યાસ માગધી કે પ્રાકૃત ભાષાના ગ્રંથોનો હોય તેથી પણ તે ભાષાના શબ્દો તેમના લખાણમાં અણધારતાં પણ આવી જાય. તેમણે જે ગ્રંથો જૂના કાળમાં લખેલા તેમાં આ પ્રમાણે અનેક ભાષાનું મિશ્રણ થવાથી તે શુદ્ધ જૂની ગુજરાતી કહી શકાય નહીં, અને અન્ય ધર્મીઓ, જેમની સંખ્યા જેનો કરતાં ઘણી મોટી છે, તેઓ તેમને ગુજરાતી ગ્રંથો તરીકે માન્ય ન કરે.
આ વાતનું વિશેષ સ્પષ્ટીકરણ સંવત ૧૪૫૦માં લખાયેલા ગુજરાતી ભાષાના વ્યાકરણ ઉપરથી તથા ગુજરાતી સાથે નિકટનો સંબંધ ધરાવનારી સિંધી, પંજાબી, મારવાડી વગેરે ભાષાઓને મુકાબલો કરવાથી થઈ શકશે. એ વ્યાકરણમાં અમુક સંસ્કૃત વાક્ય ઉપરથી અમુક ગુજરાતી વાક્ય થયું એવું દેખાયું છે, અને તેનાં ઉદાહરણ શાસ્ત્રી વૃજલાલે આપેલા છે. ( ગુ. ભા. ઈ. પૃષ્ટ ૬૭-૬૮) તે પ્રમાણેની જે જન ગ્રંથકારોની ભારે હોય તો તે જૂની ગુજરાતી કહી શકાય. અહીં માત્ર બે ત્રણજ ઉદાહરણ ટાંકીશું.
स. चंद्र उद्गच्छति । वीतरागः वांछित ददति । चत्रः कटं करोति. T. ચંદ્ર ઉગઈવીતરાગ વાંછિત દિઈ ચે કફ કરઇ. सं. धर्मस्य कर्त्ता जीव: सुखं प्राप्नोति ।। 5. ધર્મ તણુઉ કર્તા છવ સુખ પામઈ. સં. ચાત્ર ગ્રામં જતઃા મેઘ વતિ મગુના નૃવંતા. જી. ચત્ર ગામિ ગિઉ મેઘ વરસ તઈ મેર નાચઈ.
સંસ્કૃત, અપભ્રંશ ને ગુજરાતીને કેવો મેળ છે તેનું દષ્ટાંતઃ म. तत्र यत्र कुत्र अत्र कः किम पिपरा रि. અ. નહિં જહિં કહિં અહિં કવણ કાંઈ પરારિ. ગુ. તિહાં જિહાં કિહાં હાં કઉણ કાંઈ પરારિ.
હવે પંજાબી ને સિંધીનાં રૂપ ગુજરાતીનાં રૂપ સાથે આપીએ. પં. મને તુ આપ નઉમિ વસાખ જેઠ. ગુ. માણસ તું આપ નમિ વૈશાખ જે. સિધી. સોનારૂ લેહરૂ લહુ લિખણું વૈસાખુ. ગુ. સોનારૂ લોહારૂ લહુ લિખણું વૈશાખ.
આની સાથે શ્રી ગતમ સ્વામીને રાસાની ભાષા મેળવો.
વીર જિણેસર ચરણ કમલ કમલા કય વાસ,
પણમવિ પભણિસુ સામી ગોયમ શરૂ રાસો. એમાં જિણેસર તે જિનેશ્વર, કય વારે-વાસ કરે; પણમવિ-પ્રમી--પ્રણામ કરી, પભણિસ ભણીશું-કહીશું, સામી-સ્વામી, ગેયમ-ૌતમ અર્થે છે,