________________
૮૨]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ માર્ચ
રૂા. ૩૦
ધોરણ ૪ થું. ૧ મી જસરાજ ખેડીદાસ
૫૬ બોટાદ ૨ , કાશીભાઈ વહાલાભાઈ ૪૦ મહેસાણા
ઘેરણ ૫ મું ન ૧ મી. વેલજી લાલજી વોરા ૫૦ મુંબઈ ૨ , બેચર જીવરાજ
૫. બનારસ ધેરણ ૫ મું ઘ.
રૂા. ૫o.
,
૩)
રૂ. ૫૦
૧ મી. રાઈચંદ કુશળચંદ શાહ ૨ , હીરાચંદ દેવચંદ શાહ
૬૮ ૫૪
બનારસ મહેસાણું
,
ઉપદેશકના ભાષણથી થયેલા ઠરાવ.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મી. વાડીલાલ સાકરચંદ ડીસેમ્બર તથા જનેવારી માસમાં જે જે ગામોમાં ફર્યા તે ગામના આગેવાનો તરફથી સહીવાળા આપે લા પત્રોને સાર નીચે પ્રમાણે છે.
રાયપુરના શ્રી જૈન સંઘને પત્ર, ઉપદેશક મી. વાડીલાલ સાકળચંદે આવી ગામની તમામ કામને એકઠી કરી કોન્ફરન્સના હેતુપર ભાષણ આપી અમારાં મન રંજન કર્યા છે જેની અસર સારી થઈ છે. બત્રીશીના પંચમાં ઠરાવ થયેલા છે અને આ ગામ તેમાંજ છે તેથી ઠરાવ લખવાની જરૂર નથી શ્રેતાના મન ઉપર સારી અસર થવાથી કેટલાકાએ છુટક છુટક બાધા લીધી છે. આ ગામમાંથી સુકૃત ભંડારની રકમ કરી આપી છે. કોન્ફરન્સ આમ પિતાનો યત્ન ચાલુ રાખે છે તે સમય જતાં આગળ ઉપર ઉપદેશથી સારો સુધારે થવા સંભવ છે. વાડીલાલ સાકરચંદ કામ સારી રીતે બજાવે છે ને તે અસરથી સુકૃત ભંડારની રકમ ઉત્પન્ન થાય છે તા. ૧૩-૧૨-૧૦
વળાદના શ્રી જૈન સંઘને પત્ર–ઉપદેશક મી. વાડીલાલ સાકળચંદે આવી જુદા જુદા વિષયો ઉપર ભાષણ આપ્યાં જેની અસર અન્ય દર્શનીઓએ પણ ફટાણા નહિ ગાવાં, બંગડીઓ નહિ પહેરવી વગેરે વગેરે પ્રતિજ્ઞા લીધી હતી. બત્રીશીને પંચ નું આગમ હોવાથી બત્રીશીના પંચમાં થએલ ઠરાવ પ્રમાણે અહીં પણ વર્તવાનું છે. સુકૃત ભંડારના કામમાંજ આવાજ ઉપદેશકોની જરૂર છે આપણી મહાન કોન્ફરન્સ જે જે ઉપયોગી કામ કરે છે અને કરશે તેની સમજ મા. વાડીલાલે અમને સારી રીતે