________________
૩૬૦] .
જૈન કોન્ફરન્સ હેરા
[ ડીસેમ્બર
વળી ઈગ્રેજ લેક પરદેશી છે, ધર્મ પણ જુદો છે તે પણ આ દેશમાં પિતાના માણસોને કળાઓ પ્રમુખ ભણાવવા સારૂ હજાર રૂપીઆ ખરચે છે તે તેથી તે લાકને કેટલે પશમ થયો છે કે અનેક પ્રકારની વગર જોએલી કળાઓ ખોળી કાઢે છે ને અનેક વસ્તુ નવી ઉત્પન કરે છે કે જેનું કન્ય સમજી શકાતું નથી. એટલી બધી તેમને બુદ્ધિ મળવાનું કારણ એટલું છે કે જ્ઞાનનું ઉત્તેજન કરવામાં અત્યુત્સાહ છે. આ ઉપરથી વિચારવાનું છે જે સંસારી જ્ઞાનના ઉત્સાહથી એટલે લામ મળે છે તે વીતરાગના જ્ઞાનની વૃદ્ધિ કરવાથી કેટલો લાભ થાય? માટે આત્માનું હિત કરવા પોતાના છોકરાને તથા પરને હિત થાય તે સારૂ જૈન શાસ્ત્ર ભણાવવાં. જૈન શાસ્ત્ર ભણવાથી બુદ્ધિ સર્વે કામમાં વૃદ્ધિ પામશે અને ભણાવનારને લાભ થશે. વળી પુસ્તક બગડતાં હોય તે તેની સંભાળ કરવી. જૈનનાં સર્વ શાસ્ત્ર અમર પદ પામે એમ કરવું જોઈએ. પંજાબ દેશથી આત્મારામજી મહારાજ ગુજરાતમાં આવ્યા ને શાસ્ત્ર હતાં તે જયાં તેથી જ્ઞાન મેળવી સર્વ દેશમાં ઉપકાર કર્યો વળી યવનના મુલકમાં પણ એઓ સાહેબે જૈન ધર્મ પ્રસિદ્ધ કર્યો ને જનનું બહુમાન કરાવ્યું. તેમાં નિમિત્ત કારણ રાસ્ત્ર હતાં તે બન્યું. નહીં તો બનત નહિ. પુસ્તક હશે તે વાંચવાથી ઘણા પુરૂષને લાભ થશે. માટે સખી ગૃહસ્થોએ જ્ઞાન ખાતામાં પિતાના પૈસાને સદ્દઉપયોગ કરવા વિનંતિ છે.
મથુરાને જૈન સ્તૂપ અને અન્ય જૈન ઈન્ડસ્કાઇથીઅન શિલા લેખે. -
ગતાંક પૃષ્ઠ 2૪ર–લેખક, G. કુશાન સં. ૩૯ ને નદિ ઉપર શિલાલેખ,
महाराजस्य देवपुत्रस्य हुविष्कस्य सं.३९ हे ३ दि ११ एतस्य पुर्वये नन्दि विसाल प्रतिष्ठपितो सिवदास श्रेष्ठि पुत्रेण श्रेष्ठिना
आर्येन रुद्रदासेन अरहन्तपुजाये. મહારાજ દેવ પુત્ર હવિષ્ક રાજ્યમાં સં ૩૯ હેમા વતિય માસમાં ૧૧ મે દિવસે અન્નપૂજાથે સિવાસળિપુત્ર આર્ય સે નહ્નિી પ્રતિષ્ઠા કરાવી.
કનીધામની પછી કૂહરે તેજ ટેકરા ઉપર કામ જારી રાખતાં ઇ-સ્કાઈથીઅ સમયની કેટલીક અગત્યની વસ્તુઓ પ્રાપ્ત કરી હતી. ૧૮૮૮ ના Provincial museum epdort માં નીચેની ચીજો ગણાવી છે.
૧• ઇન્ડસ્કાઈથીઅન સમયની જૈન મૂર્તિઓ