SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮] જૈન કારન્સ હેરલ્ડ, [ડીસેમ્બર જૈના તરફથી લાખા રૂપીઆ બીજા શુભ ખાતાએ માં વપરાય છે. તેવા જ્ઞાનમાં નથી વપરાતા તેનુ શું કારણ? જૈન મા જાણ્યા હાય યા જૈન ધર્મનુ જાણપણું થવાનુ નજીકમાં હાય, યા થાડા ભવમાં મેક્ષે જવાને હાય તેને તે। અવસ્ય જ્ઞાન ઉપરજ લક્ષ થાય. કેવળજ્ઞાન પામતાં પહેલાં ક્ષપકશ્રેણી માંડે છે તે ક્ષપકશ્રેણીમાં પ્રથમ શ્રુતજ્ઞાનથી ચીંતવન થાય. પછી અપૂર્વ ભાવ પ્રગટ થાય છે તે સ્વાભાવિક ધ્યાન થાય માટે એ સર્વ થવાનું કારણ શ્રુતજ્ઞાન છે. તે તે શ્રુતજ્ઞાન જ્ઞાનાવી કર્મના ક્ષયાપશમથી થાય છે. જ્ઞાનાવણી ક ના ક્ષયાપશમ જ્ઞાન ભણવાથી, જ્ઞાન ભણાવવાથી, જ્ઞાના પાઠ કરવાથી, જ્ઞાનવાનતા તથા જ્ઞાન જે પુસ્તકો, યા જ્ઞાનનાં ઉપગરણા તેના વિનય કરવાથી, યા પુસ્તકો લખાવવાથી તથા વિદ્યાશાળાઓ કઢાવી તે, શ્રાવકાને ભણાવવા તન, મન અને ધન એ ત્રણ પ્રકારે શકિત હેાય તે પ્રમાણે જ્ઞાનની પેાતાને તથા પરને વૃદ્ધિ થાય એવી પ્રવતના કરવી, તેથી જ્ઞાનાવી કર્મના ક્ષયાપશમ થાય તે જ્ઞાન પ્રગટ થાય. જેને ધનની શક્તિ હોય તે ધન જ્ઞાનના કામમાં વાપરે. જેને શરીરની શક્તિ હાય તે શરીરથી જ્ઞાનની સંભાળ રાખે, જેટલી અને તેટલી શરીરથી સેવા ભક્તિ કરે. જે જે જ્ઞાન સંબંધીના કામની મહેનત કરવાની હાય તે કરે, વળી મનની શક્તિવાળા એટલે ભણેલા હાય તે બીજાએને ભણાવે, દ્રષ્ટાંત યુક્તિએ કરી જેમ સમજે તેમ સમજાવવાને ઉદ્યમ કરે, પેાતાનુ કામ છેડીને પણ પરને જ્ઞાનને લાભ થતા. હાય તેા ઉદ્યમ કરે પણ સ્વાજ કર્યાં કરે નહિ. આ લક્ષણા જ્ઞાન નિકટ થવાના છે. માટે નજીકમાં જ્ઞાન થવાવાળા તેા આ રીતે તે એટલે જ્ઞાનના કામમાં જરૂર પૈસા વાપરે, પણ જેને જ્ઞાન પ્રગટ થવુ દૂર છે તે જીવા તે વિચિત્ર કામ કરે છે. કેટલાએક કહેછે કે આ દુનીઆમાં શાસ્ત્ર તે ઘણાંજ છે. તેને વાંચનાર કાણુ છે ? ઘણાંએ પુસ્તકા સડી જાય છે. વળી ક્રાઇ કહે છે કે અમને કઇ ભણતા આવડતું નથી એટલે પુસ્તકને શુ' કરીએ. આ પ્રકારનું કહેવું અજ્ઞાનપણે થાય છે. કેટલાએક મ’ડળના ત્રસ્ટીઓ પાસે સારૂં ફંડ છતાં અંદર અંદરના કુસંપ યા બીજા કોઈ કારણને લઈને વ્યાજ આવે તે જમા થાય પણ તેમાંથી જ્ઞાન ખાતે કાંઇ પણ ખર્ચ કરવામાં આવતુ નથી. કાઇજ્ઞાનમાં ખરચવા પ્રેરણા કરે છે તે પણ પોતાને જ્ઞાનાવી કર્મના ઉદય છે તેના પ્રભાવે ઉત્સાહે પારકા પૈસા પણ જ્ઞાનમાં ખરચતા નથી ને વગર કારણે જવ નાનાવર્ણી કમ બાંધે છે. આવા જીવે ઉપર પણ જ્ઞાનવાને કરૂણા લાવવી, પણ દ્વેષ લાવવેા નહિ, કારણ કે એ જીવ શું કરે! કેમકે કુ રાજા માગ આપે નહિ તે આ ભવમાં તે સમકિત વિના મુદ્ધિવાન ગણ્યા છે પણ એની ભવિતવ્યતા એવી છે કે આવતે ભવે જ્ઞાન વિશેષ અવરાઇ જવાનું છે તેથી એએની બુદ્ધિ એવી થાય છે. જ્ઞાનવતાએ એાને સમજાવવા જોઇએ, કેટલાએક
SR No.536507
Book TitleJain Shwetambar Conference Herald 1911 Book 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1911
Total Pages412
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy