SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. | ઓગષ્ટ કોન્ફરન્સના આગેવાનોને હસ્તક અમદાવાદ કેન્ફરન્સ વખતે થયેલ ફંડની વ્યવસ્થા સોંપવાને બદલે મનસ્વી રીતે નવી યોજના ઘડી કહાડવામાં આવી છે અને તેથી કોન્ફરન્સ ઓફીસથી ચલાવવામાં આવતાં જીર્ણ ચૈત્યોહાર, છણે પુસ્તકોદ્ધાર, નિરાશ્રિત, કેળવણી, તથા જીવદયાના ફડેને ઘણું જ શેઘવું પડયું છે. કોન્ફરન્સ તરફથી થતી ઉક્ત ફડેની વ્યવસ્થામાં કંઇ ખામી જણાતી હતી તે તેને દૂર કરવા માટે રોગ તજવીજ કરવાની જરૂર હતી, પરંતુ તેના આગેવાન તરફ અવિશ્વાસની લાગણી પ્રદર્શિત કરવા જેવું થવાથી સમસ્ત જૈન સમુદાયમાં કેફરન્સ ઓફીસની કાર્ય વ્યવસ્થા માટે વસવસે ઉત્પન્ન કવામાં આવ્યો છે તે યોગ્ય થયું નથી. છુટા છુટા ઇલાયદા કંથાથી અલગ અલગ વ્યવસ્થા તદ્દન અનિષ્ટ છે અને તેના હાનિકારક પરિણામે સર્વ સુજ્ઞોને સુવિદિત છે. કાયદેસર રીતે દ્રસ્ટડીડ તૈયાર કરાવરાવી ગ્ય આગેવાનોને હસ્તક એક મોટું લાખો રૂપીયાનું ફંડ મેંપવામાં આવે અને તેમાંથી હીંદુસ્તાનના જુદા જુદા ભાગમાં વિસ્તા જૈન ભાઈઓને, પાઠશાળાઓને, પુસ્તકાલયોને, પાંજરાપોળોને, ચિને યોગ્ય રીતે ચેકસ ખાત્રી કર્યા બાદ જરૂર પુરતી મદદ આપવામાં આવે છે તેથી ઘણે લાભ થવા સંભવ છે. દીલગીરીની વાત એટલીજ છે કે આવા ધર્માદા ફંડની વ્યવસ્થા કરનારાઓને ધર્માદાના નાણાં ઉપર પણ એક પ્રકારની મમત્વબુદ્ધિ-મુછભાવ રહે છે અને તેથી તેઓ ચોગ્ય પુરૂષને મદદ કરી શકતા નથી; અથવા તે એક બીજાની શરમમાં ખેંચાઈ ચસ્મપિશીથી ધર્માદા ફંડની વ્યવસ્થા કરવા પ્રેરાય છે. તેઓ ધર્માદા ફેડને સ્વકીય જનો તરફ મહેરબાના બતાવવાનું એક સાધન, તુચ્છ બુદ્ધિથી ગણી કહાડે છે. આવા વિચારોના માણસને, બીજા કોઈને હરnક ધર્માદા ફંડની વ્યવસ્થા સોંપવાનું, પિતે જ જાળમાં ફસાયેલ હોવા છતાં પણ ગળે ઉતરતું નથી. આ ગણતરી કરનારાઓ નામના ખાતરજ મેટી રકમ ધર્માદામાં આપનારાઓ વિશ્વસનીય માણસમાં પણ વિશ્વાસ મુકી શકતા નથી. આ સ્થિતિ ખરેખર ખેદજનક છે. સમગ્ર જૈન સમુદાયના પ્રતિનિધિરૂપ કેન્ફરન્સના આગેવાનોને હસ્તકજ આવા ફની વ્યવસ્થા રહેવી જોઈએ અને તેઓ કોન્ફરન્સની પ્રાંતિક અગર જીલ્લા કમીટીના આગેવાની મારફતે ઘણી જ સંતોષકારક રીતે એગ્ય સ્થળે મદદ મોકલાવી શકે તેવી ગોઠવણ થવી જોઈએ. જે ઉમદા આશયથી મુંબઈની કેન્ફરન્સ વખતે આગેવાન ગ્રહ તરફથી જુદા જુદા ફડની શરૂઆત કરવામાં આવેલી હતી તે તરફ મુદલ લક્ષ્ય નહિ અપાતાં અમદાવાદ કોન્ફરન્સ વખતે કંઈક સંકુચિત દ્રષ્ટિથી કામ લેવામાં આવ્યું હોય તેમ જણાય છે. આપણું ધર્માદા પૈસાની વ્યવસ્થા અન્ય ગ્રહને સોંપાય અને તેથી તેઓ યશ મેળવે તે યોગ્ય નહિ; આવા વિચારે ખરા ગૃહસ્થને રોભારૂપ લેખી શકાય નહિ. પરિગ્રહમમતા ઓછી કરી ઉત્તમ ભાવનાથી ધર્માદા ખાતે કાઢી આપવામાં આવેલી રકમની વ્યવસ્થામાં સ્વાર્થ દ્રષ્ટિથી સ્વપર ભેદ બુદ્ધિ રાખવી એ આત્મિક ઉન્નતિનું ચિન્હ કહી શકાય નહિ. હિંદુરતાનના જૈન સમુદાયે જે આગેવાન
SR No.536507
Book TitleJain Shwetambar Conference Herald 1911 Book 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1911
Total Pages412
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy