SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૧ ] જેમાં વધી પડેલું મરણ પ્રમાણ | [ ૧૧ ------ - આપણે વેપારી છીએ, અને વ્યાપારની વૃદ્ધી અથે પણ ચારે દિશામાં દ્રષ્ટી કરવાની જરૂર છે. આપણો વેપાર બીજાઓને હાથ જાય છે, અને નફટ કરીને આપણું બંધુઓને આશ્રય લેવો પડે છે. આપણું પ્રાચીન તવારીખ વાંચીએ છીએ ત્યારે જેનો રાજયના દીવાન અને સેનાપતીઓ હતા. તેમજ બીજા મોટા ઓધાઓ ધરાવતા હતા કોટવાધી પતિ અને લક્ષાધિપતિઓની સંખ્યા તરફ નજર ફેરવીએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે. ભાઈઓ એ વખત ક્યારે આવશે? કેળવણી પાછળ છુટા હાથે તમરા દ્રવ્યનો વ્યય કરો, પુત્ર અને પુત્રીઓને યોગ્ય તાલીમ આપી આગળ વધારવાના સાધને ઉભાં કરે, અને તેઓ તૈયાર થવાથી હાનીકારક રીવાજે એની મેળે નાબુત થાશે, ગરીબાઈમાંથી મુકત થઈ પૈસા પ્રાપ્ત કરી શકશે ધર્મના, કામના, અને દેશના ઉદ્ધાર માટે ખડા પગે ઉભા રહેવાને તૈયાર થાશે માટે સુસ્તીમાં નહિં પડતાં, જાગૃત રહે; અને તન, મન, ધનથી કામના ઉદયને માટે તમારૂં ચીર પરવી કોન્ફરન્સને ફતેહમંદ બનાવવા તમારો પ્રવાહ વીજળીક વેગે શરૂ રાખે. જૈનમાં વધી પડેલું મરણ પ્રમાણ - An appeal for general education. (લેખક-કાપડીઆ ચુનીલાલ મુલચંદ બી. એ. બી. એસ. સી. ), એ તો એક જાણીતી બીના છે કે જે જન કેમ એક રજપુત વંશમાંથી પિતાને ઉતરી આવેલી કોમ તરીકે ગણવાનો દાવો કરતી આવી છે તેના વંશજો હાલ પિતાને અસલી ખવાસ જાળવી શક્યા નથી એટલું જ નહી પરંતુ પ્રજાની જાહેર જીદગીમાં ઈચ્છવા લાયક દેખાવ કરી શકે એવી શકતી પ્રાપ્ત કરવાને જે પ્રયાસ કરવા જોઈએ તેમાં તે કોમ પછાત છે એમ પુરવાર થયું છે એક ઉપલક દ્રષ્ટીથી નીહાળીશું તે સહજ જણાશે કે જેને જીંદગીના જુદા જુદા પ્રદેશમાં (Walks of life) પોતે આગળ વધવાને બદલે હજુ પણ કુંભકરણની સુષુપ્તિ અવસ્થામાંથી દ્રષ્ટીનાં પિપચાં સહજ ઉંચા કર્યા હોય એમ ભાસે છે, તે કેમ છેલા પચીસ વર્ષમાં પિતાની જોખમદારીની સમજ ધરાવનારા વીર પુરુષો જુજ ઉત્પન્ન કરી શકે છે. વધારે તાજુબીની વાત એ છે કે જિન કેમના નાયક થા શેઠી આઓએ છેલ્લા પા સૈકામાં એવા ફારસો ભજવ્યા છે કે જેને લઇને હાલની અધોગતી ઉત્પન્ન થઈ છે એમ કહેવામાં સહેજ સરાહગત પણ નથી એમ તે કેમના છેલા પાસિકાના ઇતીહાસ ઉપરથી કબુલ્યા વગર ચાલશે નહી. હમારા સંઘપતિઓ-સંધ નાયકે પિતાની ફરજોમાં એટલા બધા બેદરકાર રહ્યા હતા કે જેને લઈને આપણે પવીત્ર સંધ છિન્ન ભિન્ન સ્થીતિમાં એટલી છેલ્લી હદ સુધી જઈ પહેઓ છે કે તે તેમને પોતાની જીંદગીના આયુષ્યનું પણ ભાન રહ્યું નથી. હીંદુસ્તાનમાં એક સામાન્ય ફરીઆદ ચારે ખુણામાંથી આવે છે કે ઈતર દેશે કરતાં હીંદુસ્તાન વાસીઓનું
SR No.536507
Book TitleJain Shwetambar Conference Herald 1911 Book 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1911
Total Pages412
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy