SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બંધુઓ વચ્ચે અને અમુલ્ય લાભ . શ્રી જૈન શ્વેતામ્બ૨ ડીરેકટરી. હલા બંધુઓ, આપ સારી રીતે જાણતા હશો કે વડોદરા અને પાટણ કોન્ફરન્સ વખતે જૈન શ્વેતાંબર કોમની આધુનિક સ્થિતિ જાણવા માટે સર્વે જૈન બંધુઓને વિચાર . થવાથી ડીરેકટરી કરવાનું કામ કોન્ફરન્સ ઓફીસે હાથ ધરેલું હતું. આ મહાભારત કામના પ્રથમ ફળ રૂપે અમદાવાદ કોન્ફરન્સ પહેલાં શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવળ, ભાગ ૧ લે બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારપછી કોન્ફરન્સ ઓફીસ તરફથી આ મુશ્કેલ કામના દિતીય ફળરૂપે શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરીના-ભાગ ૧ લે (ઉત્તર ગુજરાત) અને ભાગ ૨ જે (દક્ષિણ ગુજરાત)–એવી દીતે બે ભાગ આ સમયે જેને પ્રજા સમક્ષ પ્રસિદ્ધિમાં મુકવામાં આવે છે. આ બન્ને ભાગમાં સમસ્ત ગુજરાત દેશની પ્રાચીન તેમજ અર્વાચીન જાણવાલાયક હકીકતો દાખલ કરવામાં આવી છે, જેનોની વસ્તી સંખ્યા દેખાડનારી ગામની નિશાનીઓ ઉપરાંત તીથ. સ્થળ, દેરાસર, તથા રેલ્વેની સરળ માહિતી આપનારાં ચિન્હવાળ સુંદર નકશે પણ આપે છે. ટુંકમાં જૈને ની વસ્તીવાળા જીલ્લા અને તાલુકાવાર ગામ, રાજ્ય, નજીકનું સ્ટેશન અને તેનું અંતર, નજીકની પિસ્ટ તથા તાર ઓફીસ, દેરાસર, તીર્થસ્થળ, ધર્મશાળા, ઉપાશ્રય, પુસ્તક ભંડાર, લાઈબ્રેરી, પાઠશાળા, પાંજરાપોળ અને સભામંડળ વિગેરેને લગતી સઘળી ઉપયોગી બાબતોથી આ ડીરેકટરી ભરપૂર છે. આ સિવાય ગામવાર જ્ઞાતિ અને ગચ્છની, કુંવારા, પરણેલ, વિધુર અને વિધવાની તેમજ ભણેલ તથા અભણની સંખ્યા આ ડીરેકટરીમાં સમજપૂર્વક આપવામાં આવેલ હોવાથી દરેક જૈન બંધુને આપણી આધુનિક સ્થિતિ નજરે તેરી આવે છે. વિશેષમાં જીલ્લાવાર તેમજ જનરલ રીપોર્ટ તથા તે ઉપરથી ઉપજતા વિચારોથી આ ડીરેકટરી જન સમાજ માટે બહુ ઉપયોગી કરવામાં લગાર પણ કચાશ રાખવામાં આવી નથી. છતાં આ બુકની કિંમત માત્ર પહેલા ભાગના રૂ. ૦–૧૨–૦ અને બીજા ભાગના રૂ. ૧–૪–૦ અને બને ભાગ સાથેના રૂ. ૧-૧૪–૦ રાખવામાં આવેલ છે. ડીરેકટરી તૈયાર કરવા પાછળ રૂ. ૧૬૦૦૦ ની મોટી રકમ ખર્ચવામાં આવી છે, તે છતાં આ જુજ કિંમત રાખવાનું કારણ કમાવાની ખાતર નહીં પરંતુ શ્રીમંત તેમજ ગરીબ જૈન બંધુને આ પુસ્તકનો લાભ આપવાનું છે. માટે સર્વે જન બંધુઓ આ મેટો લાભ અવશ્ય લેશે જ એવી અમારી સંપૂર્ણ ખાત્રી છે. નકશાની છુટી નકલ અઢી આનાની પિસ્ટ ટીકીટ મોકલનારને મોકલવામાં આવશે. કેન્ફરન્સ ઓફિસમાંથી વેચાતાં મળતાં પુસ્તકે. શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવળિ–પ્રથમ ભાગ, આ પુસ્તકમાં ગુજરાત, કાઠિઆવાડ, કચ્છ અને ભારવાટ દેશના દેરાસરાની ( ઘર દેરાસર) સુદ્ધાંત ) હકીકત આપવામાં આવેલી છે. મુંબાઈની કોન્ફરન્સ ઓફીસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્ત ક જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલા આપણા પવિત્ર ક્ષેત્રની યાત્રા કટ્વા જનાર જન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ગાઈડ (ભોમિયો) તરીકે થઈ પડવા સંભવ છે આ પુસ્તકમાં જુદા જુદા કાલમ પાડી દેરાસરવાળા ગામનું નામ, નજીકનું સ્ટેશન યાને મટા ગામનું નામ તથા તેનું અંતર, દેરાસરનું ઠેકાણું, બાંધણી, વર્ણન, બંધાવનારનું નામ, મૂળનાયકનું નામ, બંધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નોકરેની સંખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે. આ પુસ્તક રોયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર કપડાનાં પુંઠાથી] બંધાવેલું છે. બહાર ગામથી મંગાવનારને વી. પી. થી મોકલવામાં આવશે. મુલ્ય ફકત રૂ૦ ૧-(-૦ રાખવામાં આવેલ છે,
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy