SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ] જેન કેન્ફરન્સ હેરલ્ડ. ( મે - હસ્તને સં. ૧૮૬૪ ના અશાડ વદ પ સુધીને હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં વહીવટ નીખાલસ દીલથી ચલાવતા જોવામાં આવે છે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. માટે આશા રાખીએ છીએ કે, તે ઉપર તાકીદે ધ્યાન આપી એગ્ય બંદોબસ્ત કરશે. છલે ખેડા તાબે ગામ ભતીર્થ (ખંભાત) મળે નાગરવાડામાંના શ્રી વાસુપૂજ્ય સ્વામીજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ. દરહુ દહેરાસરના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શાક કસ્તુરચંદ જેચંદના હસ્તકને સં. ૧૮૬૧ ના અશાડ વદ ૦)) સુધીને હીસાબ અમેએ તપાસ્યા છે તે જોતાં દહેરાસરજીનું નામુ એક બેઠી ખાતાવહી ઊપર નહી જેવું રાખવામાં આવ્યું છે. તે મધ્યેથી તથા વહીવટ કર્તાને પુછી હીસાબ નોંધી લીધો છે. અમેએ મજકુર હિસાબની માગણી કરતાં તેમની પાસે જે હીસાબ હતો તે બીન તકરારે બતાવ્યો છે તે માટે તેમનો આભાર માનીએ છીએ આ ખાતામાં જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર ભરી વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી ગ્ય બંદેબસ્ત કરશે. જીલે ખેડા તાબે શ્રી સ્થંભતીર્થ (ખંભાત) માં આવેલ ચેકશીની પળમાંના શ્રી ગૌતમસ્વામી મહારાજના દહેરા સરના વહીવટને લગતે રીપોર્ટ. સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ દીપચંદ ડાહ્યાભાઈના હસ્તકને સં. ૧૮૬૧થી સં. ૧૮૬૩ના આશો વદ ૦)) સુધીને હીસાબ અમેએ તપાસ્યા. તે જોતાં સદરહુ વહીવટ કર્તાએ હીસાબ ચેખો રાખી દહેરાસરજી ઉપર પુરતું ધ્યાન આપી દેખરેખ રાખતા જોવામાં આવે છે અને સદરહુ દહેરાસરજીમાં જીર્ણોદ્ધારનું કામ ચલાવે છે. પરંતુ દહેરાસરજીમાં ઝાઝી મીલ્કત જોવામાં આવતી નથી. તેમને મદદ મળવાની જરૂર છે. સદરહુ વહીવટ કર્તાએ હીસાબ ચોખ્ખો રાખી અમેને માગણી કરતાંની સાથે બતાવી દીધું છે તેથી તેમનો આભાર માનીએ છીએ. , આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે માટે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી પુરતી રીતે યોગ્ય બંદેબસ્ત કરશે. છલે ખેડા તાબે શ્રી થંભતીર્થ (ખંભાત) મધ્યે આવેલ દંતારવાડાના શ્રી શાંતિનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતે રીપાર્ટ, સદરહુ દહેરાસરછના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ કીલાભાઈ જેઠાભાઈના હસ્તકને હીસાબ અમોએ તપાસ્યો, તે જોતાં હીસાબને અંગે નામું કંઈપણ રાખવામાં આવ્યું નથી. દાગીના તથા સીલીકન નેંધ લીધી છે. દહેરાસર એક ઘર દહેરાસરજી જેવું છે, ઉપજ પણ નહીં જેવી છે, મકાનની સ્થિતિ જીર્ણ થએલી છે. માટે તાકીદે સુધરાવવાની જરૂર છે. - આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે, માટે આશા રાખીએ છીએ કે તે ઉપર ધ્યાન આપી પોમ્પ. બંદોબસ્ત કરશે.
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy